________________ 336 મહાનિસીહ 141 શું સત્ય છે ? સર્વથા એ વાત સત્ય નથી જ. કારણકે પૂર્વ ભવમાં કરેલા અશુભ પાપ કર્મના ઉદયથી જ આવા પ્રકારનું બને છે. એ પ્રમાણે અતિશય સુંદર વિચારણા કરવા લાગી. અરે જુઓ તો ખરા કે અજ્ઞાન દોષથી અવરાએલી અતિશય મૂઢ દયવાળી લજ્જા રહિત બનીને આ મહાપાપ-કર્મણી સાધ્વીએ સંસારના ઘોર દુઃખ આપનાર આવું-કેવું દુષ્ટ વચન ઉચ્ચાર્યું કે મારા કાનના વિવરમાં પણ પ્રવેશ કરી શકતું નથી. તો ભવાન્તરમાં કરેલા અશુભ પાપકર્મના ઉદયના કારણે જે કંઈ દરિદ્રતા, દુભાંગ્ય, અપયશ, ખોટા કલંક લાગવા, કુષ્ઠાદિક વ્યાધીના કલેશોનાં દુઃખો શરીરમાં થવા, આ વગેરે ઉત્પન થાય છે. તેમાં કે ફેરફાર થતા નથી. કારણકે આગમમાં કહ્યું છે કે f1142] પોતે જાતે ઉપાર્જન કરેલા દુઃખ કે સુખ કોણ કોઈને આપી શકે છે કે લઈ શકે છે? પોતે કરેલ કર્મ કોણ હરી શકે છે અને કોનું કર્મ હરણ કરી શકાય છે? પોતે કરેલ કર્મ અને ઉપાર્જન કરેલ સુખ કે દુઃખ પોતાને જ ભોગવવા પડે છે.” [1143] એમ વિચારતા તે સાધ્વીજીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે સમયે દેવોએ કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. તે કેવલી સાધ્વીજીએ મનુષ્યો દેવો અસુરોના તથા સાધ્વીઓના સંશયરૂપ અંધકારના પડલને દૂર કર્યો. ત્યાર પછી ભક્તિ ભરપૂર હૃદયવાળી રજ્જા આયએ પ્રણામ કરવા પૂર્વક પ્રશ્ન પૂછયો કે - હે ભગવંત! કયા કારણે મને આટલો મોટો મહાવેદનાવાળો વ્યાધિ ઉત્પન થયો? ત્યારે તે ગૌતમ ! જળવાળા મેઘ અને દુદુબિના શબ્દ સરખા મનોહર ગંભીર સ્વરવાળા કેવલીએ કહ્યું કે- હે દુષ્કરકારિકે તું સાંભળ- કે તારા શરીરનું વિઘટન કેમ થયું? તારું શરીર રક્ત અને પિત્તનાં દોષથી દુષિત થએલું હતું જ. વળી તેમાં તે સ્નિગ્ધ આહાર સાથે કરોળીયા જન્તવાળો આહાર ગળાડુબ ખાધો. બીજું એ પણ કારણ છે કે - આ ગચ્છમાં સેંકડો સંખ્યા પ્રમાણ સાધુ-સાધ્વીઓ હોવા છતાં, જેટલા સચિત્ત પાણીથી માત્ર આંખો ધોઈ શકાય તેટલા અલ્પ પણ સચિત્ત જળનો ગૃહસ્થના કારણે કદાપિ પણ સાધુએ ભોગવટો કરી શકાતો નથી. તેને બદલે તેંતો વળી ગૌમુત્ર ગ્રહણ કરવા માટે જતાં જતાં જેના મુખ ઉપર નાસિકામાંથી ગળતા લીંટ લપેટયા હતા, ગળાના ભાગ પર તે લાગેલા હતા. તે કારણે બણબણતી માખીઓ ઉડતી હતી, એવા શ્રાવક પુત્રના મુખને સચિત જલથી પ્રક્ષાલન કર્યું તેવા સચિત્ત જળનો સંઘઠ્ઠો કરવાની વિરાધનાના કારણે દેવો અસુરોને વંદન કરવા લાયક અલંઘનીય એવી ગચ્છમયદ્યિને પણ તોડી. પ્રવચન દેવા આ તારું અઘટિત વર્તન સહન કરી શકી નહિં કે સાધુ કે સાધ્વીજીએ પ્રાણના સંશયમાં પણ કુવા, તળાવ, વાવડી, નદી આદિના જળને હાથથી સ્પર્શ કરવાનો કલ્પે નહિં વિતરાગ પરમાત્માઓએ સાધુ-સાધ્વી માટે સર્વથા અચિત્ત જલ હોય તે પણ સમગ્ર દોષથી રહિત હોય, ઉકળેલું હોય, તેનો જ પરિભોગ કરવો કલ્પે છે. તેથી દેવતાએ ચિંતવ્યું કે આ દુરાચારીને એવી રીતે શિક્ષા કરે કે જેથી તેની જેમ બીજી કોઈ આવા પ્રકારનું આચરણ કે પ્રવૃત્તિ ન કરે. એમ ધારી અમુક અમુક ચુર્ણનો યોગ જ્યારે તું ભોજન કરતી હતી ત્યારે તે દેવતાએ તારા ભોજનમાં નાખ્યો. તે દેવતાએ કરેલા પ્રયોગ આપણે જાણવા માટે સમર્થ થઈ શકતા નથી. આ કારણે તારું શરીર વિનાશ પામ્યું છે, પરંતુ અચિત્ત જળ પીવાથી વિનાશ પામ્યું નથી. તે સમયે રજ્જાઆયએ વિચાર્યું કે એ પ્રમાણે જ છે. કેવળીના વચનમાં ફેરફાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org