SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન નલેખસ ગ્રહ ( ૩૮ ) [ શત્રુંજય પર્વત વિજપાલ નામના બે પુત્રા થયા.. પદ્મસિ'હની સ્ત્રીનું નામ સુજાણુદે હતું અને તેને પણ શ્રીપાલ, કુ‘અરપાલ અને રણમલ્લ નામના ત્રણ પુત્રા થયા. આવી રીતે સુખી અને સતિવાળા અને ભાઇઓએ સંવત્ ૧૬૭૫ ( શાકે ૧૫૪૧) ના વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા અને બુધવારના દિવસે શાંતિનાથ આદિ તીર્થંકરેની ૨૦૪ પ્રતિમા ભરાવી અને પ્રતિષ્ઠિત કરાવી. પેાતાના વાસસ્થાન નવાનગર ( જામનગર ) માં પણ તેમણે વિપુલ ધન ખર્ચી કૈલાસપતિ જેવા ઉંચા પ્રાસાદ કરાવ્યા અને તેની આનુ ખાન્તુ ૭૨ દેવકુલિકાઓ અને ૮ ચતુર્મુખ રા અધાવ્યાં. સા. પદ્મસિંહેશત્રુજય ઉપર પણ ઉંચા તારણા અને શિખ રોવાળુ મ્હાટુ મદિરે અનાવ્યુ અને તેમાં શ્રેયાંસ તીર્થંકર આદિ અર્હતાની પ્રતિમા સ્થાપન કરી. તથા, વળી સ ંવત્ ૧૬૭૬ ના ફાલ્ગુન માસની શુકલ દ્વિતીચાના દિવસે નવાનગરથી સા. પદ્મસિ' મ્હાટા સ'ઘ કાઢયા અને અચલગચ્છના આચાર્ય કલ્યાણસાગરની સાથે શત્રુજયની યાત્રા કરી પેાતે કરાવેલા મંદિરમાં ઉકત તીર્થંકરોની પ્રતિમાઓની ખ ઠાઠમાટ સાથે પ્રતિષ્ઠા કરાવી. આ વાચક વિનયચંદ્રગણિના શિષ્ય પતિશ્રી દેવસાગરે + પ્રશસ્તિ અનાવી છે. *. * * સા. વન્દ્વમાન અને સા. પદ્મસિંહનુ' બનાવેલું ઉકત જામનગરવાળું મદિર આજે પણ ત્યાં સુશેાભિત છે. એ મદિરમાં શિલાલેખ પણ વિદ્યમાન છે, જે આ સ`ગ્રહમાં ૪૫૫ મા નબર નીચે આપવામાં આવેલા છે. પ્રસ ગેાપાત્તથી તે લેખના સાર અત્રેજ આપી દેવા ડીક પડશે. આ લેખમાં ૧૮ પા અને અંતે થોડાક ભાગ ગદ્ય છે. પદ્મામાં આ લેખ પ્રમાણે જ અચલગચ્છની પટ્ટાવલી અને સા. વમાનની વંશાવલી આપી છે. આ વંશાવલી પ્રમાણે વમાનના કુટુંબનું વશવૃક્ષ આ પ્રમાણે થાય છે.~~ + દેવસાગર ઉત્તમ પંકિતના વિદ્વાન હતા. તેમણે હેમચદ્રાચાય ના મિયાનવિસ્તામાં કાપ ઉપર ચ્યુત્પાતરનાર નામનો ૨૦૦૦૦ બ્લેક પ્રમાણ મ્હોટી ટીકા બનાવી છે. Jain Education International ૪૪૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy