SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સપાટીની આજુબાજુ પ્રદક્ષિણા કરીને પૃથ્વી ઉપર પાછું ફરનારું પ્રથમ અવકાશયાન બન્યું હતું. રશિયા અમેરિકા કરતાં સ્પેસ રેસમાં ખૂબ આગળ હતું પણ તેણે તથાકથિત ચંદ્ર ઉપર માણસને મોકલવાનો વિચાર ક્યારેય કર્યો નહોતો. તેનું કારણ એ હતું કે પૃથ્વીના વાતાવરણની બહાર રહેલા વાન એલન બેલ્ટનો કિરણોત્સર્ગ અવકાશયાનને અને તેમાં રહેલા અવકાશયાત્રીઓને બાળીને રાખ કરી નાખશે એવી તેને ખાતરી હતી. અમેરિકા સ્પેસ રેસમાં રશિયા કરતાં બહુ પાછળ રહી ગયું હતું. રશિયાને મહાત આપવા અમેરિકાએ એપોલો યાત્રાનો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. અમેરિકાને ખબર હતી કે ‘ચંદ્ર’ ઉપર સમાનવ અવકાશયાન મોકલવાની તેની ક્ષમતા નથી. આ કારણે તેણે એપોલો યાનને ‘ચંદ્ર’ ઉપર મોકલવાનું નાટક કરવાની યોજના ઘડી કાઢી. અત્યાર સુધી ‘ચંદ્ર' તરફ જેટલાં પણ અવકાશયાનો મોકલવામાં આવ્યાં તેમાં એટલી પ્રામાણિકતા જરૂર હતી કે તેઓ જે સ્થળને ચંદ્ર માને છે ત્યાં સુધી અવકાશયાન મોકલવામાં આવતું હતું અને તેને ‘ચંદ્ર’ની ધરતી ઉપર ઉતારવામાં પણ આવતું હતું. અમેરિકા પાસે તો આ કહેવાતા ચંદ્ર સુધી સમાનવ અવકાશયાનને પહોંચાડવાની ક્ષમતા જ નહોતી. વળી તેનો એપોલો કાર્યક્રમ ભારે નિષ્ફળતાઓથી ભરેલો હતો. આ કારણે અમેરિકાએ કહેવાતા ચંદ્ર સુધી યાન મોકલવાને બદલે તેનું નાટક કરવાનો નિર્ણય કર્યો. અમેરિકાનાં એપોલો-૧થી ૭ અવકાશયાનો ક્યારે ઊડ્યાં અને ક્યાં ગયાં તેની કોઈને જાણ નથી. એપોલો-૧ને હકીકતમાં લોન્ચપેડ ઉપર અકસ્માત નડ્યો હતો, જેમાં ત્રણ અવકાશયાત્રીઓ બળીને ખાક થઈ ગયા હતા. અગાઉ જે જેમિની યાન ઉડાડવામાં આવ્યાં હતાં તેને એપોલો-૨ થી ૭નાં નામો આપી દેવામાં આવ્યાં હતાં. અમેરિકાએ ઈ.સ. ૧૯૬૮ની ૨૧ ડિસેમ્બરે એવો દાવો કર્યો હતો કે એપોલો-૮ ના ત્રણ અવકાશયાત્રીઓ ‘ચંદ્ર'ની પ્રદક્ષિણા કરીને પાછા ફર્યા છે. હકીકતમાં આ ત્રણ અવકાશયાત્રીઓ પૃથ્વીના આકાશમાં એકાદ અઠવાડિયું આંટા મારીને પાછા ફર્યા હતા. ઈ.સ. ૧૯૬૯ની ૨૦ જુલાઈએ અમેરિકાએ એવો દાવો કર્યો હતો કે તેના બે અવકાશયાત્રીઓ ‘ચંદ્ર'ની ધરતી ઉપર પહોંચી ગયા છે. હકીકતમાં એપોલો-૧૧ ક્યારેય ચંદ્ર ઉપર અથવા તો તથાકથિત ચંદ્ર ઉપર પણ પહોંચ્યું નહોતું. આખી ઘટનાનું શૂટિંગ નેવાડાના રણમાં ઊભા કરેલા સ્ટુડિયોમાં કરીને દુનિયાને મૂર્ખ બનાવવામાં આવી હતી. ચંદ્રની ધરતી ઉપર એપોલો-૧૧ અવકાશયાનને મોકલવાનું નાટક કર્યા પછી અમેરિકાએ ત્રણ વર્ષ સુધી આ નાટક Jain Education International ચાલુ જ રાખ્યું હતું. તેણે ઈ.સ. ૧૯૬૯ની ૧૪ નવેમ્બરે એપોલો-૧૨ને ચંદ્ર ઉપર મોકલવાનું નાટક કર્યું હતું. ત્યાર બાદ ઈ.સ. ૧૯૭૦ની ૧૧ એપ્રિલે એપોલો- ૧૩ અવકાશયાનને ‘ચંદ્ર’ તરફ રવાના કરવામાં આવ્યું હતું પણ તેની સાથે રહેલું ચંદ્રયાન આકાશમાં છૂટું પડી ગયું અને અવકાશયાત્રીઓ માંડ માંડ બચ્યા હતા. અમેરિકાએ એક બાજુ ચંદ્ર ઉપર સમાનવ અવકાશયાનો મોકલવાનું નાટક ચાલુ રાખ્યું હતું પણ રશિયાએ આ બાબતમાં અમેરિકાની સ્પર્ધા નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. રશિયાએ ઝેરી કિરણોત્સર્ગથી બચવા માટે ‘ચંદ્ર’ ઉપર માનવને બદલે યંત્રમાનવને મોકલવાનો નિર્ણય કર્યો હતો. ઈ.સ. ૧૯૭૦ની ૧૨ સપ્ટેમ્બરે રશિયાનું લ્યુના-૧૬ નામનું અવકાશયાન કહેવાતા ચંદ્રની ધરતી ઉપર ઊતર્યું હતું. તેમાંથી યંત્રમાનવો બહાર આવ્યા હતા, માટીના નમૂનાઓ લીધા હતા અને પૃથ્વી પર પાછા ફર્યા હતા. આ દરમિયાન અમેરિકાએ તથાકથિત ચંદ્ર ઉપર માનવ વસાહતો સ્થાપવાની અને ચંદ્રને પૃથ્વીની કોલોની બનાવવાની ગુલબાંગો ઉડાડવા માંડી હતી. અમેરિકાના કેટલાક તુક્કાબાજોએ ચંદ્રની જમીન ઉપર પ્લોટો પાડીને તેને વેચવા પણ માંડી હતી. આ જમીનને ખરીદનારા મૂર્ખાઓનો પણ કોઈ દુકાળ નહોતો. ઈ.સ. ૧૯૭૦ના દાયકામાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે એર ટેક્સીઓ દોડાવવાની વાતો પણ ચાલતી હતી. અમેરિકાએ એપોલો-૧૪૧૫-૧૬-૧૭ એમ ચાર અવકાશયાનો ચંદ્ર ઉપર મોકલવાની જાહેરાત કરીને ચંદ્રયાત્રાનું નાટક ચાલુ રાખ્યું હતું. એ વખતે એપોલો- ૨૦ સુધીનાં અવકાશયાનો મોકલવાની યોજના હતી. કોઈ અકળ કારણોસર અમેરિકાએ આ નાટક બંધ કરી દીધું. તેણે એપોલો-૧૮-૧૯ અને ૨૦ની યોજનાઓ રદ કરી દીધી. ચંદ્ર ઉપર માનવ વસાહતો સ્થાપવાની અને હવાઈ ટેક્સીઓ દોડાવવાની યોજનાઓનું પણ બાષ્પીભવન થઈ ગયું. અમેરિકાએ ચંદ્રયાત્રાનું નાટક કેમ બંધ કરી દીધું? અમેરિકાએ ઈ.સ. ૧૯૭૨ના ડિસેમ્બર મહિનાની ૭મી તારીખે એપોલો-૧૭ યાનને ‘ચંદ્ર’ ઉપર મોકલવાનું નાટક કરી લીધું પછી તેને લાગ્યું કે હવે જો આ નાટક લાંબો સમય ચાલુ રાખવામાં આવશે તો પકડાઈ જવાશે અને ફજેતી થશે. આ કારણે તેણે ચંદ્રયાનનું નાટક સદંતર બંધ કરી દીધું. આ બાજુ રશિયાએ ઈ.સ. ૧૯૭૬ સુધી તથાકથિત ચંદ્ર ઉપર અમાનવ અવકાશયાનો મોકલવાનું અને ત્યાંની માટીના નમૂનાઓ યંત્રમાનવોનો ઉપયોગ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૪૫ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy