SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પરીષહ-પ્રવિભક્તિ ફળ છે. ૬૨. ચિકિત્સા ન કરે, ન કરાવે (નં ન ખ્ખા ન જાવે) : સહજપણે જ પ્રશ્ન થાય કે—શું આ વિધાન સમસ્ત સાધુઓ માટે છે ? તેના સમાધાનમાં કહેવાયું છે—ચિકિત્સા ન કરે, ન કરાવે –આ ઉપદેશ જિન-કલ્પિક મુનિઓ માટેછે. સ્થવિર-કલ્પી મુનિ સાવદ્ય ચિકિત્સા ન કરે, ન કરાવે. ' આવો શાન્ત્યાચાર્યનો મત છે. ૮૩ તેમણે સાવદ્ય ચિકિત્સાને અપવાદરૂપ વિધિ માનીને તેના સમર્થનમાં એક પ્રાચીન શ્લોક ઉષ્કૃત કર્યો છે— 'काहं अछिति अदुवा अहीहं, तवोविहाणेण य उन्नमिस्सं । गणं व णीतीइ वि सारविस्सं, सालंबसेवी समुवेति मोक्खं ॥' મુનિ પાંચ કારણો હોય તો ચિકિત્સાનું આલંબન લઈ શકે છે– (૧) હું પરંપરાને વ્યચ્છિન્ન થવા નહિ દઉં. (૨) હું જ્ઞાનાર્જન કરીશ. (૩) હું તપોયોગમાં સંલગ્ન થઈશ. (૪) હું ઉપધાન તપ માટે ઉદ્યમ કરીશ. (૫) હું નીતિપૂર્વક ગણની સારસંભાળ રાખીશ. શ્રીમજ્જયાચાર્ય અનુસાર સ્થવિરકલ્પી સાવદ્ય ચિકિત્સા ન કરે અને જિનકલ્પી નિરવદ્ય ચિકિત્સા પણ ન કરે. | ચૂર્ણિકારે જિનકલ્પી અને સ્થવિર-કલ્પીનો ઉલ્લેખ નથી કર્યો. તેમણે સામાન્યપણે બતાવ્યું છે કે મુનિ ન તો સ્વયં ચિકિત્સા કરે અને ન વૈદ્યો પાસે કરાવે. શ્રામણ્યનું પાલન નીરોગી અવસ્થામાં કરી શકાય છે, આ વાત જરૂર મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેનાથી પણ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે મુનિ રોગી હોવા છતાં પણ સાવદ્ય ક્રિયાનું સેવન નથી કરતો. આ જ તેનું શ્રામણ્ય છે.’ વિશેષ જાણકારી માટે જુઓ—દસવૈયાલિયં, ૩૪નું ટિપ્પણ. અધ્યયન ૨ : શ્લોક ૩૪ ટિ ૬૨-૬૩ ૬૩. (શ્લોક ૩૪) પ્રસ્તુત શ્લોકમાં તૃણસ્પર્શથી થનાર પરીષહનું વર્ણન છે. જે મુનિ અચેલ હોય છે, વસ્રરહિત હોય છે, તપસ્યાને કારણે તથા લૂખું ભોજન કરવાને કારણે જેનું શરીર બહાર અને અંદરથી લૂખું થઈ જાય છે, તે મુનિને તૃણસ્પર્શ અત્યન્ત પીડા કરે છે. શરીરની રુક્ષતાને કારણે તૃણોની તીક્ષ્ણતા અથવા પરાળ વગેરે ઘાસની ધારથી મુનિના શરીર પર કાપા પડી જાય છે અને ૧. વૃક્ષવૃત્તિ, પત્ર ૧૨૦ : ‘સમીક્ષ્ય’ સ્વામંામેવૈતત્ મુખ્યત્તે इति पर्यालोच्य यद्वा' संचिक्ख त्ति' अचां सन्धिलोपो बहुलम्' इत्येकारलोपे ' संचिक्खे' समाधिना तिष्ठेत, न कूजनकर्करायतादि ત્। ૨. વૃક્ષવૃત્તિ, પત્ર ૨૨૦ । 3. बृहद्वृत्ति, पत्र १२० : जिनकल्पिकापेक्षया चैतत्, स्थविरकल्पापेक्षया तुजं न कुज्जा' इत्यादौ सावद्यमिति गम्यते, अयमत्र भावः - यस्मात्कारणादिभिः सावद्यपरिहार एव श्रामण्यं, सावद्या च प्रायश्चिकित्सा, ततस्तां नाभिनन्देत् । ૪. વૃત્તવૃત્તિ, પત્ર ૨૨૦ | Jain Education International ૫. ઉત્તરાધ્યયન બી નોડ્ રા૩૨-૩૩: रोग थकी दुःख उपनो जाणीं, वेदन दुख पीडभो पहिछाणी । थिर प्रज्ञा कर अदीन मनसूं, फरस्यूं रोग सहे दुख तन सूं ॥ औषधि न करे ए गुण अधिक, निज कृत जाणी चरण गवेक्षक | चरण पण सावज नहीं भावे, जिनकल्पी निरवद करै न करावै ॥ ६. उत्तराध्ययन चूर्णि पृ० ७७ : यदुत्पन्नेषु तत्प्रतिकारायोद्यम न कुरुते, तंत्रमंत्रयोगलेपादिभिः स्वयं करणं, न स्नेहविरेचनादिना स्वयं करोति, कारापणं तु वैद्यादिभिः, शक्यं हि नीरोगेण श्रामण्यं कर्त्तुं यस्तु रोगवानपि न सावद्यक्रियामारभत तं प्रतीत्योच्यतेएयं खु तस्स सामन्नं । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy