SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૪૦ પ્રવચનથી સ્પધર્મિક પણ લિંગથી સાધર્મિક નહિ- અવિરતિ સમ્યગદ્રષ્ટિથી માંડીને શ્રાવકથઈ દશમી પ્રતિમા વહન કરનાર શ્રાવક સુધીના લિંગથી સાધમિક નથી. લિંગથી સાઘર્મિક પણ પ્રવચનથી સાધર્મિક નહિ- શ્રાવકની અગીઆરમી પ્રતિમા વહન કરનાર (મુંડન-કરાવેલું હોય છે) શ્રાવક એ લિંગથી સાધર્મિક છે પણ પ્રવચનથી સાધર્મિક નથી. તેના માટે બનાવેલો આહાર સાધુને કલ્પી શકે. નિધવો સંઘ બહાર હોવાથી પ્રવચનથી સાધર્મિક નથી પણ લિંગથી સાધર્મિક છે. તેમના માટે કરેલું સાધુને કલ્પી, શકે. પરંતુ જો તેને નિહ્યવ તરીકે લોકો જાણતાં ન હોય તો તેવા નિહ્યવ માટે કરેલું પણ સાધુને કહ્યું નહિ. પ્રવચનથી સાધર્મિક અને લિંગથી પણ સાઘર્મિક-સાધુ અથવા અગીઆરમી પ્રતિમા વહન કરનાર શ્રાવક. સાધુ માટે કરેલું ન કહ્યું, શ્રાવક માટે કરેલું કહ્યું. પ્રવચનથી સાઘર્મિક નહિ અને લિંગથી પણ સાધર્મિક નહિ-ગૃહસ્થ, પ્રત્યેકબુદ્ધ અને તીર્થકર, તેમના માટે કરેલું સાધુને કહ્યું. કેમકે પ્રત્યેકબુધ્ધો અને શ્રી તીર્થંકર લિંગ અને પ્રવચનથી અતીત છે. આ જ રીતે પ્રવચન અને દર્શનની પ્રવચન અને જ્ઞાનની પ્રવચન અને ચારિત્રની પ્રવચન અને અભિગ્રહની, પ્રવચન અને ભાવનાની, લિંગ અને દર્શન કે જ્ઞાન કે ચારિત્ર કે અભિગ્રહ કે ભાવનાની ચતુર્ભગી, દર્શન સાથે જ્ઞાન, ચારિત્ર, અભિગ્રહ અને ભાવનાની ચતુર્ભગી, જ્ઞાન સાથે ચારિત્ર કે અભિગ્રહ કે ભાવનાની ચતુર્ભગી અને છેલ્લે ચારિત્ર સાથે અભિગ્રહ અને ભાવનાની ચતુર્ભગી એ પ્રમાણે બીજી વીસ ચતુર્ભાગી કરાય છે. આ દરેક ભેદમાં સાધુ માટે કરેલું હોય તો સાધુને ન કલ્પે. તીર્થંકર, પ્રત્યેકબુધ્ધ, નિહનવો અને શ્રાવક માટે કરેલું હોય તો સાધુને કલ્ય. કચા કચા પ્રકારે વાપરવાથી આધાકર્મ બંધાય? પ્રતિસેવના એટલે આધાકમાં દોષવાળા આહારાદિનું વાપરવું. પ્રતિશ્રવણા એટલે આધાકર્મી આહારના નિમંત્રણનો સ્વી કાર કરવો. સંવાસ એટલે આધાકર્મી આહાર વાપરતાં હોય તેમની સાથે રહેવું. અનુમોદના એટલે આધાકમાં આહાર વાપરતા હોય તેની પ્રસંશા કરવી. આ ચારે પ્રકારના વર્તનથી આધાકર્મ દોષનો કર્મબંધ થાય છે. આ માટે ચોર, રાજપુત્ર, ચોરની પલ્લી અને રાજદુષ્ટ માણસનું, એમ ચાર દૃષ્ટાંત છે. પ્રતિસેવના-બીજાએ લાવેલો આધાકમાં આહાર વાપરવો. બીજાએ લાવેલો આધાકર્મી આહાર વાપરતા સાધુને, કોઈ સાધુ કહે કે 'તમે સંયત થઈને આધાકર્મી આહાર કેમ વાપરો છો?” આ પ્રમાણે સાંભળીને તે જવાબ આપે કે ‘આમાં મને કંઈ દોષ નથી, કેમકે હું કંઈ આધાકર્મી આહાર લાવ્યો નથી, એ તો જે લાવે તેને દોષ લાગે. જેમાં અંગારા બીજા પાસે કઢાવે તો પોતે બળતો નથી, તેમ આધાકમ લાવે તેને દોષ લાગે. એમાં મને શું ? આ પ્રમાણે ઊંધુ દ્રષ્ટાંત આપે અને બીજાએ લાવેલો આધાકર્મી આહાર પોતે વાપરે તેનું નામ પ્રતિસેવના કહેવાય. બીજાએ લાવેલો આધાકર્મી આહાર સાધુ વાપરે તો તે વાપરવાથી આત્મા પાપકર્મથી બંધાય છે. તે સમજવા માટે ચોરનું દ્રષ્ટાંત કોઈ એક ગામમાં ઘણાં ચોર લોકો રહેતાં હતા. એક વખત. કેટલાંક ચોરો નજીકના કોઈ ગામમાં જઈને કેટલીક ગાયો ઉઠાવીને પોતાના ગામ તરફ આવતાં હતાં, ત્યાં રસ્તામાં બીજા કેટલાંક ચોરી અને મુસાફરો મળ્યાં. બધા સાથે સાથે આગળ ચાલે છે. એમ કરતો પોતાની દેશની હદ આવી ગઈ એટલે તે નિર્ભય બની કોઈ વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા અને ભોજન વખતે કેટલીક ગાયોને મારી નાખી તેનું માંસ પકાવવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy