________________ 230 મહાનિસીહ-૧-૧૨૧ [૧૨૧-૧૨૫એનંતી પાપરાશિઓ એકઠી થાય ત્યારે પાપકર્મના ફળરૂપે શુદ્ધ સ્ત્રીપણું મળે છે. હવે સ્ત્રીપણાને યોગ્ય એકઠા થયેલાં પાપકર્મો ના સમૂહને એવા પાતળા કરું કે જેથી સ્ત્રી ન થઉં અને કેવલજ્ઞાન પામું. દષ્ટિથી પણ હવે શિયલ ખંડીશ નહીં, હવે હું શ્રમણી-કેવલી થઈશ. અરેરે! પૂર્વે મનથી પણ મેં કઈ આહટ્ટ ઘેટ્ટ- અતિ દુષ્ટ વિચાર્યું હશે. તેની આલોચના કરીને હું જલ્દી તેની શુદ્ધિ કરીશ, અને શ્રેણી-કેવલી થઇશ. મારું રૂપ લાવણ્ય દેખીને તેમજ કાંતિ-તેજ-શોભા જોઈને કોઈ મનુષ્ય રૂપી પતંગીય અધમ બનીને ક્ષય ન પામે તે માટે અનશન સ્વીકારી હું શ્રમણી પણામાં કેવલી બનીશ હવે નિશ્ચયથી વાયરા સિવાય બીજા કોઈનો સ્પર્શ કરીશ નહીં. [૧૨૬-૧૨૯]હવે છ કાય જીવોને આરંભ-સમારંભ કરીશ નહીં શ્રમણી કેવલી બનીશ. મારા દેહ, કાંખ, સ્તન, સાથળ, ગુપ્તસ્થાનનો અંદરનો ભાગ, નાભિ, જઘનાન્તર ભાગ વગેરે સવગો એવા ગોપાવીશ કે તે સ્થળોમાતાને પણ દશવીશ નહીં . એવી ભાવના-ભાવતા સાધ્વી કેવલી થાય.. એનેક ક્રોડો ભવાંતર મેં કર્યા, ગભવિાસની પરંપરા કરતી મે કોઇ પ્રકારે પાપ-કર્મનો ક્ષય કરનાર જ્ઞાન અને ચારિત્ર યુકત સુંદર મનુષ્યપણું મેળવેલ છે. હવે ક્ષણેક્ષણ સર્વ ભાવશલ્યની આલોચના નિન્દાર્દિ કરીશ . બીજી વખત તેવા પાપ ન કરવાની ભાવનાથી પ્રાયશ્ચિતુ અનુષ્ઠાન કરીશ. [130-132] જે કરવાથી પ્રાયશ્ચિત્ આવે તેવા મન, વચન અને કાયાના કાર્યો પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિ-કાય તેમજ બીજકાય નો સમારંભ, બે-ત્રણ-ચારપાંચ ઈન્દ્રિયોવાળા જીવોનો સમારંભ અર્થાતુ હિંસા કરીશ નહીં અસત્ય બોલીશ નહીં, ધૂળ અને રાખ પણ નહીં દીધેલા ગ્રહણ કરીશ નહીં, સ્વપ્નમાં પણ મનથી મૈથુનની પ્રાથના કરીશ નહીં, પરિગ્રહ કરીશ નહીં જેથી મૂલ ગુણ ઉત્તર-ગુણની અલના ન થાય. [133-137] મદ ભય, કષાયમન-વચન-કાયારૂપ ત્રણ દેડ, એ સર્વેથી રહિત થઈ, ગુપ્તિ અને સમિતિમાં રમણ કરીશ તેમજ ઇન્દ્રિયજય કરીશ, અઢારહજાર શીલ-ગોથી યુકત શરીરવાળી થઈશ, સ્વાધ્યાય-ધ્યાન અને યોગોમાં રમણતા કરીશ. એવી શ્રમણીકેવલી થઈશ. ત્રણ લોકના રક્ષણ કરવા સમર્થ સ્તંભ સમાન ધર્મ તિર્થંકરે જે લિંગચિહ ધારણ કરેલ છે તેને ધારણ કરતી હું કદાચ યંત્રમાં પિલાઈને મારા શરીરના મધ્યમાંથી બે ખંડ કરવામાં આવે, મને ફાળી કે ચીરી નાખે. ભડભડતા અગ્નિમાં ફેકવામાં આવે. મસ્તક છેદી નાંખે તો પણ મેં ગ્રહણ કરેલા નિયમ-વ્રતનો ભંગ કે શીલ અને ચારિત્રનું એક જન્મ ખાતર મનથી પણ ખંડન કરીશ નહીં એવી શ્રમણી થઈ કેવલી થઈશ. [133-139] ગઘેડા, ઉંટ, કુતરા આદિ જાતિવાળા ભવોમાં રાગવાળી થઇને મેં ઘણું ભ્રમણ કર્યું. અનંતા ભાવોમાં અને ભવાંતરોમાં ન કરવા લાયક કર્મો કર્યા. હવે પ્રવજયા માં પ્રર્વેશ કરીને પણ જો તેવા દુષ્ટ કમ કરું. તો પછી ઘોરઅંધકાર વાળી પાતાલ પૃથ્વીમાંથી મને નીકળવાનો અવકાશ જ મળવો મુશ્કેલ થાય. આવો સુંદર મનુષ્ય જન્મ રાગ દષ્ટિથી વિષયોમાં પસાર કરાય તો ઘણાં દુઃખનું ભાજન થાય. [140-144] મનુષ્યભવ અનિત્ય ક્ષણમાં વિનાશ પામવાના સ્વભાવ વાળો, ધણાં પાપ-દડ અને દોષોના મિશ્રણ વાળો છે. તેમાં વળી હું સમગ્ર ત્રણ લોક જેની નિંદા. કરે તેવી સ્ત્રીપણે ઉત્પન્ન થઈ, છતાં પણ વિધ્ય અને અંતરાય રહિત એવા ધર્મને પામીને હવે પાપ-દોષથી કોઈપણ પ્રકારે તે ધર્મને વિરાધીશ નહીં હવે શૃંગાર રાગ વિકારયુક્ત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org