SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-પપ૪ 125 યોગપિંડ ઉપર શ્રી સમિતિસૂરિનું દ્રષ્ટાંત, મૂલકર્મપિંડ ઉપર અક્ષતયોનિ તથા ક્ષતયોનિ કરવા ઉપર બે સ્ત્રીનું દ્રષ્ટાંત, વિવાહ વિષયક મૂલકમપિંડ ઉપર પણ. બે સ્ત્રીનું વ્રત અને ગર્ભાધાન તથા ગર્ભપાડનારૂપ મૂલકર્મપિંડ ઉપર રાજાની બે રાણીઓનું વૃષ્ટાંત. ઉપર કહ્યા મુજબ વિદ્યા, મંત્ર, ચૂર્ણ, યોગના ઉત્સર્ગ અપવાદને જણાવનારા આગમને અનુસરનાર સાધુ જ ગણ, સંઘ કે શાસન આદિના કાર્ય અંગે ઉપયોગ કરે તો આ વિદ્યા-મંત્રાદિ દુષ્ટ નથી. તેવા કાર્ય અંગે ઉપયોગ કરી શકે. તેમાં શાસન પ્રભાવના રહેલી છે. માત્ર ભિક્ષા મેળવવા માટે ઉપયોગ કરે તો તેવો પિંડ સાધુને માટે અકથ્ય છે. મૂલકર્મપિંડ-મંગલને કરનારી લોકમાં પ્રસિદ્ધ ઔષધિ વગેરેથી સ્ત્રીઓને સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું. ધૂપ વગેરે કરવો, તથા ગર્ભાધાન, ગર્ભસ્થંભન, ગર્ભપાત કરાવવો, રક્ષાબંધન કરવું. વિવાહ લગ્નાદિ કરાવવાં કે તોડાવવાં વગેરે. ક્ષતયોનિ કરાવવી એટલે એવા પ્રકારનું ઔષધ કુમારીકા આદિને આપે કે જેથી યોનિમાંથી રૂધિર વહ્યા કરે. અક્ષતયોનિ એટલે ઔષધ આદિના પ્રયોગથી વહેતું રૂધિર બંધ થાય. આ બધુ આહારાદિ માટે કરે તો મૂલકર્મપિંડ કહેવાય. - બ્રહ્મદ્વિીપમાં દેવશમાં નામનો કુલપતિ 499 તાપસો સાથે રહે છે. પોતાનો મહિમા બતાવવા માટે સંક્રાંતિ આદિ પર્વ દિવસે દેવશમાં પોતાના પરિવાર સાથે પગે લેપ લગાડીને કૃષ્ણા નદી ઉતરીને અચલપુર નગરમાં આવતો હતો. લોકો આવો અતિશય જોઈને આશ્ચર્ય પામ્યા, તેથી ભોજન આદિ સારી રીતે આપીને તાપોનો સારો સત્કાર કરતા હતા. આથી લોકો તાપસની પ્રશંસા કરતા હતા અને જૈનોની નિંદા કરતા. હતા, તથા શ્રાવકોને કહેવા લાગ્યા કે “તમારા ગુરઓમાં છે આવી શક્તિ ?" શ્રાવકોએ આચાર્ય શ્રી સમિતિસૂરિજી પાસે જઈને વાત કરી. આચાર્ય મહારાજ સમજી ગયા કે તે પગના તળીએ લેપ લગાડીને નદી ઉતરે છે, પરંતુ તપની શક્તિથી ઉતરતો નથી.' આચાર્ય મહારાજે શ્રાવકોને કહ્યું કે તેમનું કપટ ખુલ્લું પાડવા માટે તમારે તેને એના બધા તાપસ સાથે તમારે ત્યાં જમવા માટે બોલાવવા અને જમાડતાં પહેલાં તેના પગ એવી રીતે ધોવા કે લેપોનો રાપણ ભાગ રહે નહિ. પછી શું કરવું તે હું સંભાળી લઈશ.” શ્રાવકો તાપસ પાસે ગયા. પ્રથમ તેમની ખૂબ પ્રશંસા કરી, પછી પરિવાર સહિત ભોજન કરવાનું નિમંત્રણ આપ્યું. તાપસી ભોજન માટે આવ્યા, એટલે શ્રાવકો તાપસોના પગ ધોવા લાગ્યા. કુલપતિ-મુખ્ય તાપસ ના પાડવા લાગ્યો. કેમકે પગ ધોવાય તો લેપ નીકળી જાય.” શ્રાવકોએ કહ્યું કે “પગ ધોયા વગર ભોજન કરાવીએ તો અવિનય થાય, માટે પગ ધોયા પછી જ ભોજન કરાવાય.” શ્રાવકોએ તાપસીના પગ બરાબર ધોયા પછી સારી રીતે જમાડ્યા. પછી તેમને મૂકવા માટે બધા શ્રાવકો તેમની સાથે નદી કિનારે ગયા. કુલપતિ પોતાના તાપસો સાથે નદી ઉતરવા લાગ્યો. પરંતુ લેપ નહિ હોવાથી પાણીમાં ડૂબવા લાગ્યો આ દ્રશ્ય જોતાં લોકોમાં તેમની અપભ્રાજના થઈ કે અહો ! આ તો લોકોને છેતરવા માટે લેપ લગાવીને નદી ઉતરતા હતા. આ વખતે તાપસી આદિના પ્રતિબોધ માટે સૂરિજી ત્યાં આવ્યા અને બધા લોકો સાંભળે એમ બોલ્યા કે “હે કષ્ણા ! અમારે સામે કિનારે જવું છે.’ ત્યાં તો નદીના બન્ને કાંઠા ભેગા થઈ ગયા. આ જોઈ લોકો તથા તાપસો સહિત કુલપતિ વગેરે બધા વિસ્મય પામ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy