________________
અભ્યાખ્યાન નામના તેરમા પાપસ્થાનકની સઝાય
૧૬૧
એવું ભીનું ભીનું કરીએ કે જેનાથી સારા યશની કમાણી આ જીવને પ્રાપ્ત થાય. આપણો આત્મા દોષમુક્ત થાય અને અનેકવિધ ગુણોવાળો બને, એ જ સારો યશ સમજવો. દુનિયાની બાહ્ય પ્રશંસા કે બાહ્ય વાહવાહ તે અહીં સુયશ ન સમજવો. કારણ કે તે પ્રશંસા તો તે તે લોકોના કાર્યોની સિદ્ધિ થવાથી લોકો તરફથી આવેલી છે. જે મોહ વધારનાર હોવાથી પરભાવ દશા છે. વિભાવ દશા છે. પરંતુ આપણો આત્મા ગુણસ્થાનકોમાં જેમ જેમ વિકાસ પામતો જાય છે તે જ સાચો અને મોટો યશ જાણવો. તેની જે કમાણી છે. તે જ આ જીવનમાં સાચી કમાણી છે અને સાચેસાચ તે જ કરવા જેવી છે.
આ ઢાળમાં પણ “કીજીયે સુજસ કમાણીજી” આ પદમાં સુજસ શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું કર્તા તરીકેનું નામ ગર્ભિત રીતે સૂચવ્યું છે. પ . આ પ્રમાણે “અભ્યાખ્યાન” નામના તેરમા પાપસ્થાનકના
વર્ણનવાળી આ તેરમી ઢાળના અર્થ પણ સમાપ્ત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org