SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર “પરિગ્રહ” નામના પાંચમા પાપસ્થાનકની સજ્ઝાય પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મૂલ સલૂણે | પરિગ્રહ જેહ ધરે ઘણો, તસ તપ-જપ પ્રતિકૂલ સલૂણે || પરિગ્રહ મમતા પરિહરો || ૧ || શબ્દાર્થ પરિહરો ત્યજો, તસ તેનાં, પ્રતિકૂલ - - - અઢાર પાપસ્થાનક - Jain Education International વિરૂદ્ધ, દુઃખદાયી || ૧ || ગાથાર્થ - મમતા સ્વરૂપ પરિગ્રહને તમે ત્યજો, પરિગ્રહ એ દોષનું મૂલ છે જે જીવો ઘણા પરિગ્રહને ધારણ કરે છે. તેનાં તપજપ આદિ ધર્મ અનુષ્ઠાનો પણ (પાપનુબંધી પુણ્યબંધ કરાવવા દ્વારા) પ્રતિકૂલ ફળને આપનારાં બને છે | ૧ || વિવેચન - હવે પાંચમા પરિગ્રહ નામના પાપસ્થાનકની વાત કરે છે ઘણા લોકો “ધનનો સંગ્રહ કરવો, ભેગું કરવું, ઘણું ધન કમાવું” તેને જ પરિગ્રહ કહેવાય આમ સમજે છે અને ધન વિનાનું જીવન તેને જ અપરિગ્રહતા માને છે. આવું સમજવાથી ઘણીવાર આવા જીવો જૈનોની કટાક્ષમાં ટીકા કરતા હોય છે કે જૈનો અપરિગ્રહની મોટી મોટી વાતો કરે છે પણ જૈનો પાસે જ ઘણું ધન હોય છે.” જૈનો જ ઘણા પરિગ્રહવાળા છે. અપરિગ્રહની વાત કરનારા જ બહુ પરિગ્રહવાળા હોય છે. પરંતુ આ વાત તથા જૈનોની આ રીતે કરાયેલી ટીકા સાચી નથી. આ બાબતમાં આવી ટીકા કરનારા જીવો તત્ત્વ સમજ્યા નથી. “જો ધન ન રાખવું કે ધનનો સંચય ન કરવો” એ જ અપરિગ્રહતા હોય તો જેમ મુનિ ધન વિનાના હોવાથી અપરિગ્રહી છે તેમ ભિખારી કે નિર્ધન માણસો પણ ધન વિનાના હોવાથી અપરિગ્રહી જ ઠરશે. તે લોકો પણ વંદનીય અને પૂજનીય થશે. માટે પરિગ્રહનો અર્થ ધનસંગ્રહ નથી પણ ધનની મમતા, ધનની મુર્છા એ પરિગ્રહ છે એવો અર્થ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy