________________ અધ્યયન-ચલિકા-૧ ૩પપ માસક્ષપણ, એક સાથે કરવા સમર્થ ન હોય તે છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ ૧પ દિવસ એવા. ઉપવાસ કરીને પણ તે પ્રાયશ્ચિત વાળી આપે. બીજું પણ જે કોઈ પ્રાયશ્ચિત તેની અંદર સમાઈ જતું હોય, આ કારણે ખંડાખંડી-વચમાં વિસામા લેવા પૂર્વક શક્તિ પ્રમાણે તપ પ્રાયશ્ચિતનું સેવન કરે. એમ કરતાં દિવસના મધ્યાહ્ન સમયે થનાર પુરિમુઢના સમયમાં અલ્પકાળ બાકી રહ્યો. તે અવસરે જે કોઈ પ્રતિક્રમણ કરતા, વંદન કરતા, સ્વાધ્યાય કરતા, પરિભ્રમણ કરતા ચાલતા જતા ઉભા રહેતાં બેસતા ઉતા તેઉકાયનો સ્પર્શ થતો હોય અને ભિક્ષ તેના અંગો ખેંચી ન લે, સંઘટ્ટો થતો ન રોકે, તો ચઉલ્થ ઉપવાસ, બીજાઓને પણ યથાયોગ્ય પ્રાયશ્ચિતોમાં પ્રવેશ કરાવે, તથા પોતાની શક્તિ અનુસાર તપોકર્મનું સેવન ન કરે તો તેને બીજા દિવસે ચારગણું પ્રાયશ્ચિત જ્ઞાવે, જેઓ વાંદતા હોય કે પ્રતિક્રમણ કરતા હોય તેઓની આડ પાડીને સર્પ કે બિલાડી જાય તો તેમનો લોચ કરવો. કે બીજા સ્થાને ચાલ્યા જાય. તેના પ્રમાણમાં ઉગ્રતામાં રમણતા કરવી. આ કહેલા વિધાનો ન કરે તો ગચ્છ બહાર કરવો. જે ભિષ્મ તે મહાઉપસર્ગને સિદ્ધ કરનારો, ઉત્પન્ન કરનારો, દુનિમિત અને અમંગલનો ધારક કે વાહક હોય, તે ગચ્છબહાર કરવા યોગ્ય જાણયો. જે પહેલી કે બીજી પોરિસિમાં અહીં તહીં ભટકતો હોય, ગમન કરતો હોય, અનુચિત કાળે ફરનાર, છિદ્રો જોનાર એવો. જો તે ચારે આહારના - ચોવિહારના પચ્ચખાણ ન કરે તો છઠ્ઠ, દિવસે સ્થડિલ સ્થાનની, પ્રતિલેખના કરીને રાત્રે જયણા પૂર્વક માગ્યું કે સ્પંડિલ વોસિરાવે તો ગ્લાનને એકાસન, બીજાને તો છઠ્ઠનું જ પ્રાયશ્ચિત, જો સ્પંડિલ સ્થાન દિવસે જીવજંતુરહિત તપાસ્યું ન હોય તેમજ ભાજન પૂછ્યું પ્રમાર્જુન હોય, સ્થાન દેખી લીધું ન હોય, માત્રુ કરવાનું ભાજન પણ જયણાથી દેખ્યું ન હોય અને રાત્રે, ઠલ્લો કે માત્ર પાઠવે તો ગ્લાનને એકાસન, બાકીનાને દુવાલસ-પાંચ ઉપવાસ અથવા ગ્લાનને મિચ્છામિ દુક્કડં. એ પ્રમાણે પ્રથમ પોરિસીમાં, બીજી પોરિસીમાં સુત્ર અને અર્થનું અધ્યયન છોડીને જેઓ સ્ત્રી કથા, ભક્તકથા દેશ કથા રાજકથા, ચોર કથા કે ગૃહસ્થની પંચાતની કથા. કરે અગર બીજી અસંબદ્ધ કથાઓ કરે, આતંરૌદ્રધ્યાનની ઉદીરણા કરાવનારી કથા. કરે, તેવી પ્રસ્તાવના ઉદીરણા કરે કે કરાવે તેઓ એક વરસ સુધી અવંદનીય, કોઈ તેવા. મોટા કારણ હશથી પ્રથમ કે બીજી પોરિસીમાં એક ઘડી કે અર્ધી ઘડી ઓછો સ્વાધ્યાય થયો તો ગ્લાનનો મિચ્છામિ દુક્કડં. બીજાઓને નિબિ ગઈ, અતિનિષ્ફરતાથી કે ગ્લાને જો કોઈ પ્રકારે કોઈપણ કારણ ઉત્પન થવાથી વારંવાર ગીતાર્થ ગુરુએ મના કરેલી હોવા છતાં અકસ્માત કોઈ વખત બેઠાં બેઠાં પ્રતિક્રમણ કર્યું હોય તો એક માસ અવંદનીય. ચાર માસ સુધી મૌનવ્રત તેણે રાખવું. જો કોઈ પ્રથમ પોરિસી પૂર્ણ થયા પહેલા અને ત્રીજી પોરિસી વીતી ગયા પછી ભોજન પાણી ગ્રહણ કરે અને વાપરેતો તેને પુરિમઠું, ગુરુની સન્મુખ જઈને ઉપયોગ ન કરેતો ચઉલ્ય, ઉપયોગ કર્યા વગર કંઈ પણ ગ્રહણ કરે તો ચઉલ્ય, અવિધિએ ઉપયોગ કરેતો ઉપવાસ, આહાર માટે, પાણીમાટે, સ્વિકાર્ય માટે, ગુરુના કાર્યમાટે, બહારની ભુમીએ નીકળતાં ગુરુના ચરણમાં મસ્તકનો સંઘટ્ટો કરીને આવસિએ”-પદ ન કહે, પોતાનાના ઉપાશ્રયના વસતિના દ્વારમાં પ્રવેશ કરતાં નિસીહ ન કહે તો પુરિમુઠ, બહાર જવાના સાત કારણ સિવાય વસતિમાંથી બહાર નીકળે તો ગચ્છ બહાર કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org