SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ 300 મહાનિસીહ-પ-૭૨૫ (તપાચારના બાર) અને વિચારના છત્રીસ આચાર, તેમાં બલ અને વીર્ય છૂપાવ્યા વગર અગ્લાનિએ ખૂબ એકાગ્ર મન-વચન-કાયાના યોગો કરીને ઉધમ કરનાર થાય. એવા પ્રકારના શિષ્યો જેમાં હોય તે ગચ્છ કહેવાય. [72] ગુરુ મહારાજ કઠોર આકરી, નિષ્ફર વાણીથી સેંકડો વખત ક્ષકા આપે તો પણ શિષ્યો જે ગચ્છમાં સામો પ્રત્યુત્તર ન આપે તો ગચ્છ કહેવાય. [727 તપ પ્રભાવથી અચિન્ય ઉત્પન્ન થએલી લબ્ધિ તેમજ અતિશયવાળી દ્ધિ મેળવેલી હોયતો પણ જેગચ્છમાં ગુરુની અવહેલના શિષ્યો ન કરે તે ગચ્છ કહેવાય. 7i28] એક વખત કડક પાખંડીઓની સાથે વાદ કરીને વિજય પ્રાપ્ત કર્યો હોય, યશ સમૂહ ઉપાર્જન કર્યો હોય એવા શિષ્ય પણ જે ગચ્છમાં ગુરુની હીલના-અવગણના કરતો નથી તે ગઠ્ઠ કહેવાય. f729] જેમાં અઅલિત, એક બીજામાં અક્ષરો ન મળી જાય તેમ આડા-અવળા, અક્ષરો જેમાં બોલતાં ન હોય તેવા અક્ષરવાળા, પદો અને અક્ષરોથી વિશુદ્ધ, વિનય અને ઉપધાન - પૂર્વક મેળવેલા બાર અંગના સૂત્રો અને શ્રુતજ્ઞાન જેમાં મેળવાતા હોય તે ગચ્છ. 7i30] ગુરુના ચરણની ભક્તિ સમૂહથી તેમજ તેમની પ્રસન્નતાથી જેમણે આલાવાઓ પ્રાપ્ત કરેલા છે એવા સુશિષ્યો એકાગ્રમનથી જેમાં અધ્યયન કરતા હોય હે ગૌતમ! તે ગચ્છ કહેવાય. [731 ગ્લાન, નવદીક્ષિત, બાળક આદિથી યુક્ત ગચ્છની દશપ્રકારની વિધિપૂર્વક જેમાં ગુરુની આજ્ઞાથી વેયાવચ્ચે થતી હોય તે ગચ્છ કહેવાય. 7i32] જેમાં દશ પ્રકારની સામાચારી ખંડીત થતી નથી, જેમાં રહેલા ભવ્ય સત્ત્વોના જીવોના સમુદાય સિદ્ધિ પામે છે. બોધ પામે છે તે ગચ્છ. [733] 1- ઈચ્છાકાર, 2- મિચ્છાકાર, 3- તથાકાર, 4- આવશ્વિકી, પ-નૈધિકી, - આ પૃચ્છા, 7- પ્રતિકૃચ્છા, 8- છંદના, 9. નિમંત્રણા, 10- ઉપસંપદા, આ દશ પ્રકારની સામાચારી જે જે સમયે કરવાની હોય ત્યારે કરે તે ગચ્છ. [734 જેમાં નાના સાધુ મોટાનો વિનય કરે તેનાથી નાના મોટાની ખબર પડે. એક દિવસ પણ જે દીક્ષા-પર્યાયમાં મોટો હોય. તેની અવગણના ન થાય તે ગચ્છ. ૭િ૩પ ગમે તેવો ભયંકર દુષ્કાળ હોય, પ્રાણ પરિત્યાગ કરવો પડે તેવો પણ પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ સહસાકાર હે ગૌતમ ! સાધ્વીએ વહોરી લાવેલી વસ્તુ ન વાપરે તે ગચ્છ કહેવાય. 7i36] જેના દાંત પડીગયા હોય તેવા વૃદ્ધ-સ્થવિરો પણ સાધ્વીઓ સાથે વાત કરતા નથી. તેમજ સ્ત્રીઓનાં અંગો કે ઉપાંગોનું નિરીક્ષણ જેમાં કરાતું નથી તે ગચ્છ. 7i37] જે ગચ્છમાં રૂ૫ સંનિધિ- ઉપભોગ માટે સ્થાપિત વસ્તુ રાખવામાં આવતી નથી, તૈયાર કરાયેલા ભોજનાદિક સામે લાવીને અપાતા આહારાદિના નામ ગ્રહણ કરતાં અને પૂર્તિકર્મ દોષવાળા આહારથી ભય પામેલા, પાતરાઓ વારંવાર ધોવા પડશે એવા ભયથી, દોષ લાગવાના ભયથી, ઉપયોગવંત સાધુઓ જેમાં હોય તે ગચ્છ. [738] જેમાં પાંચ અંગો જેના કામ પ્રદિપ્ત કરનાર છે, દુર્ય યૌવન ખીલેલું છે, મોટો અહંકાર છે એવા કામદેવથી પીડિત મુનિ હોય તો પણ સામે તિલોત્તમા દેવાંગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy