SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 160 બૃહત્કથ્થો - 5/188 [૧૮૮-૧૮૯]સાધ્વીઓને લાકડાની (ગોળ ?) દાંડીવાળું પાદ પ્રીંછન રાખવું કે ઉપયોગ કરવો ન કહ્યું. સાધુને કહ્યું. [19] સાધુ- સાધ્વી ઉગ્રરોગ, આતંક સિવાય એક બીજાનું મૂત્ર પીવું કે મુત્રથી એક બીજાની શુદ્ધિ કરવી ન કલ્પે. [૧૯૧-૧૯૩]સાધુ-સાધ્વીને પરિવાસિત (એટલે રાત્રે રાખેલ કે કાલાતિકાન્ત એવા-૧- તલ જેટલો કે ચપટી જેટલો આહાર કરવો અને બિંદુ જેટલું પણ પાણી પીવું 2- ઉગ્રરોગ કે આતંક સિવાય પોતાના શરીર ઉપર થોડો કે વધુ લેપ કરવો, 3- રોગકે આતંક સિવાય તેલ, ઘી, માખણ કે ચરબી ચોપડવી કે ઘસવી, એ સર્વેકાર્ય ન કહ્યું. [૧૯૪]પરિહારકલ્પ સ્થિત (પરિહાર તપ કરતા) સાધુ જો વૈયાવચ્ચ ને માટે કયાંક બહાર જાય અને ત્યાં પરિહારતાનો ભંગ થઈ જાય, એ વાત સ્થવિર પોતાના જ્ઞાન થી કે બીજા પાસેથી સાંભળીને જાણે તો તેને અલ્પ પ્રાયશ્ચિત્ આપવું જોઈએ. [૧૫]સાધુ-સાધ્વી આહારને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશ કરે અને ત્યાં કોઈ એક પ્રકારનો પુલાક ભક્ત એટલે કે અસાર આહાર ગ્રહણ કરે. જો તે ગૃહીત આહારથી તે સાધુ-સાધ્વીનો નિવહ થઈ જાય તો તે એ જ આહાર વડે અહોરાત્ર પસાર કરે પણ બીજી વખત આહાર ગ્રહણ કરવા ગૃહસ્થના ઘરમાં તેને પ્રવેશ કરવો ન કલ્પે. પણ જો તેનો નિવહ ન થઈ શકે તો આહાર માટે બીજી વખત પણ ગૃહસ્થ ના ઘેર જવું કહ્યું.- એ પ્રમાણે હું તમને કહું છું. - પાંચમા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર-છાયા” પૂર્ણ (ઉદેસો-દ [૧૯]સાધુ-સાધ્વીને આ છ કુવચન બોલવા ન કલ્પે. જેમકે અસત્ય કે મિથ્યાભાષણ, બીજાની અવહેલના કરતી વાણી, રોષપૂર્ણ વચન, કર્કશ-કઠોર વચન, ગૃહસ્થ સંબંધિ જેવા કે પિતા-પુત્ર વગેરે શબ્દો અને કલહ શાંત થયા પછી પણ ફરી ફરી-બોલવું. [૧૯૭કલ્પ ના છ પ્રસ્તાર કહયા છે. અર્થાત્ સાધ્વાચાર ના પ્રાયશ્ચિતુ ના છ વિશેષ પ્રકાર કહેવાયા છે. પ્રાણાતિપાત -મૃષાવાદ- અદત્તાદાન-બ્રહ્મચર્યભંગ- પુરુષ ન હોવું કે દાસકે દાસિપુત્ર હોવું એ છ માંનો કોઈ આક્ષેપ કરે. જ્યારે કોઈ એક સાધુસાધ્વી બીજા પર આવો આક્ષેપ કરે ત્યારે પ્રથમ વ્યક્તિને પૂછવામાં આવે કે તમે આ દોષ સેવેલ છે જે તે કહે કે મેં તે ભૂલ કરી નથી તો આરોપ મુકનારને કહેવામાં આવે કે તમારી વાતનું પ્રમાણ આપો. જો આરોપ મુકનાર પ્રમાણિત કરી દે તો તે દોષ સેવનાર પ્રાયશ્ચિતું પાત્ર થાય જો પ્રમાણિત ન કરી શકે તો આરોપ મુકનાર પ્રાયશ્ચિતું પાત્ર થાય. [198-201] સાધુના પગ ના તળીયામાં તીક્ષ્ણ કે સૂક્ષ્મ ઠુંઠું કાંટો- લાકડા કે પત્થરની કણી લાગી જાય,.. આંખમાં સૂક્ષ્મ જીવજંતુ, બીજ કે રજ પડે અને તેને સાધુ પોતે કે સહવર્તી સાધુ કાઢવા કે શોધવા સમર્થ ન હોય ત્યારે સાધ્વી તેને કાઢે કે શોધે તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી એજ રીતે આવી કોઈ તકલીફ સાધ્વીને થાય ત્યારે સાધ્વી તે કાઢવા કે શોધવા સમર્થ ન હોય તો સાધુ તેને કાઢે કે તો જિનાજ્ઞા ઉલ્લંઘન થતું નથી _202-20] દુર્ગ, વિષમ ભૂમિ કે પર્વત પર થી સરકતી કે પડતી; . દલદલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005097
Book TitleAgam Deep 35 Bruhat Kappo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 35, & agam_bruhatkalpa
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy