________________ 348 અનુગદારા-(૨૫૨) મધ્યમાં થોડી પહોળી હોય), મુખ (જેમાં અનાજ ભરી લોકો વેચવા જાય), ઈદુર (સૂતર કે સૂતળીની બનાવેલ ગુણ), અલિંદ (ધાન્ય મૂકવાનો આધાર વિશેષ), અપચારિ (મોટી કોઠી જેવું પાત્ર વિશેષ-ખંડા). આ પાત્ર વિશેષોમાં ભરવામાં આવેલ અનાજના પ્રમાણનું પરિજ્ઞાન ધાન્યમાન પ્રમાણથી થાય છે. પ્રવાહી પદાર્થ જ જેનો વિષય છે એવું પમાન પ્રમાણ સેતિકાદિરૂપ ધાન્ય પ્રમાણથી ચતુભગ વૃદ્ધિરૂપ આત્યંતરશિખાથી યુક્ત હોય છે. ૨પપલનું એક માની નામક રસપ્રમાણ હોય છે. માનીના 64 માં ભાગ પ્રમાણ એટલે 4 પલ પ્રમાણ ચતુષષ્ટિકા', માનીનો ૩ર મો ભાગ એટલે 8 પલપ્રમાણ દ્વાત્રિશિકા', માનીનો 16 મી ભાગ એટલે 16 પલ પ્રમાણ ષોડશિકા', માનીનો આઠમો ભાગ એટલે 32 પલ પ્રમાણ ‘અભાગિયા, માનીના ચતુભગપ્રમાણ એટલે 64 પલપ્રમાણ “ચતુભગિક, માનીના અધભાગ પ્રમાણ એટલે 128 પલપ્રમાણ અધણાનિક નામક રસપ્રમાણ હોય છે. આજ મા પ્રમાણને સ્પષ્ટ કરતાં બે ચતુષ્પષ્ટિકાની 1 દ્વાર્કિંશિક, બે દ્વાત્રિશિકાની ષોડશિકા, બે ષોડશિકાની એક અષ્ટભાંગિક, બે અષ્ટભાગિકાની એક ચતુભગિકા, બે ચતુભગિકાની એક અદ્ધમાની અને બે અર્ધમાનીની એક નાની થાય છે. આ રસમાનપ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? વારક-નાનો દેગડો, ઘટક સામાન્ય કળશ, કરક-ઘટ વિશેષ કલશિકાનાનો કળશ, ગરી-ગાગર, દ્રુતિ-મશક, કરોડિકા-એવું વાસણ જેનું મુખ પહોળું હોય છે અને કુંડી વગેરે પાત્રોમાં રાખેલ રસના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે માનપ્રમાણનું સ્વરૂપ જાણવું. ઉન્માનપ્રમાણનું સ્વરૂપ કેવું છે? ત્રાજવામાં મૂકીને જે વસ્તુ તોળવામાં વે છે તેને ઉન્માન પ્રમાણ કહે છે. તે આ પ્રમાણે-અર્ધકર્ષ (પલનો આઠમો ભાગ-આ સૌ કરતાં લઘુપ્રમાણ છે), કર્મ અદ્ધપલ પલ, અર્ધતુલા, તુલા, અદ્ધભાર, ભાર, આ પ્રમાણોની નિષ્પત્તિ આ રીતે થાય છે. બે અદ્ધક બરાબર એક કર્યું, બે કર્મોનો એક અદ્ધપલ, બે અદ્ધપલોનો એક પલ. પ૦૦ પલની એક તુલા, 10 તુલાનો એક અદ્ધભાર, 20 તુલાનો એક ભાર થાય છે. આ ઉન્માન પ્રમાણથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે? આ ઉન્માન પ્રમાણથી તેજપત્ર વગેરે પત્રક, અગર, તગર, ગંધ વ્યવિશેષ, ચોક, કુકમ, ખાંડ, ગોળ, મિસરી વગેરે દ્રવ્યના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે ઉન્માનપ્રમાણનું સ્વરૂપ છે [૨પ૩-૨પક અનુમાન પ્રમાણ શું છે? જે માપવામાં આવે અથવા જેનાવડે મપાય તે અવમાન છે. તે આ પ્રમાણે હાથથી, દડથી, ધનુષથી, યુગથી, નાલિકાથી, અક્ષથી, અથવા સાંબેલાથી, માપવામાં આવે છે. ચારહાથ પ્રમાણ ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અને મુશલ હોય છે. 10 નાલિકા એટલે 40 હાથની એક રજજુ હોય છે. ધનુષ આદિ બધા સમાન માપવાળા છે છતાં ધનુષ આદિ વડે પૃથ-પૃથક વસ્તુઓ માપવામાં આવે છે. તે સર્વનો વિષય કહે છે-વાસ્તુ-ગૃહભૂમિને હાથવડે માપવામાં આવે છે, ખેતરને દંડવડે, માર્ગને ધનુષ્યથી, કૂષ્પાદિકને નાલિકાથી માપવામાં આવે છે. આ સર્વ હસ્તાદિક અવમાનસંજ્ઞક જાણવા.આ અવમાનપ્રમાણથી કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે ? ખાતકુપાદિક, ચિત-ઈટ વગેરેથી નિર્મિત પ્રાસાદ પીઠાદિ, કરવતવડે વહેરાયેલ કાષ્ઠાદિક, પટ-વસ્ત્ર, ભિત્તિ-ભીંત, પરિક્ષેપ કટ-કટાઈ, આ બધામાં સંશ્રિત દ્રવ્યોનું અવમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org