SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ આજના વિજ્ઞાનીઓ માને છે કે પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ એક કલાકના ૧,૦૦૦ માઇલની ઝડપથી ફરે છે, જેને અંગ્રેજીમાં ‘એક્ઝીઅલ મોશન' કહેવામાં આવે છે. તેની સાથે સાથે પૃથ્વી સૂર્યની આજુબાજુ લંબગોળ ભ્રમણકક્ષામાં પણ ફરે છે, જેને અંગ્રેજીમાં ‘ઓર્બટલ મોશન' કહેવામાં આવે છે. પૃથ્વી ગતિમાન નથી પણ હકીકતમાં સ્થિર છે, એવું સાબિત કરવા માટે ડો. પેરેલક્ષે ઓગણીસમી સદીમાં કેટલાક પ્રયોગો કર્યા હતા, જેનો જવાબ આજના વિજ્ઞાનીઓ પણ આપી શક્યા નથી. આ પ્રયોગો, તેનું ગણિત અને તેની પાછળના તર્કનો અભ્યાસ કરતાં આપણા મગજમાં કોઈ જ શંકા રહેતી નથી કે પૃથ્વી સ્થિર છે. પ્રયોગ-૧ જમીન ઉપર લોખંડની એક તોપ એવી રીતે ગોઠવવામાં આવી હતી કે તેનું નાળચું આકાશ તરફ રહે અને પૃથ્વીને બરાબર કાટખૂણે રહે. આ તોપનું માત્ર નાળચું જ બહાર રહે એ રીતે તેને જમીનમાં દાટી દેવામાં આવી હતી, જેથી ગોળો છોડતી વખતે તોપ જરાપણ વિચલિત થાય નહીં. આ રીતે જમીનમાં તોપને ગોઠવ્યા અગાઉ તેમાં ગોળો અને પાઉડર ભરી દેવામાં આવ્યાં હતાં. આ તોપને ફોડવા માટેની રસ્સી બહાર કાઢીને રાખવામાં આવી હતી. બી પૃથ્વી ગતિમાન નથી પણ સ્થિર છે અસ Jain Education International બી .સી ચોક્કસ સમયે રસ્સીને આગ ચાંપવામાં આવી હતી અને તોપ ફોડનાર દૂર ચાલ્યો ગયો હતો. થોડી વારમાં તોપ ફૂટી. તોપનો ગોળો ‘એબી’ની દિશામાં ગયો હતો અને બરાબર ૩૦ સેકન્ડ પછી ‘સી’ બિંદુ પર આવીને પડ્યો હતો. આ ‘સી’ બિંદુ ‘એ’ બિંદુથી માત્ર ૮ ઇંચના અંતરે જ હતું. આ પ્રયોગ અનેક વાર કરવામાં આવ્યો હતો. દર વખતે તોપનો ગોળો તોપની એકદમ નજીક જ પડ્યો હતો. આ ગોળો વધુમાં વધુ બે ફૂટ દૂર પડ્યો હતો. તેને પૃથ્વી ઉપર પાછા આવવામાં સરેરાશ ૨૮ સેકન્ડનો સમય લાગ્યો હતો. આ પ્રયોગ ઉપરથી સાબિત થયું હતું કે પૃથ્વીના જે હિસ્સા ઉપર તોપ ગોઠવવામાં આવી હતી તે હિસ્સાએ ૨૮ સેકન્ડ દરમિયાન જરા પણ ગતિ કરી નહોતી. જો આજના વિજ્ઞાનીઓ માને છે એ મુજબ પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં કલાકના ૬૦૦ માઇલ (ઇંગ્લેંડના અક્ષાંશ ઉપર)ની ઝડપે ગતિ કરતી હોય તો આકૃતિ-૪૯માં જે પ્રક્રિયા દર્શાવવામાં આવી છે, તેવું બન્યું હોત. તોપમાંથી ગોળાને ‘એસી’ દિશામાં છોડવામાં આવ્યો છે. આ ગોળા ઉપર બે પ્રકારનાં બળ કામ કરી રહ્યાં છે. પહેલું બળ તોપનો ધક્કો છે, જે ‘એસી’ દિશામાં કામ કરી રહ્યું છે. બીજું બળ પૃથ્વીની ગતિ છે, જે ‘એબી’ દિશામાં કામ કરી રહ્યું છે. આ બન્ને બળની સંયુક્ત અસરને કારણે તોપનો ગોળો ‘એડી’ દિશામાં જવો જોઈએ. તોપનો ગોળો ‘ડી’ બિંદુ ઉપર પહોંચે ત્યાં સુધીમાં પૃથ્વીના સંભવિત પરિભ્રમણને કારણે તોપ ‘બી’ બિંદુ ઉપર આવી ગઈ હોવી જોઈએ. હવે તોપનો ગોળો નીચેની દિશામાં આવે છે ત્યારે તેની ઉપર માત્ર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ કામ કરી રહ્યું છે, જે નીચેની દિશામાં છે. તોપનો ગોળો ‘ડીબી’ જેટલું અંતર કાપે ત્યાં પૃથ્વીની ગતિને કારણે તોપ ‘એસ’ બિંદુ ઉપર આવી ગઈ હોવી જોઈએ. આ રીતે તોપનો ગોળો ૨૮ સેકન્ડ પછી પૃથ્વીને ‘બી’ બિંદુની નીચે સ્પર્શ કરશે ત્યારે તોપ ‘એસ’ બિંદુ ઉપર આવી ગઈ હશે. આ ૨૮ સેકન્ડમાં તોપ પૃથ્વીની ૬૦૦ માઇલ/કલાકની ગતિ મુજબ તેના મૂળ સ્થાનથી ૮ ૪૦૦ ફૂટ અથવા દોઢ માઇલથી દૂર આવી ગઈ હોવી જોઈએ. એટલે તોપ કરતાં ગોળો દોઢ માઇલ દૂર પડવો જોઈએ. હકીકતમાં તોપનો ગોળો ૨૮ સેકન્ડ પછી તોપની એકદમ નજીક જ આવીને પડે છે, જે એમ સૂચવે છે કે આ ૨૮ સેકન્ડમાં તોપ તેની મૂળ જગ્યાએથી જરા પણ ખસી નથી. આ પ્રયોગ ઉપરથી નિર્ણાયકપણે સાબિત થાય છે કે પૃથ્વી ગતિમાન નથી પણ સ્થિર છે. આજના વિજ્ઞાનીઓ પાસે આ વૈજ્ઞાનિક પ્રયોગનો કોઈ ખુલાસો છે ખરો? પ્રયોગ-૨ એક ટ્રેન ગતિમાં હોય ત્યારે કોઈ વ્યક્તિ ટ્રેન જે દિશામાં જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૫૬ For Private & Personal Use Only www.jaine||brary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy