SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સઝાય પ૯ જ માગતા રહે છે. આવેલા ધન ઉપર પોતાનો સંપૂર્ણ કાબુ રાખે છે. અને નિરંતર તેનું જ ધ્યાન રહે છે અને રાખે છે. શાસ્ત્રોમાં જેઓનું જીવન જ્ઞાનગુણમાં, વાચના લેવામાં અને વાચના આપવામાં જ લયલીન રહેવાનું કહ્યું છે તેઓ જ્યારે બાહ્યભાવમાં જોડાય છે ત્યારે અર્થપ્રધાન દૃષ્ટિવાળા બન્યા છતા અર્થવાન જીવોની આસપાસ જ ફરનારા બને છે. અર્થવાળાને જ વધુ માન આપનારા બને છે. અર્થવાળાની ઘણી અપેક્ષાવાળા બની જાય છે. સવાસો ગાથાના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ જ કહ્યું છે કે “પરિગ્રહ વશ લિંગિયા લેઈ કુમતિ રજ માથે રે ! નિજગુણ પર અવગુણ લવે, ઈન્દ્રિય વૃષભ ન નાથે રે” ઢાળ છઠ્ઠી ગાથા આઠમી. I ૫ તૃપતો ન જીવ પરિગ્રહ, ઇંધણથી જિમ આગ, સલૂણે ! તૃષ્ણા-દાહ તે ઉપસમે, જલ સમ જ્ઞાન વૈરાગ, સલૂણે ! પરિગ્રહ મમતા પરિહરો | ૬ | શબ્દાર્થ - તૃપતો ન - તૃપ્ત થતો નથી, ઇંધણથી - બળતણથી, તૃષ્ણાદાહ - તૃષ્ણાની આગ, જલસમ - પાણીની સમાન, જ્ઞાનવૈરાગ - જ્ઞાન અને વૈરાગ્યથી II ક | ગાથાર્થ - જેમ ઇંધણથી આગ કદાપિ શાંત થતી નથી, તેમ આ જીવ પરિગ્રહથી કદાપિ તૃપ્ત થતો નથી, તે માટે પાણીની સમાન એવા જ્ઞાન અને વૈરાગ્ય ગુણ વડે તૃષ્ણારૂપી દાહને (આગને) ઉપશમાવવી જોઈએ 1 ક I વિવેચન - કોઈ પણ આગમાં ગમે તેટલાં બળતણ નાંખો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy