SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 244 મહાનિસીહ- 23366 ગર્ભવાસ સહન કરવા પડશે. જેમાં રાત્રિ દિવસના દરેક સમયે સતત ઘોર પ્રચંડ મહા ભયંકર દુખ સહન કરવું પડશે હાહા-અરેરે-મરીગયો રે એમ આકન્દ કરવું પડશે. [37] નારક અને તિર્યંચગતિમાં કોઈ રક્ષણ કરનાર કે શરણભૂત થતા નથી. બિચારા એકલા-પોતાના શરીરને કોઈ સહાય કરનાર મળે નહિ, ત્યાં કડવા અને આકરા વિરસ પાપના ફળો ભોગવવા પડે. [368] નારકીઓ તલવારની ધાર સરખા પત્રવાળા વૃક્ષોના વનમાં છાયડાની ઇચ્છાથી જાયતો પવનથી પાંદડા શરીર પર પડે એટલે શરીરના ટૂકડા થાય. લોહી પર ચરબી કેશવાળા દુર્ગધમારતા પ્રવાહવાળી વૈતરણીનદીમાં તણાવાનું, યંત્રોમાં પીલાવાનું કરવતથી કપાવાનું. કાંટાળાશાલ્મલીવૃક્ષ સાથે આલિંગન, કુંભમાં રંધાવાનું, કાગડા આદિ પક્ષીઓની ચાંચનાબટકા સહન કરવાનું સિંહ વગેરે જાનવરોના. ફડીખાવાના દુખો અને તેવા અનેક દુઃખો નરકગતિમાં પરાધીન પણે ભોગવવા પડે. [369-370] તિર્યંચોને નાક કાન વિંધાવાનું, વધ, બંધન, આઠંદન કરતા જાનવરના શરીરમાંથી માંસ કાપે, ચામડી ઉતારે, હળ ગાડાને ખેંચવા, અતિભાર વહન કરવા, અણીયાળી ધારવાળી પરોણી ભોંકાવાનું, ભૂખ તરશનું, લોહની કઠણ નાળ. પગમાં ખીલીથી જડી છે, બળાત્કારથી બાંધી શસ્ત્રથી અગ્નિના ડામ આપી અંકિત કરે. બળતરા ઉત્પન્ન કરનાર પદાર્થોના અંજન આંખમાં આંજે, વગેરે પરાધિનપણાના. નિર્દયતાથી અનેક દુઃખો તિર્યંચના ભવમાં ભોગવવા પડે. 371] કુંથુઆના પગના સ્પર્શથી ઉત્પન્ન થએલ ખણનું દુષ્ક તું અહિં સહન કરવા સમર્થ બની શકતો નથી તો પછી ઉપર કહેલા નરક તિર્યંચગતિના અતિ ભયંકર મહાદુઃખો આવશે ત્યારે તેનો નિસ્તાર-પાર કેવી રીતે પામીશ? [372-374] નારકી અને તિર્યંચના દુઃખો તથા કુંથુઆના પગના સ્પર્શનું દુખ એ બંને દુઃખનો અંતરો કેટલા છે? તો કહે છે મેરુ પર્વતના પરમાણુ ઓને અનંતગુણા કરીએ તો એક પરમાણું જેટલું પણ કુંથુના પગના સ્પર્શનું દુખ નથી. આ જીવ ભવની અંદર લાંબા કાળથી સુખની આકાંક્ષા કરી રહેલા છે. તેમાં પણ તેને દુઃખની પ્રાપ્તિ થાય છે. વળી ભૂતકાળના દુઃખોનું સ્મરણ કરતાં તે અત્યંત દુખી થાય છે. આ પ્રમાણે ઘણા દુઃખના સંકટમાં રહેલો લાખો આપદાઓથી ભરપૂર એવા સંસારમાં પ્રાણી વસેલો છે, તેમાં અણધાર્યું મધુબિન્દુ પ્રાપ્ત થઈ જાયતો મળેલું સુખ કોઈ જતું ન કરે, પરંતુ.... ૩િ૭પ જે આત્મા પથ્ય અને અપથ્ય, કાર્ય અને અકાય, હિત અને અહિત, સેવ્ય અસત્ય અને આચરણીય અને અનાચરણીયના તફાવતનો વિવેક કરતો નથી, (ધર્મ અને અધર્મને જાણતો નથી) તે બિચારા આત્માની ભાવમાં કેવી સ્થિતિ થાય? 3i76 માટે આ સર્વ હકિકત સાંભળીને દુખના અંતની શોધ કરનારે સ્ત્રી, પરિગ્રહ અને આરંભનો ત્યાગ કરીને સંયમ અને તપની આસેવના કરવી જોઈએ. [377-384 જુદા આસને બેઠેલી, શયનમાં સુતેલી હોય, અવળું મુખ કરીને રહેલી હોય, અલંકારો પહેરેલા હોય કે પહેરેલા ન હોય, પ્રત્યક્ષ ન હોય પણ ચિત્રમાં ચિન્નેલી હોય, તેવીને પણ પ્રમાદથી દેખે તો દુર્બલ મનુષ્યને આકર્ષણ કરે છે. અર્થાત્ દેખીને રાગ થયા સિવાય રહેતો નથી. માટે ઉનાળા સમયના મધ્યાલના સૂર્યને દેખીને જેમ દૃષ્ટિ બીડાઈ જાય, તેમ સ્ત્રીના ચિત્રામણવાળી ભીંત કે સારી સારી અલંકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005102
Book TitleAgam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages181
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy