SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. અહીદ્વીપની બહારની દુનિયા જ કાંઈક અનોખી છે. અઢીઝીપમાં આવેલા શાશ્વતા પદાર્થો મનુષ્યલોકમાં કેટલાક એવા પદાર્થો છે, જે શાશ્વતા હોય છે. અર્થાત્ તેમનું અસ્તિત્વ દરેક કાળમાં હોય છે. આવા ૧૭ પદાર્થો છે. (૧)શાશ્વતાપર્વતો જંબુદ્રીપમાં કુલ ૨૬૯ શાશ્વતા પર્વતો આવેલા છે. તેમાં એક મેરુ પર્વત, ૩૪ દીર્ઘ વૈતાઢ્ય, ૪ વૃત્ત વૈતાઢયો, છ વર્ષધર પર્વતો, ૧૬ વક્ષસ્કાર પર્વતો, યમકાદિ ૪ પર્વતો, ૪ ગજદંત પર્વતો અને ૨૦૦ કંચનગિરિનો સમાવેશ થાય છે. ધાતકી ખંડમાં ૫૪૦ અને પુષ્કરાર્ધ દ્વીપમાં ૫૪૧ મળીને કુલ ૧૩૫૦ પર્વતો અઢીઢીપમાં થાય છે. આ ઉપરાંત લવણ સમુદ્રમાં ૮ વેલંધર પર્વતો છે. આમ અઝીઝીપ તેમ જ લવણ સમુદ્રમાં મળીને કુલ ૧૩૫૮ શાશ્વતા પર્વતો છે. આ પૈકી પાંચ મેરુ પર્વતની જમીનમાં ઊંડાઈ એક હજાર યોજન છે. બાકીના તમામ પર્વતોની ઊંડાઈ તેમની ઊંચાઈના ચોથા ભાગ જેટલી છે. (૨)પર્વતો ઉપરનાકૂટો પર્વતો ઉપર જે અત્યંત ધારદાર પિરામિડ જેવો ભાગ હોય છે, તેને કૂટ કહેવામાં આવે છે. આવા કુલ ૨૩૭૧ ફૂટો અહીદ્વીપમાં છે. તે પૈકી ૪૬ ૭ જંબુદ્રીપમાં, ૯૪૨ ધાતકી ખંડમાં અને ૯૬ ૨ પુષ્કરાઈ દ્વીપમાં આવેલા છે. ૧ ૬ વક્ષસ્કાર પર્વતોમાં દરેકને ૪-૪ શિખરો છે. સૌમનસ અને ગંધમાદન ગજદંત પર્વતોને ૭-૭ શિખરો છે. રૂકમી અને માહિમવંત પર્વતને ૮-૮ શિખરો છે. ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વનોને, વિદ્યુતપ્રભ અને માહ્યવંત ગજદંત પર્વતોને, નિષધ, નીલવંત અને મેરુ પર્વતને ૯-૯ શિખરો છે. હિમવંત અને શિખરી પર્વત ઉપર ૧૧-૧૧ ફૂટો છે. આ પ્રમાણે ૬૧ પર્વતો ઉપર રહેલા કૂટોનો સરવાળો કરતાં કુલ સંખ્યા ૪૬૭ થાય છે. પર્વતો ઉપરના કૂટો ઉપરાંત ભૂમિ ઉપર ૬૦ ફૂટો છે. તેમાં ૩૪ ઋષભકૂટો, મેરુ પર્વત ઉપર નંદનવનમાં ૮, જંવૃક્ષને ફા પ્રથમ વનમાં ૮, શાલ્મલી વૃક્ષને ફરતા પ્રથમ વનમાં ૮ તથા, હરિકૂટ અને હરિસકૂટ એ પ્રમાણે કુલ ૬૦ ભૂમિકૂટ પર્વતો છે. (૩)પાંડુકવનની શિલાઓ જંકીપમાં એક મેરુ પર્વત છે. આ મેરુ પર્વત ઉપર આવેલા પાંડુક વનમાં ચાર દિશામાં ચાર શાશ્વત શિલાઓ આવેલી છે. ધાતકી ખંડમાં બે મેરુ પર્વત હોવાથી આઠ શિલાઓ છે. તેવી જ રીતે પુષ્કરાઈ હીપમાં પણ આઠ શિલાઓ છે. આમ અહીદ્વીપમાં કુલ ૨૦ Jain Education International શિલાઓ છે. (૪) શિલાઓ ઉપર સિંહાસનો જંબૂતીપના મેરુ પર્વતની ૪ શિલાઓ ઉપર ૬ સિંહાસનો આવેલાં છે. ધાનકી ખંડમાં ૧૨ સિંહાસનો અને પુષ્કરાર્ધમાં ૧૨ સિંહાસનો આવેલાં છે. આ રીતે કુલ ૩૦ સિંહાસનો આવેલાં છે. આ સિંહાસનો ઉપર તીર્થંકર પરમાત્માના જન્મકલ્યાણકની ઉજવણી થાય છે. (૫) કોટિશિલા જંબુદ્રીપમાં ૩૪, ધાતકી ખંડમાં ૬૮ અને પુષ્કરાર્ધ દ્વીપમાં ૬૮ એમ કુલ ૧૭૦ કોટિ શિલાઓ અઢીદ્વીપમાં આવેલી છે. (૬)વૈતાઢ્ય પર્વત ઉપર આવેલી ગુફાઓ એક નૈનાટ્ય પર્વતમાં નમિયા અને પ્રપાતા નામની ગુફાઓ આવેલી છે. આ રીતે જંબુદ્રીપમાં ૩૪ દીર્ઘ વૈતાઢ્યા પર્વતો આવેલા હોવાથી ૬.૮ ગુફાઓ આવેલી છે. ધાતકી ખંડમાં ૧૩૬ અને પુષ્કરાઇ દ્વીપમાં ૧ ૩૬ ગુફાઓ આવેલી છે. (૩)બીલો ભરત અને ઐરાવત ક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં ગંગા અને સિંધુ નદીના બન્ને કિનારા ઉપર ૯-૯ બીલો (બખોલો) એમ કુલ ૧૪૪ બખોલો આવેલી છે. ધાતકી ખંડમાં ૨૮૮ અને પુષ્કરાર્ધ દ્વીપમાં ૨૮૮ એમ કુલ ૭૨૦ બખોલો આવેલી છે. અવસર્પિણી કાળના છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણી કાળના પહેલા મારામાં મનુષ્યો આ બખોલોમાં જ ી શકે છે. (૮)માગધાદિ તીર્થો ભરતક્ષેત્રમાં ગંગા નદી જ્યાં લવણ સમુદ્રને મળે છે ત્યાં માગધ તીર્થ આવેલું છે. તથા જ્યાં સિંધુ નદી લવણ સમુદ્રને મળે છે, ત્યાં પ્રભાસ તીર્થ આવેલું છે અને આ બન્ને તીર્થની વચ્ચે વરદાન તીર્થ આવેલું છે. આવી જ રીતે ઐરાવત ક્ષેત્રમાં પણ ત્રણ તીથોં આવેલાં છે. આ ઉપરાંત મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયોમાં ત્રણત્રણ એમ બધાં મળીને કુલ ૧૦૨ તીર્થો જંબુદ્રીપમાં આવેલાં છે. તેવી રીતે ધાતકી ખંડમાં ૨૦૪ અને પુષ્કરાધં દ્વીપમાં ૨૦૪ મળીને ૫૧૦ તીર્થો અઢીપમાં આવેલાં છે. (૯)શાશ્વતાદેશો ભરતક્ષેત્રના છ ખંડના બધું મળીને ૩૨,૦૦૦ દેશો છે. આવી જ રીતે ઐરાવત ક્ષેત્રમાં પણ ૩૨,૦૦૦ દેશો આવેલા છે. મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજય પૈકી પ્રત્યેકમાં ૩૨,૦૦૦ દેશો આવેલા છે. આ રીતે જંબુદ્રીપમાં કુલ ૧૦,૮૮,૦૦૦ દેશો જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન ૧૯૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy