________________ હકક અનુગદારા-(૨૯૭) સમાવિષ્ટ થઈ જાય છે. પછી આમળા નાખતાં તે પણ સમાઈ જાય છે. તેમાં બોર નાખતાંતે પણ સમાવિષ્ટ થઈ જાય છે. તેમાં મગ નાખવામાં આવે તો તે પણ તેમાં પ્રવેશી જાય છે. તેમાં સરસવ નાખતાં તે પણ સમાવિષ્ટ થઈ જાય છે. તેમાં ગાની રેતી નાખીએ તોતે પણ સમાવિષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે આ દષ્ટાંતથી તે પલ્યના એવા પણ આકાશપ્રદેશો છે કે જે બાલાગ્ર ખંડોથી અસ્પષ્ટ હોય છે. આ સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ છે. 10 કોટિ-કોટી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમનું એક સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ હોય છે. [297]- આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને સાગરોપમથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? તેના વડે દષ્ટિવાદઅંગમાં દ્રવ્યોની ગણના કરવામાં આવે છે. 298] દ્રવ્ય કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે-જીવ દ્રવ્ય અને અજીવદ્રવ્ય. - અજીર્વદ્રવ્યો કેટલા પ્રકારના છે? અજીવ દ્રવ્યો બે પ્રકારના છે. રૂપી અજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય. અરૂપી અજીવ દ્રવ્ય કેટલા પ્રકારનાં છે? દસપ્રકારના કહેવામાં આવ્યા છે.ધમસ્તિકાય ધમતિકાયના દેશો ધમસ્તિકાયના પ્રદેશો અધમસ્તિકાય અધમસ્તિકાયના દેશો અધમસ્તિકાયના પ્રદેશો આકાશાસ્તિકાય આકાશાસ્તિકાયના દેશો આકાશાસ્તિકાયના પ્રદેશો અને અદ્ધાસમય. રૂપી અજીવદ્રવ્ય કેટલાં પ્રકારનું છે? ચાર પ્રકારનું છે, સ્કંધસ્કંધદેશ સ્કંધ પ્રદેશ અને પરમાણ, પગલ. આ સ્કંધાદિદ્રવ્યો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. કયા હેતુથી એમ કહેવાય છે કે સ્કંધાદિક સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે? પરમાણુપુદ્ગલ અનંત છે, દ્વિપ્રદેશિક સ્કંધો અનંત છે વાવતુ અનંત પ્રદેશિક સ્કન્ધો અનન્ત છે. આ હેતુથી કહીએ છીએ કે સ્કંધાદિ દ્રવ્યો સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. જીવદ્રવ્ય સંખ્યાત છે ? અસંખ્યાત છે કે અનંત છે ? જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. કઈ રીતે જીવદ્રવ્ય સંખ્યાત નથી. અસંખ્યાત નથી પણ અનંત છે. અસંખ્યાત નારકો છે, અસંખ્યાત અસુરકુમાર દેવો છે યાવતુ અસંખ્યાત નિતકુમારો છે. અસંખ્યાત પૃથ્વી કાયિકો યાવતુ અસંખ્યાત વાયુકાયિકો છે, અનંત વનસ્પતિકાયિકો છે. અસંખ્યાત બેઈજિયજીવો યાવતુ અસંખ્યાત ચૌઈન્દ્રિયજીવો, અસંખ્યાત તિર્યંચ પંચેન્દ્રિયજીવો, અસંખ્યાત મનુષ્યો, અસંખ્યાત વ્યંતરદેવો. અસંખ્યાત જ્યોતિષ્ક દેવો, અસંખ્યાત વૈમાનિક દેવ અને અનંત સિદ્ધો છે. આ રીતે જીવદ્રવ્ય સંખ્યાત નથી, અસંખ્યાત નથી પણ અનંત છે. [29] શરીરો કેટલા પ્રકારના કહેવામાં આવ્યા છે? શરીરો પાંચ પ્રકારના છે. ઔદારિક- વૈક્રિય આહારક- તૈજસ- કામણ , - નારક જીવોના કેટલા શરીર હોય છે ? ત્રણ શરીર હોય છે. વૈકિય તૈજસ અને કાર્મણઅસુરકુમારદેવોને કેટલા શરીર હોય? ત્રણ શરીરો હોય-વૈક્રિયક, તૈજસ અને કામણ. આ પ્રમાણે એજ ત્રણ-ત્રણ શરીરો યાવતુ સ્વનિતકુમાર સુધીના દેવોને હોય . પૃથ્વી કાયિક જીવોને કેટલા શરીર હોય છે ? ત્રણ શરીરો હોય છે. ઔદારિક તૈજસ અને કામણ. અપૂકાયિક, તેજસ્કાયિક અને વનસ્પતિકાયિક જીવોને પણ આજ ત્રણ શરીર હોય છે. વાયુકાયિક જીવોને કેટલા શરીર હોય છે? વાયુકાયિક જીવોને ચાર શરીર હોય છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ. બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચઉરિન્દ્રિ જીવોને કેટલા શરીર હોય છે ? ત્રણ શરીર હોય છે. ઔદારિક, તૈજસ અને કામણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org