SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે એપોલો યાન ૨૦ લાખ સ્પેર પાર્ટ્સનું બનવાનું હતું પણ હવે તેની સંખ્યા દોઢ લાખની થઈ જતાં નકલી મિશનની સફળતા બાબતમાં કોઈ શંકા નહોતી. જોકે બી-૧ પ્રકારનાં એટલાસ એન્જિનો પણ લોન્ચ પેડ ઉપર અથવા તો લોન્ચિંગ પછી થોડી ક્ષણોમાં ધડાકાભેર તૂટી પડવાની સંભાવના રહેતી હોય છે. આ કારણે અવકાશયાત્રીઓને બચાવવા માટેનું યાન જેમનું તેમ અને કામ કરી શકે તેવું રાખવામાં આવ્યું હતું. જો કોઈ અકસ્માત થાય તો અવકાશયાત્રીઓને બચાવી લેવાનું નાટક કરવાની પણ તૈયારી રાખવામાં આવી હતી. પ્રસાર માધ્યમો અને પબ્લિક રિલેશનના દૃષ્ટિબિંદુથી સંદેશવ્યવહાર અને વાતચીત બાબતની મુદ્રિત માહિતી ઉપજાવી કાઢવી પણ જરૂરી હતી; જે કામ અત્યંત સહેલું હતું. આ સમયે એકમાત્ર રશિયા પાસે જ એથી રડાર સિસ્ટમ હતી, જે એપોલો યાનનો પીછો કરી શકે અને જૂઠાણું પારખી શકે. અમેરિકાના વિદેશ ખાતા દ્વારા અગાઉથી જ રશિયાને વિશ્વાસમાં લઈ લેવામાં આવ્યું હતું. એ વખતે રશિયાને અમેરિકા સાથે વેપારી સંબંધો વિકસાવવામાં વધુ રસ હોવાથી તેણે આ બાબતમાં ચુપકીદી રાખવાનું કબૂલી લીધું હતું. એપોલો ‘અવકાશયાત્રા'ની માહિતી દનિયા સુધી પહોંચાડવા માટે જે ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો, તેની વહેંચણી નીચે મુજબ ચાર ભાગોમાં કરવામાં આવી હતી : (૧) જનરલ પબ્લિક સમક્ષ રજૂ કરવા માટેની વિડિયો ફિલ્મ. (૨) રેડિયો ઉપર રજુ કરવા માટેની ઓડિયો ક્લિપ. (૩) ચંદ્રની ધરતી ઉપરથી કરવાનું ટીવી પ્રસારણ. (૪) બ્લેક એન્ડ વાઇટ તેમ જ રંગીન તસવીરો. જાહેર જનતા માટે સૌથી મહત્ત્વની ઘટના કેપ કેનેડી ખાતેથી એપોલો યાનનું ધનારું લોન્ચિંગ હતું. પ્રજા જો એક જાયન્ટ રોકેટને અવકાયશમાં પ્રયાણ કરતું જોઈ શકે તો તેઓ એવું માની જ લે કે આ અવકાશયાન ચંદ્ર તરફ જઈ રહ્યું છે. એક વખત સૃષ્ટિમાંદામાંથી બહાર નીકળી ગયા પછી મા રોકેટનું શું થાય છે, તેની ચિંતા કોઈ કરતું નથી. અવકાશયાત્રીઓ ચંદ્રની સફર કર્યા પછી અવકાશયાનમાં બેસીને પૃથ્વી ઉપર પાછા ફરે તેનું નાટક કરવામાં બહુ ઓછું જોખમ હતું. આ નાટક કરવા માટે અવકાશયાનને સી-૫ એ નામના માલવાહક વિમાનમાંથી દરિયામાં ફેંકવામાં આવ્યું હતું. આ રીતે દરિયામાં ફેંકતા અગાઉ તેમને દક્ષિણ હવાઈ ઉપર આવેલા એક અત્યંત ખાનગી ટાપુ ઉપરથી પિક અપ કરવામાં આવ્યા હતા. એ રસપ્રદ વાત છે કે અવકાશવીરોને લેવા માટે જે જહાજ રવાના Jain Education International કરવામાં આવ્યું હતું તેના કર્મચારીઓ જોઈ ન શકે એ રીતે જ અવકાશયાનને સમુદ્રમાં ફેંકવામાં આવ્યું હતું. ‘નાસા’એ ધાર્યું હોત તો અવકાકાયાત્રીઓને પ્રશાંત મહાસાગરમાં લી. કોઈ અણુ સબમરીનમાંથી પણ પ્રગટ કરી શકાયા હોત; પણ એરોપ્લેનની પદ્ધતિ અપનાવવામાં આવી હતી તેનું કારણ એ હતું કે તેમાં બહુ ઓછા લોકોને આ રહસ્યની જાણ થાય તેમ હતું. અમેરિકાની બનાવટી ચંદ્રયાત્રાનું રેડિયો પરથી પણ બનાવટી પ્રસારણ થાય તે માટેની પાકી વ્યવસ્થા ‘નાસા’ તરફથી કરવામાં આવી હતી. ચંદ્રયાન ઉપરથી જે રેડિયો ડેટાનું પ્રક્ષેપણ કરવાનું હતું તેને અગાઉથી જ રેકોર્ડ કરીને તૈયાર કરી રાખવામાં આવ્યા હતા. ચંદ્ર ઉપરથી આવતા રેડિયો તરંગો ઝીલવા માટે દુનિયાના વિવિધ ભાગોમાં જે સ્પેસ કોમ્યુનિકેશન સેન્ટરો ઊભાં કરવામાં આવ્યાં હતાં તેના એન્ટેના સાથે ખાનગી ટેલિફોન લાઇનો પણ જોડી દેવામાં આવી હતી. આ પ્રકારનાં સંદેશવ્યવહાર મથકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકાના પશ્ચિમ કાંઠે ઊભાં કરવામાં આવ્યાં હતાં. કોઈ શિખાઉ રેડિયો ઓપરેટરો ડાયરેક્ટ રેડિયોના તરંગો ઝીલવા માગતા હોય તો તેમના માટે આબેહૂબ બ્રોડકાસ્ટિંગની વ્યવસ્થા પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા કૃત્રિમ ઉપગ્રહથી કરવામાં આવી હતી. આ વ્યવસ્થા એવી અણિશુદ્ધ કરવામાં આવી હતી કે ચંદ્રયાન જ્યારે ચંદ્રની પાછળનાં હોય ત્યારે સંદેશવ્યવહાર કપાઈ જાય તેની પણ જોગવાઈ કરી રાખવામાં આવી હતી. ચંદ્રયાત્રાનું ટીવી ઉપર જીવંત પ્રસારણ કરવાનું કાર્ય સૌથી વધુ મનોરંજક હતું. અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર ધીમી ગતિએ જે ઊછળકૂદ કરી રહ્યા હતા એ સિમ્યુલેટરો અને મૂખ દર્શકો માટે બહુ . મહત્ત્વની કામગીરી હતી. આ માટે હોલિવૂડની ફિલ્મોમાં વર્ષોથી જે સ્લો મોશનની ટેક્નિક વાપરવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માટેનું વિડિયો શૂટિંગ ફિલ્ટરોમાંથી કરવામાં આવ્યું હતું. સ્ટાર ટ્રેક ફિલ્મનાં દશ્યોની જેમ આ દૃશ્યો સ્ટુડિયોમાં ફિલ્માંકન કરવામાં આવ્યાં હોય તેવાં પરફેક્ટ ન જણાય તે માટે તેમાં ઇલેક્ટ્રોનિક ‘ઘોંઘાટ’ પણ ઉમેરવામાં આવ્યો હતો. આમ છતાં અમેરિકાના કેટલાક બારમાં અને ક્લબોમાં ટીવી ઉપર આ દશ્યો જોઈ રહેલા પ્રેક્ષકોએ શંકા વ્યક્ત કરી હતી કે આ દશ્યો બનાવટી જણાય છે. જોકે આ સમાચાર વર્તમાનપત્રો સુધી પહોંચ્યા નહોતા. હોલિવૂડના સેટ ડિઝાઇનરો માટે સ્ટુડિયોમાં ચંદ્રની ધરતી ઊભી કરવાનું કામ અત્યંત આસાન હતું. ‘નાસા' તરફથી ચંદ્રયાત્રાની બ્લેક એન્ડ વાઇટ તેમ જ રંગીન તસવીરો પણ અગાઉથી તૈયાર કરી રાખવામાં આવી હતી. સ્પેસમાં અને ચંદ્ર ઉપર સાચાં જણાય તેવાં ચિત્રો સ્ટુડિયોમાં લેવાનું જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy