SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 1 28 પિનિજુત્તિ-(૫૮૧) વસ્તુના કકડા વગેરેથી લાગેલ. પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય, દરેકમાં સચિત્ત, મિશ્ર અને અચિત્ત ત્રણ પ્રકારો હોય છે. પરંતુ અહીં માત્ર સચિત્તનો જ અધિકાર લીધેલો છે. તેઉકાય, વાયુકાય અને ત્રસકાય પ્રક્ષિત હોઇ શકતા નથી, કેમકે લોકમાં તેવો. વ્યવહાર નથી. અચિત્તમાં ભસ્મ, રાખ વગેરેનું પ્રષિતપણું હોય છે. પણ તે હાથ કે વાસણ વગેરેને લાગેલ હોય તો તેનો પ્રષિતૉષ થતો નથી. સચિત્ત પ્રક્ષિતનાં ચાર ભાંગા-હાથ પ્રક્ષિત અને વાસણ પ્રક્ષિત. હાથ પ્રક્ષિત પણ વાસણ પ્રક્ષિત નહિ. વાસણ પ્રક્ષિત પણ હાથ પ્રક્ષિતનહિ. વાસણ પ્રક્ષિત નહિ અને હાથ પણ પ્રક્ષિત નહિ. પહેલા ત્રણ ભાંગનું તો નહિ ચોથા ભાંગાનું કહ્યું. ગર્પિત પ્રક્ષિતમાં ચારે ભાંગાનું કહ્યું નહિ. પ્રક્ષિત વસ્ત ગ્રહણ કરવામાં કીડી, માખી, આદિ જીવની વિરાધના થવા સંભવ રહેલો છે. માટે તેવો આહાર લેવાનો નિષેધ કરેલ છે. પ૮૨૫૯૯] પૃથ્વીકાયાદિને વિષે મુકેલું બે પ્રકારે. 1 સચિત્ત. 2 મિશ્ર સચિત્તમાં બે પ્રકાર. 1 અનંતર-આંતરા વિનાનું, ર પરંપરઆંતરાવાળું. મિશમાં બે પ્રકારે 1 અનંતર, 2 પરંપર. આ પ્રમાણે હોઈ શકે. સામાન્ય રીતે નિક્ષિપ્તના ત્રણ પ્રકારો છે. 1 સચિત્ત, 2. અચિત્ત, 3. મિશ્ર. ત્રણેમાં ચાર ચાર ભાંગા થાય છે. એટલે ત્રણ ચતુર્ભાગી થાય છે તે આ પ્રમાણે - (1) સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું. મિશ્ર ઉપર સચિત્ત મૂકેલું સચિત્ત ઉપર મિશ્ર મૂકેલું. મિશ્ર ઉપર મિશ્ર મૂકેલું. (2) સચિત્ત ઉપર સચિત્ત મૂકેલું. અચિત્ત ઉપર સચિત્ત મૂકેલું સચિત્ત ઉપર અચિત્ત મૂકેલું અચિત્ત ઉપર અચિત્ત મૂકેલું (3) મિશ્ર ઉપર મિશ્ર મૂકેલું અચિત્ત ઉપર મિશ્ર મૂકેલું મિશ્ર ઉપર અચિત્ત મૂકેલું આચિત્ત ઉપર અચિત્ત મૂકેલું સચિત્ત પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય, દરેક ઉપર સચિત્ત મૂકેલું હોય તેના છ ભેદો થાય, તે પ્રમાણે અકાય ઉપર મૂકેલાના છ ભેદો, તેઉકાયના છ ભેદો, વાઉકાયના છ ભેદો, વનસ્પતિકાયના છ ભેદો અને ત્રસકાયના છ ભેદો એમ કુલ 36 ભેદો થાય. મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર સચિત્ત પૃથ્વીકાય આદિના 36 ભાંગા સચિત્ત પૃથ્વીકાય આદિ ઉપર મિશ્ર પૃથ્વીકાય આદિના 36 ભાંગા મિશ્ર પૃથ્વીકાય આદિ ઉપર સચિત્ત પૃથ્વીકાય આદિના 36 ભાંગા કુલ 144 ભાંગા. આ પ્રમાણે બીજી અને ત્રીજી ચતુર્ભગીના 144- 14 ભાંગા જાણવા. કુલ ૪૩ર ભેદો થાય. પુનઃ આ દરેકમાં અનંતર અને પરંપર એમ ભેદો થાય છે. ત્રણ ચતુર્ભગીમાં બીજી અને ત્રીજી ચતુર્ભગીનો ચોથો ભાંગો (અચિત્ત ઉપર અચિત્ત) સાધુને કલ્પી શકે. તે સિવાયના ભાંગા ઉપર રહેલું કહ્યું નહિ. બીજા મતે સચિત્ત ઉપર સચિત્તમિશ્ર મૂકેલું. અચિત્ત ઉપર સચિતમિશ્ર મૂકેલું. સચિત્તમિશ્ર ઉપર અચિત્ત મૂકેલું. અચિત્ત ઉપર અચિત્ત મૂકેલું. આમાં પણ પૃી કાયાદિ ઉપર પૃથ્વીકાયાદિના 36-36 ભાંગા થાય છે. કુલ 144 ભાંગા. પહેલા ત્ર ભાગો ઉપર રહેલી વસ્તુ સાધુને કહ્યું નહિ, ચોથા ભાંગા ઉપર રહેલી વસ્તુ કહ્યું. આમાં માટી વગેરે ઉપર સીધાંજ પકવાન, મંડકાદિ રહેલા હોય તે અનંતર અને વાસણમાં રહેલ પકવાન્નાદિ પરંપર પૃથ્વીકાય નિક્ષિપ્ત કહેવાય. પાણી ઉપર વૃતાદિ અનંતર અને તે જ વાસણ વગેરેમાં રહેલ પરંપર અખાય નિશ્ચિત બને છે. અગ્નિકાય Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy