SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સવાલ પૂછ્યો હતો કે પૃથ્વી જો પોતાની ધરીની આજુબાજુ ફરતી હોય તો તેના ભાગો છૂટા પડીને ફેંકાઈ કેમ જતા નથી? એરિસ્ટોટલે એવો સવાલ પણ કર્યો હતો કે પૃથ્વી ફરતી હોય તો આકાશમાં ફેંકવામાં આવેલો પથ્થર તેની મૂળ જગ્યાએ કેમ પાછો આવે છે? આ સવાલોના કોઈ જવાબો બે હજાર વર્ષો સુધી કોઈ આપી શક્યું નહોતું. કોપરનિક્સે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે ‘‘પૃથ્વીની સાથે સાથે તેનું વાયુમંડળ પણ ગોળગોળ ફરે છે, માટે આકાશમાં ફેંકવામાં આવેલો પથ્થર તેના મૂળ સ્થાને પાછો ફરે છે.’’ પૃથ્વી ફરે છે એ તુક્કાનો કોઈ પુરાવો નહોતો એમ તેનું વાયુમંડળ ફરે છે એવા તુક્કાનો પણ કોઈ પુરાવો કોપરનિક્સ પાસે નહોતો. એક ખોટી માન્યતાને સાચી પુરવાર કરવા તેણે બીજી ખોટી માન્યતા આગળ કરી હતી. તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર નહોતો. આ માન્યતા માત્ર કલ્પના જ હતી. પોતાની અવેજ્ઞાનિક અને અતાર્કિક કલ્પનાના આધારે કોપરનિક્સે મધ્યમાં સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતા ગ્રહોનું કલ્પનાચિત્ર પણ બનાવી નાખ્યું. આ ગ્રહોમાં પૃથ્વીને પણ એક ગ્રહ તરીકે દર્શાવવામાં આવી હતી. કોપરનિક્સે ત્યારે એવી કલ્પના કરી હતી કે પૃથ્વી એક જ દિવસમાં સૂર્યની આજુબાજુ એક પ્રદક્ષિણા કરે છે. કોપરનિક્સે જ્યારે વિચાર્યું કે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, ત્યારે એક મુશ્કેલી ઊભી થઈ. પૃથ્વી જો આકાશમાં પરિભ્રમણ કરતી હોય તો તે અમુક તારાઓની નજીક આવે ત્યારે એ તારાઓ એકદમ પ્રકાશિત દેખાવા જોઈએ અને દૂર જાય ત્યારે ઝાંખા પડી જવા જોઈએ. આવું હકીકતમાં બનતું નથી, જેને કારણે પૃથ્વીના પરિભ્રમણની વાત ખોટી સાબિત થઈ જતી હતી. પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે કોપરનિક્સે એક બીજી ભૂલ કરી કે તારાઓ પૃથ્વીથી એટલા બધા દૂર છે કે પૃથ્વીના ફરવાને કારણે તેમના પ્રકાશમાં કોઈ ફરક પડતો નથી. કોપરનિક્સમાં આ પુસ્તકનું પ્રકાશન કરવાની હિમ્મત નહોતી નિકોલસ કોપરનિક્સ ઇટાલીની રાજધાની રોમ શહેરમાં પ્રોફેસર હતો. ઈ.સ. ૧૫૦૦ની સાલમાં તેણે પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ પૃથ્વીના પરિભ્રમણ વિશેની પોતાની થિયરી રજૂ કરી. Jain Education International કોપરનિક્સને ખ્યાલ આવ્યો કે ઇટાલીમાં રહીને આ થિયરીનો વધુ પ્રચાર કરવાનું શક્ય નથી, કારણ કે રોમન કેથોલિક ચર્ચનું વડું મથક વેટિકન રોમમાં આવેલું છે. ખ્રિસ્તી વડા ધર્મગુરુ પોપની નારાજગીના ડરથી તે પોતાના વતન પોલેન્ડમાં પાછો ફર્યો. અહીં પણ ચર્ચનો ભારે પ્રભાવ હતો. આ કારણે કોપરનિક્સમાં તેના વિચારોનો સમાવેશ કરતું પુસ્તક પ્રસિદ્ધ કરવાની હિમ્મત નહોતી. છેવટે તેણે પૃથ્વીના પરિભ્રમણ વિશેના પોતાના વિચારો ‘રિવોલ્યુશન ઓફ ધી હેવન્સી બોડીઝ’ નામના પુસ્તકમાં શબ્દબદ્ધ કર્યા અને આ પુસ્તક પોપને જ અર્પણ કર્યું. હજી પણ કોપરનિક્સમાં આ પુસ્તકનું પ્રકાશન કરવાની હિમ્મત નહોતી. તેણે આ પુસ્તક ન્યુરેમ્બર્ગ રહેતા પોતાના મિત્ર ઓસિયાન્ડરને પ્રસિદ્ધ કરવા મોકલી આપ્યું. ઓસિયાન્ડરમાં કોપરનિક્સનું પુસ્તક પ્રકાશિત કરવાની હિમ્મત નહોતી. તેણે આ પુસ્તકની પ્રસ્તાવનામાં પોપને ઉદ્દેશીને લખ્યું કે આ નવો વિચાર રજૂ કરવા માટે તેમણે કોપરનિક્સને માફ કરી દેવો જોઈએ. આ પુસ્તકમાં તેમણે એમ પણ લખ્યું કે કોપરનિક્સે આ વિચાર એક હકીકત તરીકે નહીં પણ કલ્પના તરીકે રજૂ કર્યો છે. ઈ.સ. ૧૫૪૩ની ૨૪મી મેના દિવસે આ પુસ્તક છપાઈને વયોવૃદ્ધ કોપરનિક્સના હાથમાં આવ્યું ત્યારે તે મૃત્યુ પથારીએ હતો. આ પુસ્તક તેના હાથમાં આવ્યું તેના થોડા જ કલાકોમાં કોપરનિક્સનું મૃત્યુ થયું. એ વખતે યુરોપમાં રોમન કેથોલિક ચર્ચનો પ્રભાવ એટલો જોરદાર હતો કે કોપરનિક્સની કબર ઉપર જે તકતી મારવામાં આવી હતી તેમાં પણ ક્યાંય તેના વિવાદાસ્પદ પુસ્તકનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. કોપરનિક્સના મિત્રોને પણ ખબર હતી કે પૃથ્વી વિશેની બાઇબલની માન્યતાનો વિરોધ કરવાનું શું પરિણામ આવી શકે છે. કોપરનિક્સના પુસ્તકનો રોમન કેથોલિક ચર્ચે કોઈ વિરોધ ન કર્યો પણ ઉપેક્ષા જ કરી. આ પુસ્તકની પ્રસ્તાવનામાં ઓસિયાન્ડરે લખ્યું હતું કે આ માત્ર કલ્પના છે, તેની ચર્ચ ઉપર ધારી અસર થઈ. ઈ.સ. ૧૬ ૧ ૬ માં જ્યારે ગેલિલિયોએ દૂરબીન બનાવી અવકાશનું નિરીક્ષણ કર્યું અને કોપરનિક્સની કલ્પના સાચી છે, એવો ધડાકો કર્યો ત્યારે રોમન કેથોલિક ચર્ચ એકદમ કોપરનિક્સના અને ગેલિલિયોના વિરોધમાં આવી ગયું. એ વખતે ખ્રિસ્તી પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના વડા પાદરી માર્ટિન લ્યુથર હતા. તેમણે એક વખત કોપરનિક્સની થિયરી બાબતમાં વ્યંગ કરતાં કહ્યું હતું કે ‘‘આ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy