SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ એપોલો યાન ચંદ્ર સુધી પહોંચે ખરું? એપોલો૧૨ના અવકાશયાત્રીઓ ‘ચંદ્ર' ઉપર ઊતર્યા તે પછી તેમની વચ્ચે શી વાતચીત થઈ તેની નોંધ પણ ચંદ્રયાત્રા વિશે પુસ્તક લખનાર હેરી હર્ટ કરી છે. “અવકાશયાત્રી કોનાર્ડ ચંદ્રયાનથી થોડાં પગલાં દૂર ગયો અને ધૂળથી છવાયેલી સપાટી ઉપર સંતુલન મેળવ્યું. ત્યાર બાદ તેણે પોતાની આજુબાજુ રહેલી ચંદ્રની જમીનનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. અચાનક તેણે રેતીમાં અડધી ડૂબી ગયેલી ધાતુની એક ચીજ જોઈ. હકીકતમાં આ વસ્તુની તે ખોજ કરી રહ્યો હતો. કોનાર્ડ એકાએક આનંદના અતિરેકમાં બોલી ઊઠ્યો, “બોય ! તમે આ વાત માનશો નહીં. કલ્પના કરો કે તે ખાડાની બાજુમાં બેઠાં બેઠાં મેં શું જોયું? જૂનું વાહન જોયું.” “જૂનું વાહન ?” બીજા અવકાશયાત્રી બીને આ વાતનો પડઘો પાડ્યો. યસ સર !” કોનાં કહ્યું. “શું તે ચોખ્ખું જણાય છે?’ જૂનું સર્વેયર વાહન અહીંથી માત્ર ૬૦૦ ફૂટ જ દૂર છે. કેવું લાગે છે?' ‘નાસા' કહે છે કે ત્યાર પછી જે ચાર અવકાશયાનો ચંદ્ર ઉપર ગયાં તેઓ તમામ પોતાના લક્ષ્યાંકથી કેટલાક વારના અંતરે જ ઊતર્યા હતાં.” અહીં ‘નાસા' પોતાના અવકાશી મિશનની સચોટતા પુરવાર કરવાની કોશિશ કરે છે; પણ એ સમયે ‘નાસા' પાસે જે પ્રકારનાં ઉપકરણો હતાં એ જોતાં આટલી ચોકસાઈ સાથે અવકાશયાનો ચંદ્ર ઉપર ઉતારવાની વાતો ટાઢા પહોરનાં ગપ્પાઓ જેવી જ લાગે છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy