SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ નકશામાં પણ ઉત્તર ધ્રુવની આજુબાજુ ચાર ટાપુઓ દર્શાવવામાં આવ્યા છે. આ ભૂગોળશાસ્ત્રી પણ એમ કહે છે કે આ ચાર ટાપુઓની આજુબાજુ વહેતી નદીઓનું પાણી જમીનમાં શોષાઈ જાય છે. આ નકશામાં ચાર મુખ્ય ટાપુઓની આજુબાજુ અસંખ્ય નાના ટાપુઓ જોવા મળે છે, જે ટેકરીઓથી ઘેરાયેલા છે. સોળમી સદીમાં પ્રકાશિત થયેલા સંખ્યાબંધ નકશાઓમાં પણ આ જ પ્રકારે ટાપુઓથી ઘેરાયેલા ઉત્તર ધ્રુવની રજૂઆત કરવામાં આવી છે. ઈસુની તેરમી સદીમાં હોકાયંત્રની શોધ કરવામાં આવી ત્યારથી એવું માનવામાં આવતું હતું કે પૃથ્વીના ઉત્તર ધ્રુવમાં ચુંબકીય પથ્થરથી બનેલો એક વિરાટ પર્વત છે. પરંતુ મર્કેટરે કયા આધારે એવો નકશો બનાવ્યો કે જેમાં આ પર્વત પાણીથી અને ચાર ટાપુઓથી ઘેરાયેલો છે? તેણે કયા આધારે એમ લખ્યું કે ટાપુની આજુબાજુની નદીઓનું પાણી ઉત્તર ધ્રુવ તરફ વહે છે અને ટાપુઓ ઉપર ઠીંગુજીઓ વસે છે? મર્કેટર કહે છે કે ઈ.સ. ૧૩૬૦ આસપાસ ઓક્સફર્ડના એક ગણિતશાસ્ત્રીએ વહાણમાં બેસીને ઉત્તર ધ્રુવ પ્રદેશનો પ્રવાસ ખેડ્યો હતો. આ પ્રવાસનું વર્ણન ‘ઇન્વેન્ટિયો ફોર્ચ્યુનેટા’ નામના પુસ્તકમાં કરવામાં આવ્યું હતું. આ પુસ્તક અત્યારે તો અપ્રાપ્ય છે પણ તેના આધારે મર્કેટરે ઉત્તર ધ્રુવનું જે વર્ણન કર્યું છે તે આપણી પાસે મોજૂદ છે. મર્કેટરના મતે ઈ.સ. ૧૩૬૦માં ઉત્તર ધ્રુવની સફર કરનારા ગણિતશાસ્ત્રીનું Jain Education International નામ નિકોલસ ડી લિન્ના હતું પણ આ બાબતમાં વિજ્ઞાનીઓમાં મતભેદ છે. ફ્રિડજોફ નેન્સન નામના લેખકે પોતાનાં ‘હેવરગેલ્મર’ નામના પુસ્તકમાં લખ્યું છે કે “ઉત્તર ધ્રુવ પાસેના સમુદ્રમાં એક વમળ છે, જેમાંથી પાણી બહાર આવતાં ભરતી આવે છે અને પાણી અંદર જતાં ઓટ આવે છે.’’ ઈ.સ. ૭૨૦-૯૦ દરમિયાન થઈ ગયેલા લેખ પોલસ વોર્નેફ્રિદીએ ‘લોન્ગોબોર્ડ' નામના પોતાના પુસ્તકમાં વર્ણન કર્યું છે કે ‘પશ્ચિમ દિશામાં દરિયો અફાટ જણાય છે ત્યાં એક મોટી ખાઈ છે, જેને આપણે દરિયાની નાભિ તરીકે ઓળખીએ છીએ. આ ખાઈ દિવસમાં બે વખત સમુદ્રનું પાણી પોતાની અંદર ચૂસી લે છે અને બે વખત પાણીનું વમન કરી કાઢે છે. તમામ સમુદ્રકાંઠે આ પ્રક્રિયા જોવા મળે છે. આપણે જે વમળની વાત કરી તેમાં વહાણો તીરની જેમ ખેંચાઈ જાય છે અને ક્યારેક તેમનો ભાંગીને ભુક્કો પણ થઈ જાય છે. ઘણી વખત તેઓ અંદર જેટલી ઝડપથી ખેંચાઈ ગયા હોય એટલા જ વેગથી બહાર ફેંકાઈ જાય છે.’’ આ બધા લેખકોએ કરેલા વર્ણનના આધારે સોળમી સદીમાં મર્કેટરે ઉત્તર ધ્રુવનો નકશો બનાવ્યો હોવાનું માનવામાં આવે છે. ‘ઈન્વેન્ટિયો ફોર્ચ્યુનેટા’ પુસ્તકમાં ઉત્તર ધ્રુવની જે ભૂગોળનું વર્ણન કરવામાં આવ્યું હતું તેનો પ્રભાવ ૧૫૦ વર્ષ સુધી બની રહેલા નકશાઓ ઉપર રહ્યો હતો. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૭૭ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy