SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યંતર દેવોના સુંદર મહેલો આવેલા છે. આ મહેલો બહારથી ગોળાકાર અને અંદરથી ચોરસ હોય છે. આ ભવનોને ફરના કોટ આ અને ખાઈ હોય છે. આ નગરોને દરવાજા પણ હોય છે. પાતાળમાં વ્યંતર દેવોનાં જે નગરો આવેલાં છે તે પૈકી સૌથી મોટા નગરનો વિસ્તાર એક લાખ યોજન એટલે કે સમગ્ર જંબુઢીપ જેટલો હોય છે. મધ્યમ નગરનો વિસ્તાર મહાવિદેહ ક્ષેત્ર જેટલો અને નાનામાં નાના નગરનો વિસ્તાર ભરત ક્ષેત્ર જેટલો હોય છે. પૃથ્વીના પેટાળમાં જે ઉપરની ૧૦૦ યોજન જમીન છે, તેમાંથી ઉપર અને નીચે ૧૦૧૭ યોજન છોડ્યા પછી વચ્ચે જે ૮૦ યોજન જમીન રહે તેમાં વાણવ્યંતર દેવો કરે છે. મેરુ પર્વતના પાયામાં બે પ્રતરો સામસામા આવેલા છે. આ બન્ને પ્રતરોની મધ્યમાં ગાયના સ્તનના આકારે ચાર-ચાર રૂચક પ્રદેશો છે, જે વિશ્વનું મધ્યબિંદુ છે. ૧,૮૦,૦૦૦ યોજનની જાડાઈ ધરાવતી રત્નપ્રભા પૃથ્વીના કુલ ૧૩ સ્તરો છે. આ સ્તરોની ઊંચાઈ ત્રણ-ત્રણ હજાર યોજન છે. આ ૧૩ પ્રતરોમાં વચ્ચે ૧૨ ગાળાઓ આવે છે. આ ૧૨ ગાળાઓ પૈકી ઉપરનો એક ગાળો અને નીચેનો એક ગાળો છોડીને વચ્ચેના ૧૦ ગાળાઓમાં ભવનપત્તિ દેવોના મહેલો આવેલા છે. આ મહેલો પૈકી જે સૌથી નાનો મહેલ હોય છે તેનો વિસ્તાર એક લાખ યોજન એટલે કે જંબુદ્રીપ જેટલો હોય છે. તેમાં જે સૌથી મોટા મહેલો હોય છે, તેનો વિસ્તાર અસંખ્ય યોજન જેટ્લો હોય છે. નીર્જી લોકમાં જે અસંખ્ય દ્વીપસમૂહો હોય છે તે બધાના પેટાળમાં આ ભવનો આવેલાં છે. આ ૧૩ સ્તરોના મધ્યભાગમાં પોલાણ પૃથ્વીના પેટાળમાં એક પછી એક એમ સાત પાતાળ આવેલાં છે. આ સાતનાં નામો અનુક્રમે નગમા, શર્કાપ્રભા, વાલુકાણમાં, પંકાયા, પ્રભા, તમઃપ્રભા અને તમામપ્રભા છે. આ સાત પૈકી પ્રથમ રત્નપ્રભાની જાડાઈ ૧,૮૦,૦૦૦ પોજન છે, બીજી શર્કરા પ્રભાની જાડાઈ ૧,૩૨,૦૦૦ યોજન છે. ત્રીજી વાલુકાપ્રભાની જાડાઇ ૧,૨૮,૦૦૦ યોજન છે. ચોથી પંકપ્રભાની જાડાઈ ૧,૨૦,૦૦૦ યોજન છે. પાંચમી ધૂપ્રભાની જાડાઈ ૧,૧૮,૦૦૦ પોજન છે. છઠ્ઠી નમઃપ્રભાની જાડાઈ ૧,૧૬,૦૦૦ યોજન છે અને સાતમી તમસ્તમઃપ્રભાની જાડાઈ ૧,૦૮,૦૦૦ યોજન છે. આ પ્રત્યેક પૃથ્વીની નીચે ૨૦,૦૦૦ હોય છે. આ પોલાણવાળા ભાગની દીવાલમાં નરકના જીવો પેદાયોજનની જાડાઈ ધરાવતું બરફ જેવું જામેલું પાણી છે, જેને ધનોધિ થાય છે અને પોલાણમાં પડે છે. તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર બાદ અત્યંત ઘટ્ટ વાયુ, પાતળો વાયુ અને આકાશના તબક્કાઓ આવેલા છે. આ ચાર પદાર્થો પૃથ્વીને વીંટળાઈને રહેલા છે. આપણે અગાઉ જોયું કે પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ થાળી જેવી ગોળ છે અને સ્થિર તેમ જ સપાટ છે. આજના વિજ્ઞાનીઓ એમ માને છે કે પૃથ્વીના ગર્ભમાં લાવારસ ભરેલો છે. આ લાવારસ ક્યારેક ઊકળે છે ત્યારે ધરતીકંપ થાય છે અને જ્વાળામુખીઓ ફાટે છે. આજના વિજ્ઞાનીઓ પૃથ્વીના પાતાળમાં કેટલાક કિલોમીટરથી વધુ ઊંડે જઈ શક્યા નથી, માટે તેઓ પૃથ્વીના પેટાળ બાબતમાં અજાણ છે. જૈન શાસ્ત્રો પ્રમાણે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તેનું નામ રત્નપ્રભા છે અને તેની જાડાઈ એક લાખ એંસી હજાર યોજન જેટલી છે. આ એક લાખ એંસી હજાર યોજન પૈકી ઉપરનાં એક બજાર યોજન અને નીચેનાં એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૭૮,૦૦૦ પોજનમાં ભવનપતિ દેવોના મહેલો આવેલા છે. આ આપણી પૃથ્વી પ્રભા તરીકે ઓળખાય છે. આ પૃથ્વીના પેટાળમાં પ્રથમ એક હજાર યોજન પૈકી ઉપરનાં અને નીચેનાં ૧૦૦-૧૦૦ યોજન છોડીને વચ્ચે જે ૮૦૦ યોજન રહે છે તેમાં વ્યંતર દેવોની નગરીઓ આવેલી છે. આ વ્યંતર દેવો પૃથ્વી ઉપર જંગલોમાં, પર્વતોમાં અને ગુફાઓમાં પણ રહે છે. તેઓ ભૂમિની અંદર સુંદર નગરીઓ બનાવીને રહે છે. વળી અઢી દ્વીપ એટલે કે મનુષ્ય ક્ષેત્રની બહાર જે અસંખ્ય દ્વીપો આવેલા છે તેમાં છે પણ વ્યંતર દેવો નગરીઓમાં રહે છે. આ વ્યંતર દેવો મનુષ્યની ખૂબ નજીક રહે છે અને ક્યારેક મનુષ્યના શરીરમાં ઘૂસી જઈને ત્રાસ પણ ઉપજાવે છે. વ્યંતર દેવો એક હલકા પ્રકારના દેવો છે. તેઓ ચક્રવર્તીના સેવક તરીકે પણ કામ કરે છે. પૃથ્વીના પેટાળમાં આવા અસંખ્ય દેવો વસવાટ કરી રહ્યા છે. તેમની મર્યાદા પૃથ્વીના પેટાળમાં ૦ યોજન જેટલી જ હોય છે. પૃથ્વીના પેટાળમાં વ્યંતર દેવોનાં જે નગરો ક્યાં છે તેમાં Jain Education International પૃથ્વીના પેટાળમાં જે સાત પાતાળ એલાં છે, તેમાં સાત નરકો આવેલાં છે. આ બધામાં નરકના જીવો વસવાટ કરે છે. આ સાત નરકમાં કુલ ૪૯ પ્રતરો છે. તે પૈકી પ્રથમ નરકમાં ૧ ૩, બીજા નરકમાં ૧૧, ત્રીજા નરકમાં ૯, ચોચા નરકમાં ૭, પાંચમા નરકમાં ૫, છઠ્ઠા નરકમાં ૩ અને સાતમા નરકમાં ૧ પ્રતર આવેલા છે. પૃથ્વીની નીચે ધનોદધિ, ધનવાત, તનુવાત અને આકાશ આ ચાર પદાર્થો આવેલા છે તે પ્યાલાની જેમ પૃથ્વીને ઘેરીને રહેલા છે. આ પદાર્થોના સહારે આપણી પૃથ્વી આકાશમાં અદ્ધર રહે છે. પ્રત્યેક બે પૃથ્વીની વચ્ચે આકાશ હેલું છે. આ પાતાળલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો વગેરે ન હોવાથી પ્રકાશ નથી પણ અંધકાર છે. રત્નપ્રભા પૃથ્વીમાં ભવનપતિ દેવોના જે આવાસો છે તેમાં રત્નોનો પ્રકાશ હોય છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૨૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy