SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ 214 જીયો -(8). અશુદ્ધ કે અતિયાર યુક્ત ગણાય અને આલોચના કરતા શુદ્ધ કે નિરતિચાર બને. સ્વગણકે પરગણ અથતુ સમાન સમાચારી વાળા કે અસમાન સમાચારી વાળા સાથે કારણે બહાર નિર્ગમન થાય તો આલોચના થકી શુદ્ધિ થાય. જે સમાન સમાચારી વાળા કે અન્ય સાથે ઉપસંપદા પૂર્વક વિહાર કરે તો નિરતિચાર હોય તો પણ (ગીતાર્થ આચાર્ય મળે ત્યારે આલોચના થી જ શુદ્ધિ થાય. (હવે ૯થી 12 ગાથામાં પ્રતિકમણ પ્રાયશ્ચિત કહે છે.) [૯-૧૨]ત્રણ પ્રકારની ગુપ્તિ કે પાંચ પ્રકારની સમિતિ વિશે પ્રમાદ કરવો, ગુરુની કોઈ રીતે આશાતના કરવી. વિનય નો ભંગ કરવો, ઈચ્છાકાર વગેરે દશ સમાચારીનું પાલન ન કરવું. અલ્પ પણ મૃષાવાદ, ચોરી કે મમત્વ હોવું. અવિધિએ અથવું મુહપતી રાખ્યા વિના છીંક ખાવી વાયુનું ઉર્ધ્વગમન કરવું સામાન્યથી છેદન-ભેદનપીલણ-આદિ અસંકિલષ્ટ કર્મોનું સેવન કરવું, હાસ્ય-કુચેષ્ટા કરવી, વિકથા કરવી, ક્રોધ આદિ ચાર કષાયો સેવવા, શબ્દ આદિ પાંચે વિષયોનું સેવન કરવું . દર્શન જ્ઞાન-ચારિત્ર કે તપ આદિમાં અલના થવી, જયણાયુક્ત થઈને હિંસા ન કરતો હોવા છતાં પણ સહસાકાર કે અનુપયોગદશા થી અતિચાર સેવે તો મિથ્યા દુષ્કત રૂપ પ્રતિક્રમણથી શુદ્ધ થાય, . જે ઉપયોગ કે સાવધાની પૂર્વક પણ અલ્પ માત્ર સ્નેહ સંબંધ, ભય, શોક, શરીરાદિનું ધોવું વગેરે તથા કુચેષ્ટા-હાસ્ય-વિકથાદિ ને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ જાણવું. અથાત્ આ સર્વેમાં પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્ આવે. - -- (હવેની ગાથા 13 થી 15 તદુભાય પ્રાયશ્ચિત જણાવે છે.). [13-15 સંભ્રમ, ભય, દુઃખ આપત્તિ ને લીધે સહસાતુ અસાવધાની ને લીધે કે પરાધીનતાથી વ્રત સંબંધિ જે કોઈ અતિચારનું સેવન કરે તો તદુભય અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ બંને પ્રાયશ્ચિત્ આવે, એ દુષ્ટ ચિતવન, દુષ્ટ ભાષણ, દુષ્ટ ચેખિત અર્થાતુ મન-વચન કે કાયાથી સંયમ વિરોધી પ્રવૃત્તિનું વારંવાર પ્રવર્તન. તે ઉપયોગ પરિણત સાધુ પણ આ બધાંને દૈવસિક આદિ અતિચાર રૂપે ન જાણે, તો તેમજ - - સર્વે પણ ઉત્સર્ગ અને અપવાદ થી દર્શન-જ્ઞાન-ચારિત્ર નો જે અતિચાર તેનું કારણે કે સહસાતું સેવન થયું હોય તો તદુભય પ્રાયશ્ચિત્ આવે. (ગાથા 1-17 “વિવેક” યોગ્ય પ્રાયશ્ચિત જણાવે છે.) [16-17] અશન આદિ રૂપ પિંડ, ઉપધિ, શવ્યા વગેરેને ગીતાર્થ સૂત્રાનુસાર ઉપયોગથી ગ્રહણ કરે તે આ અશુદ્ધ નથી એમ જાણે કે નિરતિચાર-શુદ્ધ વિધિપૂર્વક પરઠવે, . કાળથી અસઠપણે પહેલી પોરિસીએ લાવી ચોથી સુધિ રાખે. ક્ષેત્રથી અડધા યોજન દૂરથી લાવેલું રાખે, સૂર્ય ઉગ્યા પહેલા કે આથમ્યા પછી ગ્રહણ કરે. અથવું ગ્રહણ કર્યા પછી સૂર્ય નથી ઉગ્યો કે આથમ્યો છે તે જાણે, પ્લાન-બાળ આદિના કારણે અશનાદિ ગ્રહણ કરેલ હોય, વિધિપૂર્વક પરિષ્ઠાપન કર્યું હોય તો આ સર્વેમાં વિવેકભોગ્ય’ પ્રાયશ્ચિત્ આવે. (હવે કાઉસ્સગ-પ્રાયશ્ચિતને જણાવે છે.) [૧૮]ગમન, આગમન, વિહાર, સૂત્રના ઉદેશાદિ, સાવધ કે નિરવ સ્વપ્ન આદિ, નાવ- નદિ થી જળમાર્ગ પાર કરવો એ સર્વેમાં કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્, [૧૯]ભોજન.પાન. શયન, આસન, ચૈત્ય, શ્રમણ વસતિ, મળ-મૂત્ર ગમન માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005100
Book TitleAgam Deep 38A Jiyakappo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages21
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 38, & agam_jitkalpa
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy