SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 302 મહાનિસહ-પ-૭પ૪ દ્રષ્ટિવિલ સર્પ કે પ્રદિપ્ત અગ્નિ અને ઝેરની જેમ વર્જવામાં આવતો હોય તે ગચ્છ. [૭પપ લિંગ અથવુ વેશ ધારણ કરનાર અથવા અરિહંતો પોતે પણ સ્ત્રીના. હાથનો સ્પર્શ કરેતો હે ગૌતમ! તે નિશ્ચિયથી મૂલગુણથી બહાર જાણવો. ૭પ૬] ઉત્તમ કુળમાં જન્મ થયો હોય અને ગુણસંપન લબ્ધિયુક્ત હોય પણ જેને મૂલ ગુણોમાં અલના થતી હોય તેવાને પણ જેમાંથી કાઢી મૂકવામાં આવે તે ગચ્છ. - ૭પ૭ી જેમાં હિરણ્ય-સુવર્ણ ધન-ધાન્ય-કાંસા વગેરે ધાતુઓ ગાદલા ગોદડ, શયનો, આસનઆદિ ગૃહસ્થોને વાપરવા યોગ્ય પદાર્થોનો ઉપભોગ થતો નથી તે ગચ્છ, [58] જેમાં કોઈ કારણે સમર્પણ કરેલ હોય એવું પારકું હિરણય-સુવર્ણ આવેલું હોયતો ક્ષણવાર કે આંખના અધિનિમેષ સમય જેટલા વખત માટે પણ જેમાં સ્પર્શ કરવામાં આવતો નથી તે ગચ્છ. [૭પ૯ી ચપળ ચિત્તવાળી આયઓના દુર્ધર બ્રહ્મચર્ય વ્રતપાલન કરવા માટે સાત હજાર પરિહાર સ્થાનકો જ્યાં છે તે ગચ્છ. [70] જેમાં ઉત્તર-પ્રત્યુત્તરોથી આયાં સાધુની સાથે અતિક્રોધ પામીને પ્રલાપ કરતી હોય તો હે ગૌતમ તેવા ગચ્છનું શું કામ? 7i61] હે ગૌતમ ! જ્યાં ઘણા પ્રકારના વિકલ્પોના કલ્લોલો અને ચંચળ મનવાળી આયઓના વચનના અનુસાર વર્તવામાં આવે તે ગચ્છ કેમ કહેવાય ? 7i62-73] જ્યાં એક અંગવાળો માત્ર એકલો સાધુ સાધ્વીઓની સાથે બહાર એકસો હાથ ઉપરાંત આગળ ચાલે, હે ગૌતમ ! તે ગચ્છમાં કઈ મયદા? હે ગૌતમ ! જ્યાં ધર્મોપદેશ સિવાય સાધ્વીઓની સાથે આલાપ-સંલાપ-વારંવાર વાતલાપ વગેરે વ્યવહાર વર્તતો હોય તેવા ગચ્છને કેવો ગણવો? | [764-76 હે ભગવંત! સાધુઓને અનિયત વિહાર કે નિયત વિહાર હોતા નથી. તો પછી કારણે નિત્યવાસ-સ્થિરવાસ જે સેવે તેની શી હકીકત સમજવી ? હે ગૌતમ ! મમત્વભાવ રહિત થઈ નિરહંકાર પણે જ્ઞાન-દર્શનચારિત્રમાં ઉદ્યમ કરનાર હોય, સમગ્ર આરંભથી સર્વથા મુક્ત બનેલ અને પોતાના દેહ ઉપર પણ મમત્વભાવ વગરનો હોય, મુનિપણાના આચારોને આચરતો એક ક્ષેત્રમાં પણ ગીતાર્થ સો વરસ સુધી વાસ કરે તો તે આરાધક ગણેલો છે. 7i67 જેમાં ભોજન સમયે સાધુઓની માંડલીઓમાં પાત્ર સ્થાપન કરતી હોય તે સ્ત્રી રાજ્ય છે, પરંતુ તે ગચ્છ નથી. [768] જે ગચ્છમાં રાત્રે સો હાથ ઉપરાંત સાધ્વીને જવું હોય તો ચારથી ઓછી નહિ. ઉત્કૃષ્ટથી દશ એમ સાધ્વીઓ ન કરે તો તે ગચ્છ નથી. 7i9-770 અપવાદથી અને કારણ હોયતો ચારથી ઓછી સાધ્વીઓ એક ગાઉ પણ જેમાં ચાલતા હોય તે ગચ્છ કેવા પ્રકારનો ? હે ગૌતમ જે ગચ્છમાં આઠથી ઓછા સાધુઓ માર્ગમાં સાધ્વીની સાથે અપવાદે પણ ચાલે તે ગચ્છમાં કઈ મયદા? 7i71] જેમાં 3 ભેટવાળા ચક્ષુરાગાગ્નિની ઉદીરણા થાય તે રીતે સાધુ-સાધ્વી તરફ દૃષ્ટિ કરે તે ગચ્છ વિષે કઈ મર્યાદા સચવાય? [72] જેમાં આર્યાએ વહોરેલા પાત્રા દંડ વગેરે વિવિધ ઉપકરણોનો સાધુઓ પરિભોગ કરે છે ગૌતમ! તે ગચ્છ કેમ કહેવાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy