________________
રાગ નામના દસમા પાપસ્થાનકની સઝાય
૧૧૯
રાગહરણ તપ જપ કૃત ભાખ્યા રે,
તેહથી પણિ જેણે ભવફલ ચાખ્યા રે | તેહનો કોઈ ન છે પ્રતિકારો રે,
અભિય હુએ વિષ તિહાં શ્યો ચારો રે | ૫ |
શબ્દાર્થ - રાગહરણ - રાગનો નાશ કરનારાં, ૫ જપ શ્રત - તપશ્ચર્યા, મંત્રજાપ અને શ્રુતજ્ઞાન, ભાખ્યા - કહ્યા છે. તેથી પણિ - તે તપ આદિ ધર્માનુષ્ઠાનોથી, ભવફલ ચાખ્યા - સંસારમાં જ ફળો મેળવ્યા છે. તેહનો - તેનો, પ્રતિકારો - રોકનાર, અનિય - અમૃત, હુએ - હોય, તિહાં - ત્યાં, શ્યો ચારો - શો ઉપાય ? || ૫ II
ગાથાર્થ - શાસ્ત્રોમાં તપ, મંત્રજાપ અને કૃતજ્ઞાન આ ત્રણે ધર્માનુષ્ઠાનો, આત્મામાં રહેલા રાગને મટાડનારા કહ્યા છે. તપ, મંત્રજાપ અને શાસ્ત્ર અભ્યાસ રાગાદિ કષાયોના ઘાતક છે. પરંતુ જે જીવો અજ્ઞાનને વશ તપ આદિ કરીને પણ તે તપાદિથી જ સંસારસુખ લેવા ચાહે છે. તેનો પ્રતિકાર કરનાર કોઈ નથી. કારણ કે જ્યારે અમૃત જ વિષ બની જાય છે. ત્યારે બચવાનો કયો ઉપાય હોઈ શકે ? પ
વિવેચન - અનાદિકાળથી આત્મામાં લાગેલી આ રાગદશાને હણવા માટે જ જૈનશાસ્ત્રોમાં તપ, મંત્રજાપ અને શાસ્ત્રજ્ઞાન કહેલાં છે. તપ કરવાથી આહારાદિ પુદ્ગલો ઉપરનો અને શરીર ઉપરનો રાગ ઘટે છે. (દૂર થાય છે) વળી તપથી શરીર ક્ષય પામે છે અને ઈન્દ્રિયોને પુષ્ટિ ન મળવાથી વિકાર-વાસનાઓ ક્ષય પામે છે. તથા મંત્રજાપાદિ કરવાથી સાંસારિક સુખોની લાલસા ઘટે છે અને સમ્ય એવા શ્રુતજ્ઞાનથી સબુદ્ધિ પ્રાપ્ત થતાં અને સાચું આત્મતત્ત્વ સમજાતાં તમામ જીવ અને અજીવ ઉપરનો રાગ ઘટે છે. આ રીતે શાસ્ત્રોમાં તપ મંત્રજાપ અને શ્રુતજ્ઞાન ઈત્યાદિ ધર્મ અનુષ્ઠાનો રાગદશાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org