SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ 10. પિંડનિત્તિ -(302) આપવા માટે બનાવી છે, તેમાંથી આપો.' રસોઈ કરવાનું શરૂ કરતા હોય ત્યાં કોઈ કહે કે “આટલું રાંધવાથી પુર નહિ થાય, વધારે રાંધો જેથી બધા ભિક્ષુકને આપી શકાય.” આ પ્રમાણે સાંભળવામાં આવે તો જાણી શકાય કે “આ રસોઈ યાવર્થિક-તમામ ભિક્ષકો માટેની મિશ્રદોષવાળી છે. આવો આહાર સાધુને લેવો કલ્પ નહિ. પાખડીમિશ્ન-ગૃહનાયક રસોઇ કરનારને કહે કે પાખંડીઓને આપવા માટે ભેગું વધારે રાંધજે તે પાખંડી મિશ્રદોષવાળું થયું, તે સાધુને લેવું કહ્યું નહિ. કેમકે પાખંડીમાં સાધુ પણ આવી જાય છે. અમરમિશ્ર જુદું કહ્યું નથી કારણ પાખંડી કહેવાથી શ્રમણ આવી. જાય છે. નિગ્રંથ મિશ્ર કોઈ એમ કહે કે નિગ્રંથ સાધુને આપવા માટે ભેગી વધારે રસોઈ બનાવજે.' તે નિગ્રંથ મિશ્ર કહેવાય. તે ભિક્ષા પણ સાધુને કહ્યું નહિ. [302-310] ગૃહસ્થ પોતાના માટે આહાર બનાવ્યો હોય તેમાંથી સાધુને આપવા માટે રાખી મૂકે તે સ્થાપના દોષવાળો આહાર કહેવાય. સ્થાપનાના છ પ્રકારસ્વસ્થાન સ્થાપના, પરસ્થાન સ્થાપના, પરંપર સ્થાપના, અનંતર સ્થાપના, ચિરકાલ સ્થાપના અને ઈફ્તરકાલ સ્થાપના. સ્વસ્થાના સ્થાપનાઆહારાદિ જ્યાં તૈયાર કર્યો હોય ત્યાં જ ચૂલો ઉપર સાધુને આપવા માટે રાખી મૂકવો. પરસ્થાન સ્થાપના- જ્યાં આહાર પકાવ્યો હોય ત્યાંથી લઈને બીજે સ્થાને છાજલી, શીંકુ આદિ જગ્યાએ સાધુને આપવા માટે રાખી મૂકવો. સ્થાપના રાખવાના દ્રવ્યો બે પ્રકારના હોય છે. કેટલાક વિકારી અને કેટલાક અવિકારી. જે દ્રવ્યોનો ફેરફાર થઈ શકે તે વિકારી. દૂધ શેરડી વગેરે દૂધમાંથી દહીં, છાસ, માખણ, ઘી વગેરે થાય છે. સેરડીમાંથી રસ, સાકર, ખાંડ, ગોળ વગેરે બને છે. જે દ્રવ્યોમાં ફેરફાર થઈ શકે નહિ તે અવિકારી. ઘી, ગોળ વગેરે. પરપર સ્થાપના-વિકારી દ્રિવ્યો, દૂધ, દહીં, છાશ, વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે. અનંતર સ્થાપના- અવિકારી દ્રવ્યો, ઘી, ગોળ વગેરે સાધુને આપવા માટે રાખી મૂકે. ચિરકાલ સ્થાપના-ઘી વગેરે પદાર્થ જે તેના સ્વરૂપમાં ફેરફાર થયા વગર જ્યાં સુધી રહી શકે ત્યાં સુધી સાધુને આપવા માટે રાખી મૂકે. આ ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી વર્ષ સુધીની હોય. અહીં ધ્યાન રાખવું કે ગર્ભથી કે જન્મથી પણ આઠ વર્ષ પૂરાં થયા ન હોય તેને ચારિત્ર હોતું નથી અને પૂર્વક્રોડ વર્ષથી અધિક આયુષ્યવાળાને પણ ચારિત્ર હોતું નથી. એ કારણથી ચિરકાલ સ્થાપના ઉત્કૃષ્ટ આઠ વર્ષ જૂન પૂર્વક ક્રોડ વર્ષની શાસ્ત્રકારે કહી છે. ઈવરકાલ સ્થાપના- હારબંધ રહેલા ઘર કે ઘરોમાંથી જ્યારે એક ઘેરથી સાધુ ભિક્ષા લેતા હોય ત્યારે તે સાધુની સાથેનો બીજો સંઘાટક સાધુ પાસેના જે બે ઘરોમાં દોષનો ઉપયોગ રાખી શકાય તેમ હોય તેવા બે ઘરોમાંથી ગૃહસ્થ સાધુને વહોરાવવા માટે આહારાદિ હાથમાં લઈને ઉભો રહે તે ઈન્વરકાલ સ્થાપના. આ સ્થાપનામાં ઉપયોગ રહેવાથી જો આધાકમદિ બીજા દોષ ન હોય તો) સાધુને કહ્યું. એમાં સ્થાપના દોષ ગણાય નહિ, પરંતુ તે ઉપરાંતનાં ત્રીજા આદિ ઘરોમાં આહાર લઈને ઉભા. રહ્યા હોય તો તે સ્થાપનાર્દોષવાળો આહાર સાધુને કહ્યું નહિ. સાધુને આપવા માટે આહારાદિ રાખી મૂકેલ હોય અને સાધુ આવ્યા નહિ. આથી ગૃહસ્થને એમ થાય કે સાધુ આવ્યા નહિ માટે આપણા ઉપયોગમાં લઈ લો.’ આ રીતે જો તે આહારદિમાં પોતાના ઉપયોગનો સંકલ્પ કરી દે તો તેવો આહાર સાધુને કલ્પી શકે. [૩૧૧-૩૨પ સાધુને વહોરાવવાની ભાવનાથી આહારાદિ વહેલા કે મોડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy