________________ અધ્યયન-૫ 317, દશ અચ્છેશ થશે. તે આ પ્રમાણે :- 1- તીર્થકર ભગવંતને ઉપસર્ગો, 2- ગર્ભનું પલટાવું, 3- સ્ત્રી તીર્થંકર, 4- તીર્થકરની દેશનામાં અભવ્ય, દીક્ષા ન લેનાર ના સમુદાયની પર્ષદા. એકઠી થવી. 5- તીર્થંકરના સમવસરણમાં ચંદ્ર અને સૂર્યનું પોતાના મૂળ વિમાન સહિત આગમન, 6- કૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને પાછી લાવવા માટે અપરકંકામાં ગયા ત્યારે શંખધ્વનિના શબ્દથી કુતૂહલથી એક બીજા વાસુદેવને પરસ્પર મળવું થયું, 7- આ ભરત ક્ષેત્રમાં હરિવંશકુલની ઉત્પત્તિ, 8- ચમરોત્પાત, 9- એક સમયમાં 108 મોટી કાયાવાળાની સિદ્ધિ, 10- અસંતોની પૂજા સત્કાર કરાશે. 8i36] હે ભગવંત ! જે કોઈ કોઈ પ્રકારે કદાપિ પ્રમાદ દોષથી પ્રવચન-જૈન શાસનની આશાતના કરે તે શું આચાર્યપદ પામી શકે ખરા? હે ગૌતમ ! જે કોઈ કોઈ પ્રકારે કદાચિતુ પ્રમાદ દોષથી વારંવાર ક્રોધ, માન, માયા, કે લોભથી, રાગથી, દ્વેષથી, ભયથી, હાસ્યથી, મોહથી કે અજ્ઞાત દોષથી પ્રવચનના કોઈ પણ બીજા સ્થાનની. આશાતના કરે, ઉલ્લંઘન કરે, અનાચાર, અસમાચારીની પ્રરૂપણા કરે, તેની અનુમોદના કરે અથવા પ્રવચનની આશાતના કરે તે બોધિ પણ ન પામે, પછી આચાર્ય પદ પ્રાપ્તિની વાત જ ક્યાં રહી? હે ભગવંત! શું અભવિ કે મિથ્યાદ્રષ્ટિ આચાર્ય પદ પામે? હે ગૌતમ! પામે. આ વિષયમાં અંગારમર્દિક આદિના ઉદાહરણો છે. હે ભગવંત! શું મિથ્યાવૃષ્ટિને તેવા પદ પર સ્થાપન કરી શકાય? હે ગૌતમ! સ્થાપન કરાય. ' હે ભગવંત ! આ નક્કી મિથ્યાવૃષ્ટિ છે. એમ કયા ચિહ્નોથી જાણી શકાય ? હે ગૌતમ ! સર્વ સંગથી વિમુક્ત બનવા પૂર્વક જેણે સર્વ સામાયિક ઉચરેલું હોય અને સચિત્ત-પ્રાણ સહિત એવા પદાર્થો અને પાણીનો પરિભોગ કરે, અણગાર ધર્મને અંગીકાર કરીને વારંવાર મદિરા કે તેઉકાયનું સેવન કરે, સેવરાવે કે સેવન કરનારને સારો માની તેની અનુમોદના કરે તથા બ્રહ્મચર્યની કહેલી નવગુપ્તિઓને કોઈ સાધુ કે સાધ્વી તેમાંથી એકનું પણ ખંડન કરે, વિરાધ, મન-વચન-કાયાથી ખંડન કરાવે કે વિરાધના કરાવે કે બીજો ખંડન કે વિરાધના કરતો હોય તેને સારો માને, તેની અનુમોદના કરે, તે મિથ્યાવૃષ્ટિ છે. એકલો મિથ્યાવૃષ્ટિ નહિં પરન્તુ આભિગ્રાહિક મિથ્યાવૃષ્ટિ સમજવો. [837] હે ભગવંત! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કોઈક પ્રકારે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિન્ય પ્રવચનને અન્યથારૂપે વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેને કેવું ફળ મળે? હે ગૌતમ! જે સાવધાચાર્યે મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે હે ભગવંત ! તે સાવધાચાર્ય કોણ હતા? તેણે શું અશુભ ફળ મેળવ્યું. હે ગૌતમ ! આ ઋષભાદિક તીર્થંકરની ચોવીસના પહેલા અનંતો કાળ ગયો તે પહેલા કોઈક બીજી ચોવીસીમાં જેવી હું સાત હાથ પ્રમાણની કાયાવાળો છું તેવી કાયાવાળા, જ્ઞતમાં આશ્ચર્યભૂત, દેવેન્દ્રોના સમહૂથી વંદાએલ, શ્રેષ્ઠત૨, ધર્મશ્રી નામના છેલ્લા ધર્મ તીર્થંકર હતા. તેમના તીર્થમાં સાત આશ્ચય થયા હતા. હવે કોઈક સમયે તે તીર્થકર ભગવંત પરિનિર્વાણ પામ્યા ત્યાર પછી કાલક્રમે અસંતોનો સત્કાર કરાવવા રૂપ આશ્ચર્ય વહેવાનો પ્રારંભ થયો, તે સમયે ત્યાં લોકોની અનુવૃત્તિથી તેમજ મિથ્યાત્વથી આવરિત થએલ, અસંયતોની પૂજા કરવામાં અનુરાગી થએલા ઘણા સમૂહને જાણીને તે કાળે તે સમયે નહિં જાણેલા શાસ્ત્રના સભાવવાળા, ત્રણ ગારવરૂપ મદિરામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org