SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ લોભ નામના નવમા પાપસ્થાનકની સજઝાય ૧૦૩ - દર પાડે છે. તે ૨ શબ્દાર્થ - હરિની - હરિષેણ ચક્રવર્તીની, કટક - કડવાં, વિપાક - ફળ, પીવત - પીએ છે, રક્ત - રૂધિર, લોહી, ચણા - જેમ, જલો - એક જાતનું જીવડું. II ૨ || ગાથાર્થ - જેમ શરીરમાં રહેલા ખરાબ લોહીને જલો નામની જીવાત પી જાય છે. તેમ લોભાંધ એવો આ જીવ ઘણાં માંડાં ફળોને પામે છે. આ વિષય ઉપર લોભમાં અંધ બનેલા એવા ચક્રવર્તી હરિપેણની કથા તમે સાંભળો. | ૨ | વિવેચન - “જલો” નામની એક નાની જીવાત થાય છે. તે શરીર ઉપર લગાડવાથી શરીરમાં રહેલા તમામ ખરાબ લોહીને તે ચૂસી જાય છે. એટલે કે જો સારા લોહીને નથી ચૂસતી પણ ખરાબ લોહીને જ ચૂસે છે તેવો તે જીવાતનો સ્વભાવ છે. તેવી રીતે લોભમાં અંધ બનેલા જીવો કટુક વિપાકને એટલે ખરાબ ખરાબ અવસ્થાને જ પામે છે કદાપિ સારી અવસ્થાને પામતા નથી. તેના ઉપર ચક્રવર્તી હરિની (હરિષણની) કથા શાસ્ત્રોથી જાણવાની ગ્રંથકારશ્રી ભલામણ કરે છે. જેમ ચક્રવર્તી હરિ (હરિષણ) લોભથી કડવાં ફળ પામ્યા. તેમ લોભાંધ જીવ સદા કડવાં ફળને જ પામનાર બને છે. તે ચક્રવર્તી હરિની (હરિષણની) કથા આ પ્રમાણે છે - શ્રી હરિફેણ ચક્રવર્તી એકવીસમા પ્રભુશ્રી નમિનાથના વારામાં થયા. ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં મહાહરિ નામનો રાજા હતો. તેને “મહિષી” નામની પટ્ટરાણી હતી. તેમના પુત્ર “હરિણ” નામના ચક્રવત થયા. પંદર ધનુષની ઉંચાઈ પ્રમાણ શરીર હતું. પિતાએ તે હરિષણનો યુવરાજ પદે અભિષેક કર્યો. કાળ જતાં અસ્ત્રશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું. ત્યારબાદ ક્રમશઃ ચૌદ રત્નો પ્રગટ થયાં. ચક્રરત્ન પ્રમાણે પ્રથમ પૂર્વદિશામાં માગધકુમાર દેવને, પછી વરદામપતિને અને ત્યારબાદ પ્રભાસદેવને સાધ્યો. ત્યારબાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy