________________ 216 જીયકષ્પો - (30) [૨૯-૩૦]....એ પ્રમાણે પ્રત્યેકને સાધુને ઉપબૃહણા-સંયમની વૃદ્ધિ-પુષ્ટિ આદિ ન કરનારને પુરિમઢ આદિ ઉપવાસ પર્યન્ત પ્રાયશ્ચિત્ તપ આવે તેમજ પરિવાર ની સહાય નિમિત્તે, પાસન્ધા-અવસગ્ન-કુશીલ આદિ નું મમત્વ કરનારને, શ્રાવક આદિની પરિપાલના કરનારને અથવાતો વાત્સલ્ય રાખનાર ને નિવિપુરિમઢ આદિ પ્રાયશ્ચિતું તપ આવે. અહીં આ સાધર્મિક ને સંયમી કરવો કે કુલસંઘ-ગણ આદિ ની ચિંતા કે તૃપ્તિ કરે એવી બુદ્ધિએ સર્વ રીતે નિર્દોષ પણે મમત્ત્વ આદિ આલંબન હોવું જોઈએ. [૩૧]એકેન્દ્રિય જીવોને સંઘદૃન કરતા નીવિતપ, આ જીવો ને પરિતાપ ઉપજાવવો કે ગાઢતર સંચાલન થકી ઉપદ્રવ કરવો તે અણાગાઢ અને આગાઢ બે ભેદે કહયું અણાગાઢ કારણે આમ કરતા પરિમડૂઢ તપ અને આગાઢ કારણે એકાસણું તપ પ્રાયશ્ચિત્ આવે. ૩િ૨]અનંતકાય વનસ્પતિ, બે-ત્રણ ચારઈન્દ્રિયવાળા જીવોને સંઘન પરિતાપ કે ઉપદ્રવ કરવાથી પુરિમઢ થી ઉપવાસ પર્યન્ત અને પંચેન્દ્રિય નું સંઘટ્ટન કરતા એકાસણું, અણાગાઢ પરિતાપથી આયંબિલ, આગાઢ પરિતાપથી ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ આવે ઉપદ્રવ કરતા એક કલ્યાણક તપ પ્રાયશ્ચિત આવે. [33] મૃષાવાદ, અદત્ત, પરિગ્રહ આ ત્રણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ કે ભાવથી સેવતા જઘન્યથી એકાસણું મધ્યમથી આયંબિલ, ઉત્કૃષ્ટથી એક ઉપવાસ પ્રાયશ્ચિત્ આવે. [34] વસ્ત્ર, પાત્ર, પાત્રબંધ વગેરે ખરડ્યા રહે, તેલ-ઘી આદિના લેપવાળા રહે તો એક ઉપવાસ, સુંઠ-હરડે ઔષધાદિની સંનિધિથી એક ઉપવાસ, ગોળ-ઘીતેલ વગેરેની સંનિધિ એ છઠ્ઠ, બાકીની સંનિધિએ ત્રણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ ૩િપ-૪૩]આ નવ ગાથા ની “જીત કલ્પ ચૂર્ણા આધારે કરેલ ગુર્જર-છાયા અત્રે નોંધેલ છે. ઓસિક ના બે ભેદ ઓઘ-સામાન્યથી અને વિભાગથી. સામાન્યથી પરિમિત ભિક્ષાદાન રૂપ દોષમાં પુરિમઢ અને વિભાગથી ત્રણે ભેદ ઉદ્દે સો- કૃત અને કર્મ ઉસો માટે પુરિમઢ, કતદોષ માટે એકાસણું ને કર્મ દોષ માટે આયંબિલ તથા ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ. પતિ દોષના બે ભેદ સૂક્ષ્મ અને બાદર. ધૂમ અંગાર વગેરે સૂક્ષ્મ દોષ ઉપકરણ તથા ભોજન-પાન તે બાદ૨ દોષ જેમાં ઉપકરણપૂતિ દોષ માટે પૂરિમહૂઢ અને ભોજન-પાનપૂતિ દોષ માટે એકાસણું તપ પ્રાયશ્ચિતુ. મીશ્રજાત દોષ બે રીતે- જાવંતિય અને પાખંડ–જાવંતિયમિશ્ર જાત માટે આયંબિલ અને પાખંડમિશ્ર માટે ઉપવાસ, સ્થાપના દોષ બે રીતે અલ્પ કાલીન માટે નીવિ અને દીર્ઘકાલીન માટે પરિમઢ, પ્રાભૃતિક દોષ બે પ્રકારે-સૂક્ષ્મ માટે નીવિ. બાદર માટે ઉપવાસ પ્રકષ્ટકરણ દોષ બે પ્રકારે અપ્રકટ હોયતો પુરિમઢ અને પ્રગટવ્યક્ત રૂપે આયંબિલ, કૃતિ દોષ માટે આયંબિલ, પ્રામિત્વ દોષ અને પરિવર્તીત દોષ બે પ્રકારે લૌકિક હોય તો આયંબિલ, લોકોત્તર હોય તો પુરિમઢ, આહૃત દોષ બે પ્રકારે પોતાના ગામથી હોય તો પુરિમડૂઢ, બીજા ગામથી હોય તો આયંબિલ. ઉભિન્ન દોષ બે પ્રકારે દાદરો હોય તો પુરિમઢ અને બંધ કમાડ-કબાટ ઉઘાડે તો આયંબિલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org