________________
તીર્થના લેખે. નં. ૨૭૭]
( ૧૬૮)
અવલોકન
સ્ત જોઈએ તેટલા ઉચા નહિ હેવાને લીધે તથા છત જોઈએ તે કરતાં નીચી હોવાથી હોટા પાટડાઓની વચમાં આવેલી છત ઉપરનું ઘણું કોતરકામ એક દમ જોઈ શકાય તેમ નથી, તે બધું એક પછી એક જેવું પડે છે અને તે પણ છતની બરાબર તળેજ ઉભા રહીને ડેકને તસ્દી આપીને જ જોઈ શકાય છે.” -
નેમિનાથ મંદિર, “જૈન દેવાલયોના સમૂહમાં સૌથી મહેટામાં મહતું અને વધારે જરૂરનું દેવાલય નેમિનાથનું છે. બહારના દ્વારથી રંગમંડપ સુધી એક દાદર જાય છે. દેવગૃહમાં એક દેવકુલિકા, એક ગૂઢમંડપ અને પરસાળ આવેલાં છે. દેવકુલિકાની ભીતે જુની છે પણ તેનું શિખર તથા ગૂઢમંડપની બહાર ભાગ હાલમાં બનાવેલાં છે. તે ઈટથી ચણેલા હોઈ, તથા પ્લાસ્ટર દઈ, આરસ જેવાં સાફ કરવામાં આવ્યાં છે. આનું શિખર તારંગામાં આવેલા જૈન મંદિરના ઘાટનું છે અને તેના તથા ઘુમ્મટના આમલસારની નીચે ચારે બાજુએ મહેઠાં મુકેલાં છે. મંદિરના અંગે આવેલી દેવકુલિકાઓના અગ્ર ભાગના છેડા ઉપર આવેલા તથા દેવગ્રહની પરસાળમાં આવેલા સ્તંભે સિવાય મંડપના સ્ત આબુ ઉપરના દેલવાડાના વિમલસાહવાળા મંદિરના સ્ત જેવા જ છે. પરસાળના એક સ્તંભ ઉપર લેખ છે જેમાં લખેલું છે કે તે એક આસપાલે ઈ. સ. ૧૨૫૩ માં બંધાવ્યું હતું. અહીં જુના કામને બદલે નવું કામ એવી જ સફાઈથી કરેલાનો દાખલે આપણને મળી આવે છે. રંગમંડપની બીજી બાજુએ ઉપરના દરવાજામાં તથા છેડેના બે હાના સ્તની વચ્ચેની કમાન ઉપર મકરના મુખે મુકેલાં છે. આ મુખોથી શરૂ કરીને એક સુંદર તેરણ કેતરવામાં આવ્યું છે જે ઉપરના પત્થરની નીચેની બાજાને અડકે છે અને જે દેલવાડાના વિમલસાહન મંદિરમાંની કમાન ઉપર આવેલા તેરણના જેવું જ છે. મંડપના સ્તની ખાલી કમાને તથા પરસાળના સ્તની ખાલી કમાને જે ગૂઢમંડપના દ્વારની બરાબર
૫૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org