SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 22 નદીસ-(૧૪૩) સમવાયાંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ સમવાયાંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ સમવાયાંગનો પરિચય છે. | [143] વિવાહપન્નતિમાં કયા વિષયનું વર્ણન છે ? વિવાહપન્નતિમાં અજીવ, જીવાજીવની વ્યાખ્યા કરવામાં આવી છે. સ્વસમય, પરસમય અને સ્વ-પરસમયની વ્યાખ્યા કરવામાં આવી છે. લોક, અલોક અને લોકાલોના સ્વરૂપનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. વિવાહપન્નતિમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત. વેઢ, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત. પ્રતિપત્તિઓ છે. અંગશાસ્ત્રોમાં વિવાહપન્નતિ અંગ છે. એક શ્રુતસ્કન્ધ, એક સૌથી કાંઈક અધિક અધ્યયનો; 10 હજાર ઉદ્દેશક, 10 હજાર સમદ્દેશક, 36 હજાર પ્રશ્નોત્તર અને બે લાખ અઠ્ઠાવીસ હજાર પદાથી પદપરિમાણ છે. સંખ્યાત અક્ષર, અનંત ગમ અને અનંત પર્યાય છે. પરિમિત વસ, અનંત સ્થાવર, શાશ્વત, કત, નિબદ્ધ, નિકાચિત, જિનપ્રજ્ઞપ્ત ભાવોનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કર્યું છે. વિવાહપન્નત્તિના પાઠક તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે ચરણકરણની પ્રરૂપણા કરી છે. આ વિવાહપન્નતિ નું સ્વરૂપ છે. [૧૪૪નાયાધમકહાઓ કયા વિષયનું વર્ણન છે ? નાયધમ્મકહામાં જ્ઞાતો. (ઉદાહરણ રૂપ વ્યક્તિઓ ના, નગરો, ઉદ્યારો, ચૈત્યો-જિનાલય, વનખંડો, ભગવાનનું સમવસરણ, રાજા, માતા-પિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોક સંબંધી વિશિષ્ટદ્ધિ, ભોગનો પરિત્યાગ, દીક્ષા, પર્યાય, મૃતનું અધ્યયન, ઉપધાન-તપ, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદ-પોપગમન, દેવલોકમાં જવું પુનઃસુકુળમાં ઉત્પન્ન થવું પુનઃ બોધિનો લાભ અને અંતક્રિયાઓ (મોક્ષની પ્રાપ્તિ ઈત્યાદિ વિષયોનું વર્ણન છે. ધર્મ કથાઓના 10 વર્ગ છે. તેમાં એક-એક ધર્મકથામાં પાંચસો- પાંચસો આખ્યાયિકાઓ છે, એક-એક આખ્યાયિકામાં પાંચસો-પાંચસો ઉપાખ્યાયિકાઓ છે અને એક એક-એક ઉપાખ્યાયિકાઓમાં પાંચસો-પાંચસો આખ્યાયિકા-ઉપાખ્યાયિકાઓ છે. આ રીતે પૂર્વાપર બધા મેળવવાથી સાડાત્રણ કરોડ કથાનક છે, એમ કહ્યું છે. જ્ઞાતાધર્મકથામાં પરિમિત વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત વેઢો, સંખ્યાત શ્લોકો, સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. અંગોની અપેક્ષાએ નાયાધમ્મકહા છઠું અંગ છે. બે શ્રુત સ્કન્ધ, 19 અધ્યયન. 19 ઉદ્દેશન કાળ, 19 સમુદેશનકાળ, સંખ્યાત સહસ્ત્ર પદ પરિમાણ છે, આ રીતે સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંત પર્યાય છે. પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત, કત. નિબદ્ધ, નિકાચિત, જિનપ્રતિપાદિત ભાવોનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવ્યું છે. ઉક્ત અંગનો પાઠક તદાકરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે નાયા. ધમ્મકહામાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ તાયાધમ્મકતાનું સ્વરૂપ છે. [૧૪૫]ઉપાસકદશાંગસત્રમાં કયા વિષયનું વર્ણન છે ? ઉપાસકદશાંગમાં શ્રવણી પાસકોનાં નગર, ઉદ્યાન, ચેત્યો-૮ વનખંડ, સમવસરણ, રાજા, માતા-પિતા, ધમચાય, ધર્મકથા, આ લોક અને પરલોક સંબંધી વિશિષ્ટ ઋદ્ધિ, ભોગ-પરિત્યાગ, દીક્ષા, સંયમનો પર્યાય, શ્રતનું અધ્યયન, ઉપધાનતપ, શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005108
Book TitleAgam Deep 44 Nandisuttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 44, & agam_nandisutra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy