________________
૪૨
ઇંદ્રતુલ્ય, રૂપે રૂપમાં, મચણ અવતાર જાણે કામદેવનો જ અવતાર હોય તેમ, સીતાએ સીતામાં આસક્ત બનેલા, રાવણ રાવણ રાજા, યથા - જેમ, છાંડવો - ત્યજી દેવો જોઈએ, પરનરનાર - પરપુરુષને અને પરસ્ત્રીને. ॥ ૬ ॥
-
-
·
દશ શીર - દશ મસ્તકો, રજમાંહે - ધૂળમાં, રોલીયાં - આળોટ્યાં-અર્થાત્ રઝળ્યાં, રાવણ રાવણ રાજા, વિવશ - પરવશ, અબંભ - અબ્રહ્મચર્ય, રામે - રામચંદ્રજીએ, ન્યાય કરવાપૂર્વક, આપણો - પોતાનો, રોપ્યો - થાપ્યો, જગ - જગતમાં, જયરંભ વિજયનો સ્તંભ. || ૭ ||
ન્યાય
Jain Education International
-
.
-
અઢાર પાપસ્થાનક
ગાથાર્થ પ્રભાવમાં ઇંદ્ર સમાન, અને રૂપમાં કામદેવના અવતાર સમાન એવા રાવણ રાજા સીતામાં આસક્ત બન્યા અને અબ્રહ્મચર્યને પરવશ થયા. જેના કારણે પોતાનાં દશે મસ્તકો ધૂળમાં પડ્યાં (યુદ્ધમાં છેદાયાં) રામચંદ્રજીએ યુદ્ધ કરીને તેને મૃત્યુદંડ આપવા દ્વારા ન્યાય ચલાવવા સ્વરૂપ પોતાનો વિજયસ્તંભ જગતમાં રોપ્યો. માટે દરેક જીવોએ પરનરને અને પરનારીને છોડી દેવી જોઈએ. II ૬-૭ ||
વિવેચન આ ગાથામાં રાવણરાજા પરનારીમાં આસક્ત બન્યા તો વિનાશને પામ્યા તેનું ઉદાહરણ સમજાવે છે.
જે રાવણ રાજા પ્રભાવમાં ઈન્દ્રતુલ્ય હતા, રૂપાળાપણામાં કામદેવના અવતાર સમાન હતા, છતાં સીતામાં (પરનારીમાં) આસક્ત બન્યા, અબ્રહ્મચર્યને (વ્યભિચારને) આધીન થયા તેથી કરીને રામ અને રાવણનું યુદ્ધ થયું. રાવણરાજા મરાયા, દશે મસ્તકો છેદાયાં અને ધૂળમાં પડ્યાં, (યુદ્ધમાં દશે મસ્તકો છેદાયાં) કુટુંબ બધું હણાયું, બહુ રાક્ષસોનો વિનાશ થયો, લંકાનગરી બળી અને દેશની છિન્નભિન્ન દશા થઈ.
For Private & Personal Use Only
www.jainelibrary.org