SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન- 3 147 પુષ્પમાલાદિનું ધારણ કરવા, વીંઝણાદિને કરવો આહારનો સંચય કરીને રાખવો, ગૃહસ્થીના પાત્રમાં ભોજન કરવું, રાજામાટે બનાવેલ આહાર લેવા અથવા બલિષ્ઠ ઔષધિ નાખી બનાવાતો આહાર લેવો, તમોને શું જોઈએ છે? એમ પૂછીને અપાયેલ આહારાદિ લેવા, મર્દન કરવું-કરાવવું, દાંત સ્વચ્છ કરવા, ગૃહસ્થને ક્ષેમ કુશળ પૂછવું, પોતાના શરીરનું પ્રતિબિમ્બ અરિસાદિમાં જોવું, પાસાદિનો જુગાર રમવો, નાલિકાશેતરંજ વગેરે બીજી રમતો રમવી, શિરપર છત્ર ધારણ કરવું, વ્યાધિ આદિની ચિકિત્સા કરવી, પગમાં પગરખાં આદિ પહેરવાં અને અગ્નિનો સમારંભ કરવો. જે ગૃહસ્થ રહેવા માટે આશ્રય આપ્યો હોય તે શય્યાતર કહેવાય તેના ઘરનું ભોજન આદિ લેવું, આસદી માંચી ઉપર, પલંગ ઉપર કે ગૃહસ્થના ઘેર જઈને બેસવું, ગાત્રની ઉદવર્તનક્રિયાઓ કરવી, ગૃહસ્થની તૈયાર્ચો કરવી, જાતિ-કુલ-ગણાદિ દેખાડીને પોતાની આજીવિકા કરવી, સર્વપ્રકારથી પ્રાસુક ન હોય-અપક્વમિશ્ર પદાર્થોનું ભોજન કરવું, ભૂખકામ આદિથી પીડિત થઈને પૂર્વ ભૂત પદાર્થોનું સ્મરણ કરવું, જે જીવોથી રહિત, થયેલા ન હોય એવી જાતના મૂળા, આદુ, ઈક્ષખંડ-શેરડીના ટુકડા, કંદ, મૂલ અને સચિત્ત ફળ તથા કાચાબીજ, આ બધાનું સેવન કરવું, સચિત્ત સંચળ, સિંધાલૂણ, રામકક્ષાર, સામુદ્રિક લવણ, ખારો અને કાળું મીઠું, એ સચિત્ત હોય તો સેવન કરવું, વસ્ત્રાદિને ધૂપ આપવો, વમન કરવું, બસ્તીકમ એનીમા વગેરે લેવો, જુલાબ લેવો, આંખોમાં અંજન આંજવું, દાંત રંગવા, ગાત્રાભંગ શરીરને તેલ મર્દન કરવું અને શરીરની ટાપ ટીપ કરવી વિભૂષા કરવી. આ સર્વે મુનિને માટે અનાચીણ છે. [૨]સંયમ અને તપમાં યુક્ત તથા વાયુવત લઘુભૂત થઈને વિચરનારા, નિગ્રન્થ મહર્ષિયોને આ સર્વે અનાચી છે- આચરવા યોગ્ય કૃત્ય નથી. [૨૭]જે પાંચ આગ્નવોને ત્યાગનારા, ત્રિગુપ્ત મન-વચન-કાયાથી ગુપ્ત, છકાય જીવોની રક્ષા કરનારા, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા, ધીર, મોક્ષ તથા મોક્ષ કારણભૂત સંયમને જેનારા હોય તે નિર્ગળ્યો છે. | [૨૮]સુસમાહિત સાધુ ગ્રીષ્મ કાલમાં આતાપના લે છે, શીતકાલમાં અપ્રાવૃત્ત. રહે અથત વસ્ત્ર ગ્રહણ ન કરે. વષકાલમાં એક સ્થાનપર ઈદ્રિયોને વશ કરીને રહે. રિપરિષહરૂપી વેરીઓને દમનારા, મોહને દૂર કરનારા તથા ઈન્દ્રિયોને જીતનારા મહર્ષિઓ સર્વ પ્રકારના દુઃખોનો નાશ કરવા માટે પરાક્રમશીલ રહે છે. [૩૦]દુષ્કર ક્રિયાઓને કરીને અને દુસહ કષ્ટોને સહન કરીને કેટલાંક મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. તો કેટલાંક કમરજથી સર્વથા રહિત થઈને સિદ્ધ થાય છે. | [૩૧]સંયમ અને તપ દ્વારા પૂવોપાર્જિત કમનો ક્ષય કરીને સિદ્ધિનો મોક્ષ માગ પ્રાપ્ત કરીને છ કાયના રક્ષક થઈને મુનિઓએ પરિનિર્વાણ- મોક્ષ પ્રાપ્ત કર્યો છે. અધ્યયન-૩-ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનચોથું- છ જવનિકાય) ફિર આયુધ્ધન મેં સાંભળ્યું છે કે તે ભગવંતે આ પ્રમાણે કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચનમાં નિશ્ચયથી ષડજીવનિકા નામક અધ્યયન શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રવેદિત સારી રીતે કહેવાયેલ અને પ્રરૂપાયેલ છે. શું તે અધ્યયનનું પઠન, મનન, ચિંતન -- -- -- -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005106
Book TitleAgam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 42, & agam_dashvaikalik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy