________________
પ્રાચીનજૈનલેખસ’ગ્રહું.
( ૧૧૮)
[ગિરનાર પર્વત
આ લેખમાં જણાવેલા ગામામાંના કેટલાંક ગામેાનાં નામેાના ખુલાસ આપતાં ડૉ. લ્યુડર્સ જણાવે છે કે-~~~
*
આ લેખમાં જે જે સ્થાને વર્ણવ્યાં છે તેમાનાં નીચે લખેલાંને પત્તા મળી શકયા છે. અનુ દ ઉપરનું દેઉલવાડા તે હિંદુસ્તાનના નકશામાંનું ( Indian Atlas ) દીલવારા છે જે અક્ષાંસ ૨૪° ૩૬' ઉત્તર, તથા રેખાંસ ૭૨°૪૩’પૂર્વી ઉપર આવેલું છે. ઉમરણકી ગામ તે નકશાનું માઁ છે જે દીલવારાથી દક્ષિણ પૂર્વમાં ૭ માઇલ દૂર આવેલું છે. ઉલી ગામ તે ઉલી છે જે દીલવારાથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં ૮ માઈલ દૂર છે, મુડસ્થલ મહાતી તે નકશાનું મુરથલા હાઈ શકે જે દીલવારાથી ૮ માઈલ દૂર દક્ષિણ-પૂર્વમાં છે. ગડાહડ નામ નકશાનું ગડર છે જે દીલવારાથી દક્ષિણ-પશ્ચિમમાં ૧૧ માઇલ દૂર છે; કદાચ ગડાર ( ગડાદ ) ને બદલે ડર વપરાયુ હોય. સાહિલવાડા તે સેલવર છે જે દીલવારાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં ૮ માઈલ દૂર છે, જે ગામે ખાસ કરીને અખ઼ુદ પર્યંત પાસે આવેલાં છે એમ જે કહેવામાં આવ્યુ છે તેમાંનું આયુય તે નકશામાંનુ આબુ છે જે દીલવારાથી દક્ષિણ-પશ્ચિમમાં 13 માઇલ દૂર છે. ઉતરચ્છ તે ઉતરજ છે જે દીલવારાથી ઉત્તર-પૂર્વમાં ૫ માઇલ દૂર છે. સિહર તે સર છે જે દીલવારાથી દક્ષિણ-પશ્ચિમમાં ૮ માઈલ દૂર છે. હે જી તે હેઠજી છે જે દીલવારથી દક્ષિણે એ માઇલ દૂર છે. કેાટડી તે નકશાનુ દીલવારાથી પૂર્વમાં સાત માઈલ ઉપર આવેલું કાંટડા હશે. સાલ ઘણુંખરૂ સાલગાંમ હશે જે દીલવારાથી દક્ષિણ-પૂર્વ-દક્ષિણમાં એક માઇલ છે. નકશામાં નામ આપ્યું છે તે ખે!હું ધારી એમ કહી શકાય કે, દીલવારાથી ઉત્તર-પશ્ચિમમાં આવેલુ ત્રણ માઈલ દૂર જે એહીઆ ગામ છે તે એરાસા હશે.
""
(૬૬)
આ નેમિનાથના મુખ્ય મંદિરની આજુબાજુ બીજી ન્હાની ન્હાની પર દેવકુલિકાઓ છેતે દરેક ઉપર જુદા જુદા લેખે છે. આ દેવકુલિકાએ ઉપર હાલમાં નવા અનુક્રમનાં નખરા લગાડેલાં છે. તેમાં ૩૯ માં ન'ખરની દેવકુલિકા ઉપર ન. ૬૬ નો લેખ આવેલા છે. લેખમાં કુલ ૪૫ ૫તિ છે. અક્ષરી મ્હાટા અને કેટલીક જગ્યાએ ઘસાઈ ગએલા છે, પર`તુ સારીપેઠે વાંચી શકાય તેવા છે. લેખમાં ભાષા જો કે સસ્કૃત
Jain Education International
૫૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org