SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સજ્ઝાય अङ्गं गलितं, मुण्डं पलितं, दशनविहीनं जातं तुण्डं । वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् ॥ १ ॥ શરીર ગળી જાય, માથે ધોળા વાળ આવે, મુખ દાંતો વિનાનું થાય, ઘરડો થયેલો તે પુરુષ લાકડી લઈને ચાલે તો પણ ભોગની આશાનો પિંડ આ જીવ છોડતો નથી. ।। ૧ || આ કારણે મૈથુનમાં મોહાન્ધ બનેલું આખું જગત છે. જે જીવો આ મૈથુનને છોડીને, નિર્વિકારી બનીને, બ્રહ્મચર્યાદિ ગુણમાં વર્તે છે. તે જ ખરેખર આશ્ચર્ય છે. સારાંશ કે અબ્રહ્મમાં-મૈથુનમાં તો સઘળી દુનિયા લપેટાયેલી છે પણ જે લોકો આ વિકારોને જીતીને નિર્વિકારી થઈને બ્રહ્મચારીપણે વર્તે છે તે જ એક મોટું આશ્ચર્ય છે. ॥ ૧ ॥ રૂડું લાગે રે એ ધૂરે, પરિણામે અતિ અતિ ક્રૂર | ફલ કિંપાકની સારિખું, વરજે સજ્જન દૂર ॥ ૨ ॥ શબ્દાર્થ રૂડુ લાગે - મીઠું લાગે - સુખદાયી લાગે સારૂં લાગે, એ - આ મૈથુન ક્રીડા, ઘૂરે - પ્રારંભમાં, પરિણામે - કાલાન્તરે, અતિ અતિ ક્રૂર અતિશયથી અતિશય ભયંકર, ફલ કિંપાકની - કિંપાકના લ, સરિખુ - સદ્દશ, વરજે ત્યજે, સજ્જન દૂર - સજ્જન પુરુષો દૂરથી જ. | ૨ || ૩૭ - - Jain Education International - ગાથાર્થ આ મૈથુન ક્રીડા પ્રારંભમાં મીઠી લાગે પણ પરિણામે અતિશય અતિશય ભયંકર છે. કિપાકના ફલ સમાન છે તેથી સજ્જન પુરુષો તેને દૂરથી જ વર્ષે છે. || ૨ || For Private & Personal Use Only - વિવેચન - અબ્રહ્મચર્યમાં એટલે મૈથુનક્રીડામાં જોડાતાં પ્રારંભમાં સારૂં લાગે, મીઠું લાગે, સુખદાયી લાગે, પરંતુ ઘણી જીવહિંસા હોવાથી, અને રાગની-વિષય વાસનાની વૃદ્ધિ કરનાર હોવાથી www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy