________________ 280 મહાનિસીહ-૩-૬૨૨ મદઉત્પાદની, 29 મદની. 30 મોહણી, 31 વ્યામોહની, ૩ર ભય-ઉદીરણી, 33 ભયજનની, 34 ભયંકરી. ૩પ દયભેદની 36 સંશય-અપહરણી, 37 ચિત્ત-ચમત્કાર ઉત્પાદની, 38 નિબદ્ધા, 39 અનિબદ્ધ, 40 ગતા 41 આગતા, 42 ગાતા ગાતા, 43 ગતાગત-પત્યાગતા, 44 નિર્ધારની 5 અભિલાષણી, 46 અરતિકસ, 7 રતિકરા. 48 દીના, 49 દયામણી, 50 શુરા, પ૧ ધીરા, પર હણણી, પ૩ મારણી, પ૪ તાપણી, પપ સંતાપણી, પ૬ કુલા પ્રક્રુદ્ધ પછ ઘોરા માઘોરા, 58 ચંડી, પ૯ રુદ્રા-સુદ્રા 60 હાહાભૂતશરણા, 61 રુક્ષા, 62 સ્નિગ્ધા 3 રૂક્ષ સ્નિગ્ધા. (આ પ્રમાણે કુશીલવૃષ્ટિઓ અહિં જણાવી છે, તે નામના અનુસારે અર્થ વ્યાખ્યા સમજી લેવી.) ( સ્ત્રિઓના ચરણ. અંગૂઠા, તેના અગ્રભાગ, નખ હાથ, જે સારી રીતે આલેખેલ હોય. લાલરંગ કે અલતાથી ગાત્રો અને નખ રંગેલા હોય, મણિના કિરણો એકઠા થવાના કારણે જાણે મેઘધનુષ્ય ન હોય તેવા નખને, કાચબા સરખા ઉન્નત ચરણને, બરાબર સરખા ગોઠવાએલા ગોળાકાર ગૂઢ જાનુઓને જવાઓને, વિશાળ કટી તટના સ્થાનને, જઘન, નિતંબ નાભિ, સ્તન, ગુપ્તસ્થાન પાસેના સ્થાનો, કંઠ, ભુજાલષ્ટિઓ. અધર, હોઠ, દંતપક્તિ, કાન, નાસિક, નેત્રયુગલ, ભ્રમર, મુખ કપાળ, મસ્તક, કેશ, સેંથો. વાંકી કેશલટ, પીઠ, તિલક, કુંડલ, ગાલ અંજન, શ્યામ વર્ણવાળા તમાલના પત્ર સરખા કેશ કલાપ, કંદોરો, નુપુર, બાહુરક્ષક મણિરત્ન જડિત કડાં, કંકણ, મુદ્રિકા, વગેરે મનોહર અને ઝળહળતા આભૂષણો રેશમી ઝીણા વસ્ત્રો, સુતરાઉ વેશભૂષા આદિથી સજાવટ કરીને કામાગ્નિને પ્રપ્ત કરનારી નારકી અને તિર્યંચગતિમાં અનંતઃખ અપાવનારી આ સ્ત્રિઓના અંગો ઉપાંગો આભૂષણો વગેરેને અભિલાષા પૂર્વક સરાગ દ્રષ્ટિથી દેખવું તે ચક્ષુકુશીલ કહેવાય. દિ૨૩-૬૨૪] તથા ઘાણકુશીલ તેને કહેવાય કે જેઓ સારી સુગંધ લેવા જાય અને દુર્ગન્ધ આવતી હોય તો નાક મચકોડે દુર્ગછા કરે તથા શ્રવણ કુશીલ બે પ્રકારના સમજવા. એક પ્રશસ્ત અને બીજે અપ્રશસ્ત. તેમાં જે ભિક્ષુ અપ્રશસ્ત એવા કામરાગને ઉત્પન્ન કરનાર, ઉદ્યપન કરનાર, ઉજ્જવલન કરનાર, ગંધર્વ નાટક, ધનુર્વેદ, હસ્તશિક્ષા, કામશાસ્ત્ર રતિશાસ્ત્ર વગેરે શ્રવણ કરીને તેની આલોચના ન કરે યાવતુ. તેનું પ્રાયશ્ચિત આચરી ન આપે તે અપ્રશસ્ત શ્રવણ કુશીલ જાણવો. તથા છઠ્ઠાકુશીલ અનેક પ્રકારનાં જાણવા. તે આ પ્રમાણે - કડવા, તિખા, તુરા, મધુર, ખાટા, ખારા રસોનો સ્વાદ કરવો. ન દેખેલાં ન સાંભળેલાં. આલોક, પરલોક, ઉભયલોક વિરુદ્ધદોષવાળા મકાર-કાર મખ્ખો ચો એવા અપશબ્દોને ઉચ્ચારવા. અપયસ થાય તેવા ખોટાં આળ આપવા, અછતાં કલંક ચડાવવા, શાસ્ત્ર જાણયા વગર ધમદિશના કરવાની પ્રવૃત્તિ કરવી. તે જિલ્લાકુશીલ જાણવા. હે ભગવંત ! ભાષા બોલવાથી પણ શું કુશીલ પણું થઈ જાય છે? હે ગૌતમ! હા. તેમ થાય છે. હે ભગવંત! તો શું ધમદશના ન કરવી! હે ગૌતમ! સાવધ-નિરવધ વચનો વચ્ચેનો જે તફાવત જાણતો નથી, તેને બોલવાનો પણ અધિકાર નથી. તો પછી ધર્મદેશના કરવાનો તો અવકાશજ ક્યાં છે! [25] તથા શરીર કુશીલ બે પ્રકારના જાણવા ચેકુશીલ અને વિભૂપાકુશીલ, તેમાં જે ભિક્ષુક આ કૃમિ સમૂહના આવાસરૂપ, પક્ષીઓ અને શ્વાનોના માટે ભોજનરૂપ. સડવું, પડવું, નાશપામવું એવા સ્વાભાવવાળ, અશુચિ, અશાશ્વત, અસાર એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org