________________ 22 મહાનિસીહ-૩-૫૭૯ ઘનઘાતી કર્મો બાળી નાખ્યા. જેવી રીતે લોક લોકને પ્રકાશીત કરનાર કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. ફરી પણ જેવી રીતે દેવો અને અસુરોએ કેવલજ્ઞાનનો મહિમા કરીને ધર્મ, નીતિ, તપ ચારિત્ર વિષયક સંશયો પૂછયા. દેવોએ તૈયાર કરેલા સિંહાસન ઉપર બિરાજમાન થઈને જેવીરીતે જિનેન્દ્ર ભગવન્ત ધર્મ કથન કરતા હતા, ત્યારે દેવ નિકાય એકઠા થઈને જેવી રીતે શ્રેષ્ઠ સમવસરણ એકદમ તૈયાર કર્યું. જેવી રીતે દેવો તેમની ઋદ્ધિ અને જગતની ઋદ્ધિ બનેની સરખામણી કરતા હતા. સમગ્ર ભૂવનના એક ગુરુ, મહાયશવાળા અરિહંત ભગવંત જ્યાં જ્યાં જેવી રીતે વિચર્યા. જેવી રીતે આઠ મહા પ્રતિહાર્યોના સુંદર ચિલો જે તિર્થમાં હોય છે. જેવી રીતે ભવ્યજીવોના અનાદિ કાળનાં ચિકણાં મિથ્યાત્વનાં સમગ્ર કમને નિલન કરે છે, જેવી રીતે પ્રતિબોધ કરીને માર્ગમાં સ્થાપન કરી ગણધરોને દીક્ષિત કરે છે. તેમજ મહાબુદ્ધિવાળા તેઓ સુત્રને ગુંથે છે. જેવી રીતે જિનેન્દ્ર અનંતગમ પર્યાય-સમગ્ર અર્થ ગણધરોને કહે છે. [પ૮૦-૫૮પજેવી રીતે જગતના નાથ સિદ્ધિ પામે છે, જેવી રીતે સર્વ સુરવરેન્દ્રો તેમનો નિવણ મહોત્સવ કરે છે, તેમજ ભગવંતની ગેરહાજરીમાં શોક પામેલા તે દેવો પોતાના-ગાત્રને વહેતા અશ્રુઝળના સરસર શબ્દ કરતા પ્રવાહથી જેવી રીતે ધોતા હતા. વળી કરુણ-સ્વરથી વિલાપ કરતા હતા કે હે સ્વામિ ! અમને અનાથ કર્યા. જેવી રીતે સુરભિગંધ યુક્ત ગોશીષ ચંદનવૃક્ષના કારોથી સર્વે દેવદ્રોએ વિધિપૂર્વક ભગવંતના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. સંસ્કાર કર્યા પછી, શોક પામેલા શુન્ય દશે દિશાના માર્ગને જોતા હતા. જેવી રીતે ક્ષીર-સમુદ્રમાં જિનેશ્વરોના અસ્થિઓને પ્રક્ષાલન કરીને દેવલોકમાં લઈ જઈને શ્રેષ્ઠ ચંદનરસથી તે અસ્થિઓનું વિલેપન કરીને અશોકવૃક્ષ પારિજાત વૃક્ષના પુષ્પો તથા શતપત્ર સહમ્રપત્રજાતિના કમળો વડે તેની પૂજા કરીને પોતપોતાના ભવનમાં જેવી રીતે સ્તુતિ કરતાં હતા. (તે સર્વ વૃતાન્ત મહા વિસ્તારથી અરહંત ચરિત્ર નામના) અંતગડ દશાથી જાણવો. - પિ૮૬-૫૮૯ અહિં અત્યારે જે ચાલું અધિકાર છે તને છોડીને જો આ કહેવામાં આવેતો વિષયાત્તર અસંબદ્ધતા તેમજ ગ્રંથનો લાંબો વિસ્તાર થઈ જાય. પ્રસ્તાવ ન હોવા છતાં આટલું પણ અમે નિરૂપણ કર્યું તેમાં અતિ મોટું કારણ ઉપદેશેલું છે. જે અહિં કહેવાયું છે. તે ભવ્ય સત્ત્વોના ઉપકાર માટે કહેવાયું છે. સારા વસાણાથી મિશ્રિત મોદકને જેમ જેમ ભક્ષણ કરવામાં આવે છે, તેમ તેમ લોકોમાં અતિમોટી માનસિક પ્રિતી ઉત્પન્ન થાય છે. તેવી રીતે અહિં પ્રસંગ ન હોવા છતાં પણ ભક્તિના ભારથી નિર્ભર તેમજ નિજગુણ ગ્રહણ કરવામાં ખેંચાએલા ચિત્તવાળા ભવ્યાત્માને મોટો હર્ષ ઉત્પન્ન થાય છે. પિટી આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ નવકારનું વ્યાખ્યાન મહાવિસ્તારથી અનંતગમ અને પયયો સહિત સૂત્રથી ભિન્ન એવા નિયુક્તિ, ભાષ્ય, યુણિ દ્વારા અનંત જ્ઞાન-દર્શન ધારણ કરનાર તિર્થંકરોએ જેવી રીતે વ્યાખ્યા કરી હતી. તેવી રીતે સંક્ષેપથી વ્યાખ્યાન કરાતું હતું. પરંતુ કાલની પરિહાણી થવાના દોષથી તે નિયુક્તિઓ ભાગ્યો, ચૂર્ષિઓ વિચ્છેદપામી આવા પ્રકારનો સમય-કાળ વહી રહેલો હતો, ત્યારે મહા-ઋદ્ધિલબ્ધિ-સંપન્ન પદાનુસારી લબ્ધિવાળ વ્રજસ્વામી નામના બાર અંગરૂપ શ્રતને ધારણ કરનાર ઉત્પન્ન થયા. તેમણે પંચમંગલ મહા-શ્રુતસ્કંધનો આ ઉદ્ધાર મૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org