________________
મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સજ્ઝાય
આ પ્રમાણે દત્ત રાજાનો ભય અને ત્રાસ હોવા છતાં પણ તેના આગ્રહને વશ ન થતાં સત્યવ્રતનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞાવાળા કાલિકાચાર્ય જેમ કદાપિ જાઠું ન બોલ્યા, તેમ સત્યવ્રતની પ્રતિજ્ઞાવાળાએ રાજાના ભયાદિ કારણોએ પણ જૂઠું ન બોલવું જોઈએ. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે -
ब्रुयाद् भियोपरोधाद्वा नासत्यं कालिकार्यवत् । यस्तु ब्रुते स नरकं प्रयाति वसुराजवत् ।।
૧૯
દ્વિતીય પ્રકાશ શ્લોક-૬૦ || ૩ ||
આસન ધરત આકાશ, વસુ ગૃપ હુઓ સુપ્રકાશ | આજ હો જુઠે રે, સુર રૂઠે ઘાલ્યો રસાતલે જી || ૪ ||
શબ્દાર્થ - આસન - બેસવા માટેનું આસન, ધરત-આકાશ આકાશમાં નિરાધાર અદ્ધર રહેવું, વસુરૃપ - વસુ નામનો રાજા, હુઓ - થયો, સુપ્રકાશ - સારી રીતે પ્રસિદ્ધ, જૂઠે રે - જૂઠું બોલવાથી, સુર રૂઠે - દેવ કોપાયમાન થયો, ઘાલ્યો નાખ્યો, રસાતલે - પૃથ્વીતલ ઉપર, ભોંય ઉપર. || ૪ ||
નીચે
ગાથાર્થ - પૃથ્વી ઉપર સારી રીતે પ્રસિદ્ધ એવો વસુ નામનો રાજા હતો, કે જેનું આસન સત્ય બોલવાના પ્રભાવથી આકાશમાં અદ્ધર રહેતું હતું, પરંતુ જૂઠ્ઠું બોલવાથી દેવ કોપાયમાન થયો અને આસન ઉપરથી ભોંય ઉપર તે રાજાને પછાડ્યો II ૪ ||
Jain Education International
વિવેચન - આ દુનિયા ઉપર “વસુ” નામનો એક રાજા થયો. જેનું આસન અદ્ધર આકાશમાં સત્યના પ્રભાવથી રહેતું હતું. તેનું સત્ય બોલવાનું અને સત્ય જીવવાનું જે વ્રત હતું. તેનાથી દેવો તેના ઉપર અત્યંત પ્રસન્ન હતા. પરંતુ એક વખત પોતાના ગુરુ પુત્રના મોહથી સંકટપ્રસંગે કંઈક જૂઠું બોલ્યા. તેથી આસનને અદ્ધર
For Private & Personal Use Only
www.jainelibrary.org