________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ
(૨૫૦ ) | જાલેર કિલ્લાના લે. નં. ૩૫ર
શહેરી હોય તેમ જણાય છે. તેણે એક યુગાદિદેવ (આદિનાથ)નું ચૈત્ય બંધાવ્યું હતું અને તેના પાત્રોત્સવ નિમિત્તે ખેલવા માટે, ઉપર્યુકત વાદિ દેવસૂરિના પ્રશિષ્ય અને જયપ્રભસૂરિના શિષ્ય કવિ રામભદ્ર વૃદ્ધ રીચિ નામના એક સુન્દર નાટકની રચના કરી હતી. એ નાટકની શરૂઆતમાં (નાંદી બાદ, પારિપાના પ્રવેશ થયા પછી) સૂત્રાધારના મહેઢેથી, રામભદ્ર યશવીરની નીચે આપ્યા પ્રમાણે પ્રશંસા કરાવે છે–
सूत्राधार-श्री चाहमानासमानलक्ष्मीपतिपृथुलवक्षस्थलकौस्तुभायमाननिरुपमानगुणगणप्रकर्षों श्रीजैनशासनसमभ्युन्नतिविहितासपत्नप्रयत्नोकर्षों प्रोद्दामदानवैभवोद्धविष्णुकीनिकेतकीप्रबलपरिमलोल्लासवासिताशेषदिगन्तराली किं वेत्सि श्रीमद्यशोवीर-श्रीअजयपालौ ?
यौ मालतीविचकिलोवलपुष्पदन्तौ ___श्रीपार्थचन्द्रकुलपुस्करपुष्पदन्तौ । राजप्रियौ सततसर्वजनीनचित्तौ
- कस्तौ न वेत्ति भुवनाद्भुतवृत्तचित्तौ ॥ આ અવતરણ ઉપરથી જણાય છે કે યશેવરને તેના જેજ ગુણવાન અજ્યપાલ નામે લઘુ ભાઈ પણ હતું. આ બંને ભાઈ પિતાના રાજયકર્તા ચાહમાન (જે આ લેખમાં જણાવ્યા પ્રમાણે સમરસિંહદેવ નામે હત) ના અત્યંત પ્રીતિપાત્ર, સર્વજનના હિતચિંતક, જૈન ધર્મની ઉન્નતિના અભિલાષી અને મોટા દાનેશ્વરી હતા. - આ પ્રસ્તુત લેખ સંગ્રહમાંથી, જાલેર નિવાસી અને લગભગ સમકાલીન જ એવા ત્રણ નામાંક્તિ યશવીર મળી આવે છે જે એક ખાસ નોંધ લેવા લાયક બાબત લાગે છે. આ ત્રણમાંથી, એક તે આ લેખની ઉપર આવેલા લેખ (નં. ૩૫૧) માં જણાવેલે શ્રી માલૅવંશ વિભૂષણ સેઠ યશેદેવને પુત્ર યશવીર, બીજો આ ચાલુ લેખમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org