SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા 240 વૃત્તિથી નિવહિ કરનાર સાધુને પણ આધાકર્મી આહાર વાપરનાર સાથેનો સહવાસ, આધાકર્મી આહારનું દર્શન, ગંધ તથા એની વાતચીત પણ સાધુને લલચાવીને નીચો પાડનારી છે. માટે આધાકર્મી આહાર વાપરનાર સાધુઓ સાથે રહેવું પણ ન કહ્યું. તેના ઉપર ચોરપલ્લીનું દ્રષ્ટાંત. વસંતપુર નગરમાં અરિમર્દન રાજા રાજ્ય કરે. તેમને પ્રિયદર્શના રાણી છે. વસંતપુર નગરની નજીકમાં થોડે દૂર ભીમ નામની પલ્લી આવેલી છે. કેટલાક ભીલ જાતિના ચોરો રહે છે અને કેટલાક વાણિયા રહે છે. ભીલ લોકો નજીકના ગામોમાં જઈ લૂંટફાટ કરે, લોકોને હેરાન કરે, બળવાન હોવાથી કોઈ સામંત. રાજા કે માંડલિક રાજા તેઓને પકડી શકતા નથી. દિવસે દિવસે ભીલ લોકોનો રંજાડ વધવા લાગ્યો એટલે માંડલિક રાજાએ અરિમર્દન રાજાને આ હકીકત જણાવી. આ સાંભળી અરિમર્દન રાજા કોપાયમાન થયો અને ઘણા સુભટો વગેરે સામગ્રી સજજ કરીને ભીલ લોકોની પલ્લી પાસે આવી પહોંચ્યો. ભીલોને ખબર પડતાં તે પણ સામા થયા. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. તેમાં કેટલાક ભીલો મૃત્યુ પામ્યા, કેટલાક ભીલો નાશી ગયા. રાજાએ આખી પલ્લી ઘેરી લીધી અને બધાને કેદ કર્યો. ત્યાં રહેતા વાણિયાઓએ વિચાર્યું કે “અમે ચોર નથી, એટલે રાજા અમને કંઈ કરશે નહિ.” આમ વિચારીને તેઓએ નાશભાગ કરી નહિ પણ ત્યાં જ રહ્યા. પરંતુ રાજાના હુકમથી સૈનિકોએ તો બધાને કેદ કર્યા અને બધાને રાજા પાસે હાજર કર્યો. વાણિયાઓએ ઘણું કહ્યું કે અમે તો વાણિયા છીએ પણ ચોર નથી.” રાજાએ કહ્યું કે “તમે ભલે ચોર નથી પણ તમે તો ચોર કરતાં પણ વધારે શિક્ષાને પાત્ર છે, કેમકે અમારા અપરાધી એવા ભીલ લોકોની સાથે રહ્યા છો.' આમ કહી બધાને શિક્ષા કરી. તેમ સાધુ પણ આધાકર્મી આહાર વાપરનારની સાથે રહે તો તેને પણ દોષ લાગે છે. માટે આધાકર્મી આહાર વાપરતા હોય તેવા સાધુઓની સાથે રહેવું ન જોઈએ. અનુમોદના- આધાકર્મી આહાર વાપરનારની પ્રશંસા કરવી. આ પુણ્યશાળી છે. સારૂં સારૂં મળે છે અને રોજ સારૂં સારૂં વાપરે છે. અથવા કોઈ સાધુ એમ બોલે કે ‘અમને ક્યારેય ઇચ્છિત આહાર મળતો નથી, જ્યારે આમને તો હંમેશાં ઈચ્છિત આહાર મળે છે, તે પણ પુરેપુરો, આદરપૂર્વક, વખતસર અને ઋતુઋતુને યોગ્ય મળે છે. આથી આ સુખપૂર્વક જીવે છે, સુખી છે.' આ પ્રમાણે આધાકર્મી આહાર વાપરનારની પ્રશંસા કરવાથી અનુમોદનાનો દોષ લાગે છે. કોઈ સાધુઓ આધાકર્મી આહાર વાપરતા હોય તે જોઈને કોઈ તેમની પ્રશંસા કરે કે “ધન્ય છે, આ સુખે જીવે છે. જ્યારે બીજા કહે કે ધિક્કાર છે આમને કે શાસ્ત્રમાં નિષેધ કરેલા આહારને વાપરે છે. જે સાધુઓ અનુમોદના કરે છે તે સાધુઓને અનુમોદનાનો દોષ લાગે છે, તે સંબંધી કર્મ બાંધે છે. જ્યારે બીજાને તે દોષ લાગતો નથી. પ્રતિસેવના દોષમાં પ્રતિશ્રવણા-સંવાસ અને અનુમોદના ચાર દોષ લાગે, પ્રતિશ્રવણામાં સંવાસ અને અનુમોદના સાથે ત્રણ દોષો લાગે. સંવાસ દોષમાં સંવાસ અને અનુમોદના બે દોષ લાગે. અનુમોદના દોષમાં એક અનુમોદના દોષ લાગે. માટે સાધુઓએ આ ચારે દોષોમાંથી કોઈ દોષ ન લાગે તેની કાળજી રાખવી. આધાકર્મ કોના જેવું છે? આધાકર્મી આહાર વસેલું ભોજન, વિષ્ટા, મદિરા અને ગાયના માંસ સમાન છે. આધાકર્મી આહાર જે પાત્રમાં લાવેલા હોય કે મૂકેલો હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy