SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ 292 મહાનિસીહ-૪-૬૯ સ્ત્રીમાં, ત્યાર પછી છઠ્ઠી નારકીમાં, પછી કુષ્ઠિ મનુષ્ય, પછી વાણ વ્યંતર, ત્યાર પછી મહાકાયવાળો યુથાધિપતિ હાથી, ત્યાં મૈથુનમાં અતિ આસક્તિ હોવાથી અનંતકાય વનસ્પતિમાં ત્યાં અનંતો કાળ જન્મ-મરણનાં દુઃખઅનુભવ કરીને મનુષ્ય થશે. પછી મનુષ્ય પણામાં મહાનિમિતિયો પછી સાતમીએ, પછી સ્વયંભૂરમણ સમુદ્રમાં મોટો મત્સ્ય થશે. અનેક જીવોનો મત્સાહાર કરી મરીને સાતમીએ જશે. - ત્યાર પછી આખલો, પછી મનુષ્યમાં, પછી વૃક્ષ ઉપર કોકિલા, પછી જળો, પછી મહામસ્ય, પછી તંદુલમસ્ય, પછી સાતમીએ પછી ગધેડો, પછી કૂતરા પછી કમિજીવ, પછી દેડકો, પછી અગ્નિકાયમાં, પછી કુંથ, પછી મધમાખ, પછી ચકલો, પછી ઉધઈ, પછી વનસ્પતિમાં તેમાં અનંતકાલ પસાર કરીને મનુષ્યમાં સ્ત્રીરત્ન પછી છઠ્ઠીમાં, પછી ઊંટ, ત્યાર પછી તેષામંકિત નામના પટ્ટણમાં ઉપાધ્યાયના ગૃહ નજીક લીંબડાના પત્ર પણે. વનસ્પતિમાં, પછી મનુષ્યમાં ઠીંગણી કુન્શાસ્ત્રી, પછી નપુંસક મનુષ્ય, પછી દુઃખી મનુષ્ય, પછી પણ ભીખ માગનાર, પછી પણ પૃથ્વીકાય વગેરે કાર્યોમાં ભવસ્થિતિ અને કાયસ્થિતિ દરેકમાં ભોગવનાર, પછી મનુષ્ય, પછી અજ્ઞાન તપસ્યા કરનાર, પછી વાણવ્યંતર, પછી પુરોહિત, પછી પણ સાતમીએ તંદુલ મત્સ્ય, પછી સાતમીનારકીમાં, પછી બળદ, પછી મનુષ્યમાં મહાસમ્યગ્દષ્ટિ અવિરતિ ચક્રવતિ, પછી પ્રથમ નારકીમાં પછી પણ શ્રીમંત શેઠ, પછી શ્રમણ અણગારપણામાં, ત્યાંથી અનુત્તર દેવલોકમાં, પછી પણ ચક્રવર્તિ મહાસંઘયણવાળા થઈને કામભોગથી વૈરાગ્ય પામીને તીર્થકર ભગવંતે ઉપદેશેલા સંપૂર્ણ સંયમની સાધના કરીને તે નિર્વાણ પામશે. 6i80 તેમજ જે ભિક્ષ કે ભિક્ષણી પરપાખંડીઓની પ્રશંસા કરે અગર નિન્દવોની પ્રશંસા કરે તેમને અનુકૂળ હોય તેવા વચન બોલે, નિcવોના મંદિરો મકાનોમાં પ્રવેશ કરે જેઓ નિન્દવોના ગ્રન્થો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે જેઓ નિહોના પ્રરૂપેલા કાયકલેશાદિક તપ કરે, સંયમ કરે. તેના જ્ઞાનનો અભ્યાસ કરે વિશેષ પ્રકારે જાણે, શ્રવણ કરે, પાંડિત્ય કરે, તેની તરફેણ કરી, વિદ્વાનોની પર્ષદામાં તેની કે તેના શાસ્ત્રોની પ્રશંસા વખાણ કરે તે પણ સુમતિની જેમ પરમાધાર્મિક અસુરોમાં ઉત્પન્ન થાય. [81] હે ભગવંત! તે સુમતિના જીવે તે સમયે શ્રમણપણું અંગીકાર કર્યું તો પણ આવા પ્રકારના નારક તિર્યંચ મનુષ્ય અસુરાદિવાળી ગતિમાં જુદા જુદા ભવોમાં આટલા કાળ સુધી સંસારમાં ભ્રમણ કેમ કરવું પડ્યું? હે ગૌતમ ! જે આગમને બાધા પહોંચે તેવા પ્રકારના લિંગ વેષ વગેરે ગ્રહણ કરવામાં આવે તે કેવલ દંભ જ છે. અને અતિ લાંબા સંસારના કારણભૂત તે ગણાય છે. તેની કેટલી લાંબી મર્યાદા, તે જણાવી શકાતી નથી. તેજ કારણે (આગમાનુસાર) સંયમ દુષ્કર મનાએલું છે. વળી બીજી એ વાત લક્ષમાં રાખવાની છે કે શ્રમણપણા વિશે પ્રથમ સંયમ સ્થાનમાં કુશીલ સંસર્ગીનો ત્યાગ કરવાનો છે. જો તેનો ત્યાગ ન કરે તો સંયમ જ હતું નથી. તો સુંદર મતિવાળા સાધુએ તેજ આચરવું તેનીજ પ્રશંસા કરવી તેની જ પ્રભાવના-ઉન્નતિ કરવી. તેની જ સલાહ આપવી. તેજ આચરવું કે જે ભગવંતે કહેલા આગમ-શાસ્ત્રમાં હોય. આ પ્રમાણે સૂત્રનું અતિક્રમણ કરીને જેમ સુમતિ લાંબા સંસારમાં રખડ્યો, તેમજ બીજા પણ સુંદર, વિદુર સુદર્શન, શેખર, નિલભદ્ર. સભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy