________________
અઢાર પાપસ્થાનક
મહાસતી મનોરમાની દઢ પ્રતિજ્ઞા અને શેઠનું પવિત્ર શીયળ અંતે જય પામ્યાં. રાજ સેવકોએ શેઠને જેવા શૂલી ઉપર ચઢાવ્યા. તેવી જ તે શૂલી ભાંગી ગઈ. ત્યાં જ સોનાનું સિંહાસન દેખાયું. તેના ઉપર બેઠેલા શેઠ દેખાયા અને સુદર્શન શેઠનો જયજયકાર થયો. શાસનદેવી પ્રગટ થયાં. તે દેવીએ રાણીની માયા ખુલ્લી પાડી. રાણી અભયા ગભરાઈ છતી રાતોરાત પરદેશ પલાયન થઈ ગઈ. રાજાએ શેઠને આદર સાથે નમસ્કાર કર્યા. અપરાધ બદલ રાજાએ શેઠને ખમાવ્યા. પરસ્પર બધાએ ખામણાં કર્યા ત્યારબાદ કાલાન્તરે શેઠ સંયમ લઈ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
આ પ્રમાણે સુદર્શન શેઠને વ્રતના પ્રભાવથી શૂલિનું સિંહાસન થયું, તે સમયે આકાશમાં ઘણા દેવો જેના ગુણ ગાનારા હતા અને જણાવતા હતા કે શીયળનો મહિમા જુઓ કેટલો આશ્ચર્યકારી છે. તે ૧૦ ||
મૂલ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ-નિદાન | શીલ સલિલ ધરે જિકે, તસ હુએ સુજસ વખાણ |૧૧|
શબ્દાર્થ - મૂલ ચારિત્રનું - ચારિત્રનું મૂલ છે, એ - આ બ્રહ્મચર્ય વ્રત, ભલું - શ્રેષ્ઠ છે, વૃદ્ધિ-નિદાન - વૃદ્ધિનું કારણ છે, શીલ સલિલ - શીયળ રૂપી પાણી, ઘરે જિક . જે જીવ ધારણ કરે, તસ - તેનાં, સુજસ - સારો યશ અને, વખાણ - પ્રશંસા || ૧૧ II
ગાથાર્થ - આ બ્રહ્મચર્યવ્રત એ ચારિત્રનું મૂલ છે. સમ્યકત્વની વૃદ્ધિનું કારણ છે. જે જીવો શીયળ રૂપી પાણી ધારણ કરે છે. તેનો સારો યશ અને સારી પ્રસંશા (વિના કર્થે) અવશ્ય થાય છે | ૧૧
વિવેચન - સાધુ-સાધ્વીજી મહાત્માના પાંચ મહાવ્રતોમાં અને શ્રાવક-શ્રાવિકાના ૧૨ વ્રતોમાં આ બ્રહ્મચર્ય વ્રત એ જ ચારિત્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org