SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 294 નદીસુi-(૧૪૮) કર્યા છે. અનુત્તરીપપાતિક દશા સૂત્રનું સમ્યક્ અધ્યયન કરનારા તરૂપ આત્મા, જ્ઞાતા, વિશાતા બની જાય છે. ઉક્ત અકમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ અનુત્તરોવવાય અંગનો વિષય છે. | [૧૪૮]પહાવાગરણ સૂત્રમાં કયા વિષયનું વર્ણન છે ? પહાવગરણે સૂત્રમાં 108 પ્રશ્ન-જે વિદ્યા કે મંત્ર વિધિથી જાપકરી સિદ્ધ કર્યા હોય અને પૂછવાપર શુભાશુભ કહે, 108 અપ્રશ્ન-જે પૂછયાવિના શુભાશુભ બતાવે, 108 પ્રશ્નાપ્રશ્ન- જે પૂછવાપર કે પૂછ્યાવિના સ્વયં શુભાશુભનું કથન કરે, જેમકે-અંગુષ્ઠ પ્રશ્ન, બાહુ પ્રશ્ન, આદર્શપ્રશ્ન આદિ અન્ય પણ વિચિત્ર વિદ્યાતિશયોનું આ અંગમાં કથન કર્યું છે. એ સિવાય નાગકુમારો અને સુપર્ણ કુમારોની સાથે મુનિવરોના દિવ્ય સંવાદોનું વર્ણન કર્યું છે. પણહાવાગરણંમાં પરિમિત વાચનાઓ છે, સંખ્યાત અનુયોદ્ધારો, સંખ્યાત વેઢો, સંખ્યાત. શ્લોકો, સંખ્યાત. નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ તથા સંખ્યાત પ્રતિપત્તિઓ છે. પહાવાગરણે દ્વાદશાંગીમાં દસમું અક છે. તેમાં એક શ્રુતસ્કન્ધ, ૪પ અધ્યયન, 5 ઉદ્દેશન કાલ, 45 સમુદેશન કાલ છે. પદારિમાણથી. સંખ્યાત સહસ્ત્રપદ છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ. અનંત પર્યાય છે. પરિમિત વસ, અનંત સ્થાવર અને શાશ્વત, કત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રતિપાદિત ભાવો કહ્યા છે. પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શનથી બતાવ્યા છે. પહાવાગરણનો પાઠક તદાત્મરૂપ તથા જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ઉક્ત અશમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રશ્નવ્યાકરણનું વિવરણ છે. [149 - વિવાગસયંમાં કયા વિષયનું વર્ણન છે ? વિવગસૂર્યમાં સુકૃત-દુષ્કત અથવું શુભાશુભ કર્મોના ફલવિપાક કહ્યાં છે. આ વિપાકસૂત્રમાં દસ દુખવિપાક અને દસ સુખવિપાકના અધ્યયનો છે. દુઃખવિપાકમાં ક્યાં વિષયનું વર્ણન છે ? દુઃખવિપાકમાં–દુઃખરૂપ વિપાકને ભોગવનાર પ્રાણીઓના નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, સમવસરણ, રાજા, માતા-પિતા, ધમાચાર્ય, ધર્મકથા, આ લોકપરલોક સંબંધી ઋદ્ધિ વિશેષનરકમાં ઉત્પત્તિ, પુનઃ સંસારમાં જન્મ-મરણનો વિસ્તાર, દુઃખની પરંપરા, દુષ્ફળની પ્રાપ્તિ, સમ્યકત્વધર્મની દુર્લભતાદિ વિષયોનું વર્ણન કર્યું છે. આ દુઃખવિપાકનું વિવરણ છે. સુખવિપાક સૂત્રમાં સુખવિપાકો સુખરૂપ ફળને ભોગવનાર પુરુષોના નગર, ઉદ્યાન, વનખંડ, ચૈત્ય, સમવસરણ, રાજા, માતા-પિતા ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક-પરલોક સંબંધી દ્ધિ વિશેષ, ભોગનો પરિત્યાગ, દીક્ષા, સંયમપર્યાય, શ્રુતનું ગ્રહણ, ઉપધાન તપ, સંલેખના, ભક્ત-પ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, સુખોની પરંપરા, પુનઃ બોધિલાભ, અંતક્રિયા, ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. વિવાગસુર્યમાં પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢ, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ. સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અંગોમાં આ અગીયારમું અન છે. તેના બે શ્રુતસ્કન્ધ, વીશ અધ્યયન, વીશ ઉદેશનકાલ, વીશ સમુદ્રેશનકાલ છે. પદ-પરિમાણથી સંખ્યાત સહસ્ત્ર પદ છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર, શાશ્વત, કત, નિબદ્ધ, નિકાચિત જિનપ્રરૂપિત ભાવો કહ્યા છે તથા પ્રજ્ઞાપન, પરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શનથી સ્પષ્ટ કર્યા છે. વિવાગસૂર્યનું અધ્યયન કરનારા તતૂપ આત્મા, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ઉક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005108
Book TitleAgam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy