________________ 294 મહહનસીહ-જાવ૬૮૩ સિદ્ધગતિમાં ગયો. હે ભગવંત! કેવી રીતે? હે ગૌતમ ! મહાનુભાવ નાગિલે તે કુશીલ સાધુઓ પાસેથી છૂટો પડીને ઘણા શ્રાવકો અને વૃક્ષોથી વ્યાપ્ત ઘોર ભયંકર અટવીમાં સર્વ પાપ કલિમલના કલંકથી રહિત ચરમ હિતકારી સેંકડો ભવોમાં પણ અતિદુર્લભ તીર્થકર ભગવંતનું વચન છે એમ જાણીને નિર્જીવ પ્રદેશમાં જેમાં શરીરની સારસંભાળ. ટીપ ટીપ ન કરવા પડે તેવું નિરતિચાર પાદપોપગમન અનસન અંગીકાર કર્યું. હવે કોઈ સમયે તે જ પ્રદેશમાં વિચરતા અરિષ્ટનેમિતીર્થંકરભગવાન અચલિત સત્ત્વવાળા આભવ્યાત્માની પાસે તેના ઉપકાર માટે આવી પહોંચ્યા. ઉત્તમાર્થ સમાધિમરણ સાધી આપનાર અતિશયવાળી દેશના કહી. જળવાળા મેઘની સરખી ગંભીર અને દેવ દુંદુભિ સમાન સુંદર સ્વરવાળી તીર્થકરની વાણી શ્રવણ કરતો શુભ અધ્યવસાય કરતો અપૂર્વકરણથી ક્ષપક શ્રેણીમાં આરુઢ થયો. અંતકતુ કેવલી, થયો. આ કારણથી એ પ્રમાણે કહેવાય છે કે હે ગૌતમ! તે સિદ્ધિ પામ્યો. માટે હે ગૌતમ ! કુશીલ સંસર્ગીનો ત્યાગ કરનારને આટલું અંતર થાય છે. ચોથાઅધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જરછાયા" પૂર્ણ. | આ ચોથાઅધ્યયનમાં ઘણા સિદ્ધાંતજ્ઞાતા કેટલાંક આલાપકોની સમ્યગુ શ્રદ્ધા નથી કરતા. તેઓ અશ્રદ્ધા કરતા હોવાથી અમે પણ સમ્યગુ શ્રદ્ધા નથી કરતા એમ આચાર્ય હરિભદ્રસૂરિજીનું કથન છે. આખું ચોથું અધ્યયન એકલું નહિ બીજા અધ્યયનો પણ આ ચોથા અધ્યયનના કેટલાક પરિમિત આલાપકોનું અશ્રદ્ધાનું કરે છે, એવો ભાવ સમજવો. કારણકે સ્થાન, સમવાય, જીવભિગમુ, પ્રજ્ઞાપના વગેરે સૂત્રોમાં આ કંઈ પણ હકીકત કહેલી નથી. કે પ્રતિ સંતાપક સ્થળ છે. તેની ગુફાઓમાં વાસ કરનારા મનુષ્યો છે. તેમાં પરમાધાર્મિક અસુરોનું ફરી ફરી સાતઆઠ વખત સુધી ઉત્પાતુ થાય છે, તેઓને દારૂણ વજશિલાની ઘંટી પડો વચ્ચે પિલાવું પડે છે. અતિશય પિલાતા વેદના અનુભવતા હોવા છતાં એક વર્ષ સુધી તેના પ્રાણોનો નાશ થતો નથી. (પણ) વૃદ્ધવાદ એવો છે કે આ આષસૂત્ર છે, તેમાં વિકૃતિનો પ્રવેશ થયો નથી. આ શ્રુતસ્કન્ધમાં ઘણાજ અર્થો રહેલા છે. સુંદર અતિશય સહિત સાતિશય યુક્ત કહેલા આ ગણધરોના વચનો છે. આમ હોવાથી લગીર પણ અહિં શંકા ન કરવી. (અધ્યયનઃ ૫-નવનીતસાર) [684-685 આ પ્રકારે કુશીલ સંસર્ગીનો સવોંપાયથી ત્યાગ કરીને ઉન્માર્ગ પ્રવેશ કરેલા ગચ્છમાં જે વેષથી આજીવિકા કરનારા હોય અને તેવા ગચ્છમાં વાસ કરે તેને નિર્વેિદનપણે કલેશ વગર શ્રમણપણું સંયમ, તપ તેમજ સુંદર ભાવની પ્રાપ્તિ ન થાય, એટલું જ નહિં પણ મોક્ષ તેનાથી ઘણો દૂર રહેલો છે. [686-691] હે ગૌતમ ! એવા પ્રાણીઓ છે કે જેઓ ઉન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં વાસ કરીને ભવની પરંપરામાં ભ્રમણ કરે છે. અર્ધપહોર, એકપહોર, એક દિવસ, એકપક્ષ, એકમાસ, કે એકવર્ષ સુધી પણ સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં ગુરુકુલ વાસમાં રહેનાર સાધુ હે ગૌતમ ! લીલાલહેર કરતો કે આળસકરતો નિરુત્સાહવાળી બુદ્ધિ કે મનથી રહેતો હોય પરન્ત મહાનુભાવ એવા ઉત્તમ સાધુઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org