SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ રતિ-અતિ નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય જે આત્માઓ તેમાં મનને લલચાવે છે, મોહ કરે છે, એકને ઈષ્ટ અને બીજાને અનિષ્ટ સમજે છે તે જ તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોકાદિ વિકારો અને પરિણામે કલેશોને પામે છે. માટે કોઈ પણ જીવદ્રવ્ય કે પુદ્દગલ દ્રવ્યમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરવી તે ઉચિત નથી અને સમભાવમાં વર્તવું તે જ શુદ્ધ સમાધિ કહેવાય છે. જો તે ઈષ્ટાનિષ્ટ બુદ્ધિમાંથી મનને રોકવામાં આવે તો અનંત ઈચ્છાઓ અને આશાઓ થતી જ નથી. આ વાત ભોગી જીવોને નથી સમજાય તેવી, પરંતુ યોગી (અધ્યાત્મી-વૈરાગી) જીવને અવશ્ય સમજાય તેવી છે. ॥ ૨ ॥ મન-પારદ ઉડે નહી જી, પામી અતિ-રિત આગ તો હુએ સિદ્ધિ કલ્યાણનીજી, ભાવઠ જાયે ભાગ. સુગુણનર. ॥ ૩ ॥ રિત વશે અતિ કરી જી, ભૂતારત હોય જેહ | તસ વિવેક આવે નહી જી, હોય ન દુ:ખનો છેહ, - શબ્દાર્થ - મન-પારદ મનરૂપી પારો, ભાવઠ જાયે ભાગ ભવની ભાવઠ બધી ચાલી જાય, ભૂતારત પાંચ ઈન્દ્રિયોના સુખોરૂપી ભૂતોમાં આસક્ત. || ૩-૪ || - - Jain Education International ૧૭૫ સુગુણ નર, સુગુણ નર, ॥ ૪ ॥ - ગાથા અરતિ અને રતિરૂપી આગ પ્રાપ્ત કરીને મનરૂપીપારો જો ઉડે નહીં (ઉછળે નહીં) તો આત્મકલ્યાણની સિદ્ધિ થાય છે. અને ભવની આ સઘળી જંજાળ ચાલી જાય છે. રતિના For Private & Personal Use Only કારણે અરતિ ચોકસ થાય જ છે. તેથી જે આત્માઓ ભૂતોમાં રક્ત હોય છે. તેઓને સાચો વિવેક આવતો નથી અને તેઓના દુ:ખોનો છંદ પણ થતો નથી. II ૩-૪ || www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy