SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 156 બુહતુષ્પો - 4117 [૧૧૭-૧૧૮]દુષ્ટ તત્વોપદેષ્ટા પ્રતિ દ્વેષ રાખનાર, મૂળ-ગુણ-દોષથી અનભિજ્ઞ, વ્યગ્રાહિત-અંધશ્રદ્ધાવાળો દુરાગ્રહી આ ત્રણ દુબોંબ કહયા છે. અદુષ્ટ, અમૂઢ, અવ્યુક્ઝાહિતુ આ ત્રણ સુબોમ્બ કહયા છે. [૧૧૯-૧૨૦ગ્લાન સાધ્વી હોય તો તેના પિતા, ભાઈ કે પુત્ર અને ગ્લાન સાધુ હોયતો તેની માતા, બહેન કે પુત્રી તે સાધુ કે સાધ્વી પડી જતા હોયતો હાથનો ટેકો આપે, પડી ગયા હોયતો ઉભા કરે, આપમેળે ઉઠ્યા-બેસવા અસમર્થ હોય તો ટેકો. આપે ત્યારે તે સાધુ-સાધ્વી વિજાતીય વ્યક્તિના સ્પર્શની (પૂર્વાનુભૂત મૈથુન ની સ્મૃતિ થી) અનુમોદના કરે તો અનુઘાતિક ચાતુમાસિક પરિહાર સ્થાન પ્રાયશ્ચિત્ આવે. [૧૨૧-૧૨૨]સાધુ-સાધ્વીએ અશન આદિ આહાર પ્રથમ પોરિસી એટલે કે પ્રહર માં ગ્રહણ કરેલ હોય અને છેલ્લી પોરિસિ સુધી નો કાળ કે બે કોશ ની મર્યાદિા કરતા વધુ દૂરના ક્ષેત્ર સુધી પોતાની પાસે રાખે અથવલ આ કાળ અને ક્ષેત્ર મયદા ના ઉલ્લંઘન સુધી તે આહાર રહી જાય તો તે આહાર પોતે ખાય નહીં. અન્ય સાધુ કે સાધ્વીને આપે નહીં પણ એકાંતમાં સર્વથા અચિત્ત સ્થાને પરઠવી દે, જો તેમ ન કરતા પોતે ખાય કે બીજા સાધુ-સાધ્વીને આપે તો લઘુ ચોમાસી પ્રાયશ્ચિત ના ભાગી થાય છે. [૧૨૩]આહારને માટે ગૃહસ્થના ગૃહ સમુદાય માં પ્રવેશી નિર્ગળે ઉદ્દગમ ઉત્પાદન અને એષણા દોષમાંથી કોઈ એક દોષ યુક્ત અનેષણીય અન્ન-પાન ગ્રહણ કરી લીધું હોય તો તે આહાર તે જ સમયે "ઉપસ્થાપના ન કરાયેલા એવા શિષ્યને આપી દેવો અથવા એષણીય આહાર આપ્યા બાદ દેવું કહ્યું. જો કોઈ અનુપસ્થાપિત શિષ્ય ન હોય તો તે અષણીય આહાર પોતે ખાય નહીં બીજાને આપે નહીં પરંતુ એકાંત એવા અચિત્ત સ્થાનમાં પ્રતિલેખન-પ્રમાર્જન કરી પરઠવી દેવો જોઈએ [૧૨૪]જે અશનાદિ આહાર કલ્પસ્થિત (અચેલક આદિ દશ પ્રકારના કલ્પમાં સ્થિત પ્રથમ ચરમ જિન શાસન ના સાધુઓ) ને માટે બનાવેલો હોય તે અકલ્પસ્થિત (અચેલક આદિ કલ્પમાં સ્થિત નથી એ મધ્યના બાવીસ જિનશાસનના સાધુઓ) ને કહ્યું. [12]o કોઈ ભિક્ષુ સ્વગણમાંથી નીકળી અન્યગણ નો સ્વીકાર કરવા ઈચ્છતો આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગણધર કે ગણાવચ્છેદક ને પૂછયા વિના અન્ય ગણનો સ્વીકાર કરવો ન કહ્યું પણ આચાર્ય ભાવતું ગણાવચ્છેદક ને પૂછીને અન્ય ગણનો સ્વીકાર કરવો કલ્પે છે. જો તેઓ આજ્ઞા આપે તો અન્ય ગણનો સ્વીકાર કરવા કહ્યું છે. અને જો આ ન આપે તો અન્ય ગણનો સ્વીકાર કરવો ન કલ્પે. [૧૨]જો ગણાવચ્છેદક સ્વગણમાંથી નીકળી અન્ય ગણનો સ્વીકાર કરવા ઈચ્છે તો પહેલાં પોતાનું પદ છોડીને અન્ય ગણનો સ્વીકાર કરવો કહ્યું, આચાર્ય યાવતું ગણાવચ્છેદક ને પૂછયા સિવાય અન્ય ગણનો સ્વીકાર કરવો ન કહ્યું પણ પૂછીને જે આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કહ્યું. [127 આચાર્ય કે ઉપાધ્યાય કદાચ પોતાના ગણમાંથી નીકળીને બીજા ગણમાં જવા ઈચ્છે તો તેઓ ને પોતાના પદનો ત્યાગ કરીને બીજા ગણમાં જવું કહ્યું. (જેઓને પોતાનો પદભાર સોંપેલ હોય તેવા) આચાર્ય યાવતું ગણા વચ્છેદકને પૂછયા સિવાય અન્ય ગણનો સ્વીકાર કરવો ન કલ્પે પૂછયા પછી આજ્ઞા મળે તો અન્યગણમાં જવું અને આજ્ઞા ન મળે તો ન કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005097
Book TitleAgam Deep 35 Bruhat Kappo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 35, & agam_bruhatkalpa
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy