________________
૧૧૪
રાગ કેસરી છે વડરાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજા રે ।
જૈહના છોરૂ ઈન્દ્રિય પંચો રે,
તેહનો કીધો એ સકલ પ્રપંચો રે ॥ ૨ ॥
અઢાર પાપસ્થાનક
શબ્દાર્થ - કૈસરી - કેશરી સિંહ જેવો, વડરાજા - મહારાજા, વિષયાભિલાષા પાંચ વિષયોની અભિલાષા, તાજા જાગતો, યુવરાજ તુલ્ય, છોરૂ - છોકરાં, પંચો - પાંચે પાંચ, સકલ પ્રપંચો
સઘળી માયા. || ૨ ||
-
ગાથાર્થ - કેસરી સિંહ જેવી જે આ રાગદશા છે એ મોટો મહારાજા છે. પાંચ વિષયોની અભિલાષા એ રાગદશા નામના મહારાજાનો સદા સાવધાન રહેનારો મંત્રી છે. અને પાંચ ઈન્દ્રિયો તે મોહરાજાનાં છોકરાં છે. તે ત્રણેએ સાથે મળીને સંસારી જીવને ફસાવવાનો' સઘળો પ્રપંચ કર્યો છે. ॥ ૨ ॥
-
વિવેચન - દશમું પાપસ્થાનક જે “રાગદશા” છે. તે સંસારી જીવોને ફસાવવાનું કામકાજ કરવામાં મોટો મહારાજા છે. તેની આણા સર્વત્ર ચાલે છે. સર્વે સંસારી જીવો રાગને પરવશ છે. રાગ એટલે પોતાનાથી અન્ય એવા સચેતન અને અચેતન દ્રવ્યોનો પ્રેમ, સ્નેહ, આસક્તિ, મમતા.
Jain Education International
રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ ઈન્દ્રિયોના વિષયો છે. ઈન્દ્રિયો દ્વારા ભોગયોગ્ય પુદ્ગલના જે ગુણો છે તેને વિષય કહેવાય છે. ગુણોને લીધે ગુણી એવાં પુદ્ગલો પણ વિષય કહેવાય છે. આ વિષયોની ભોગવવા માટેની સતત જે અભિલાષા છે. તે આ
(૧) આ પંક્તિમાં કોઈ કોઈ પુસ્તકોમાં જેહનાને બદલે જેહને પંચોને બદલે પંચ, અને પ્રપંચોને બદલે પ્રપંચ શબ્દ છે. પણ ભાવાર્થ સરખો જ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org