SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થના લેખે. નં. ૭૧૯-૩૨૨ ] ( ૨૦૮) અવલોકન, વર્ષોનું જુનું હોય તેમ આ નીચેના લેખે ઉપરથી સ્પષ્ટ જણાય છે. કારણ કે એ લેખમાં એજ મંદિરનો મુખ્ય ઉલ્લેખ છે. આ વિષયમાં વિધર્મસૂરિ તરફથી પ્રકટ થયેલા “ ઐતિહાસિક રાસ-સંગ્રહ ” ના બીજા ભાગના પરિશિષ્ટ “જ” ની ટીપમાં કેટલીક હકીકત લખાયેલી છે, તે અત્રે ઉપયોગી હોવાથી ટાંકવામાં આવે છે. વર્તમાનમાં આ ગામને હથુડી કહેવામાં આવે છે. પહેલાં આ નામ એક તીર્થ તરીકે મશહુર હતું. અહીંના મહાવીર સ્વામીનું નામ પ્રાચીન તીર્થમાળાઓમાં કેટલેક સ્થળે મળે છે. મુનિરાજ શીવવિજ્યજીએ પિતાની તીર્થમાળામાં લખ્યું છે – રાતે વીર પુરી મન આસ.' જિનતિલકસૂરિએ પોતાની તીર્થમાલામાં, મહાવીરનાં મંદિરે હવામાં જે જે ગામોનાં નામ લીધાં છે, તેમાં હથુંડીનું નામ પણ લીધું છે. આથી સ્પષ્ટ જણાય છે કે અહિં મહાવીર સ્વામીનું મંદિર હતું. અત્યારે મહાવીરસ્વામીનું મંદિર છે, પરંતુ તે ગામથી અડધે ગાઉ દર છે. સંભવ છે કે ગામની દિન પ્રતિદિન પડતીના લીધે આ મંદિર જંગલમાં પડી ગયું હશે. બીજી તરફ આ શિલાલેખ ઉપર વિચાર કરતાં આ ગામમાં 2ષભદેવસ્વામીનું મંદિર હોવાનું જણાય છે પરંતુ વર્તમાનમાં નથી. છે અષભદેવસ્વામીનું મંદિર તેજ આ મહાવીરસ્વામીનું મંદિર તે નહિં હોય? આની પુષ્ટિમાં એક બીજું પણ કારણ મળે છે. તે એક પહેલ વહેલાં કેપ્ટન બર્ટને આ શિલાલેખ, આ (મહાવીરસ્વામીના) મંદિરની ભીંતમાંથી મળે હતે, આથી એમ કલ્પના થઈ શકે કે, પહેલાં આ મંદિરમાં કષભદેવ ભગવાન હશે. અને પાછળથી મહા તીર્થમાળા આદિમાં જણાવેલું મંદિર તે આજ મંદિર છે. બીજું નથી. કારણકે નીચેના લેખોમાં, જે ચાદમી શતાબ્દીના જેટલા જુના છે, એ મંદિરને સ્પષ્ટ રીતે “રાત-મહાવીર' નું મંદિર જણાવેલું છે.– સંગ્રાહક ૬૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy